Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
દિવ્યાંગો માટે વ્હિકલ ટેક્ષમાં મુક્તી: જાણો શું છે નવા નિયમો!
GPGaurav Patel
Aug 26, 2025 15:31:35
Ahmedabad, Gujarat
અમદાવાદ એએસમી રેવન્યુ કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય દિવ્યાંગ વ્યક્તિ વ્હિકલ ટેક્ષમાં મુક્તી મળશે દિવ્યાંગ વ્યક્તિને ૧૫ લાખની બેઝીક કિંમતના મહત્તમ બે વાહનની તથા ૧૫ ખરીદી પર ટેક્ષ મુક્તી મળશે એએસમી દ્વારા નવરાત્રી અને દિવાળી પહેલા અમલ થશે નિર્ણય વ્હિકલ ટેક્ષ મુકિત માટે ૧૦૦ રૂપિયાની ફી આપવી પડશે અનિરુદ્ધસિંહ ઝાલા , ચેરમેન , રેવન્યુ કમિટી , એએસમી
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Aug 26, 2025 17:45:39
Junagadh, Gujarat:
સસ્તું જેસીબી આપવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી જૂનાગઢના પિતા-પુત્રએ સસ્તા જેસીબીની લાલચ આપી ઠગાઈ આચરી, પોલીસ દ્વારા ત્રણે આરોપીઓનું મધુરમ વિસ્તારમાં ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન ​જૂનાગઢમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક સાથે સસ્તા ભાવે જેસીબી મશીન આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે મુન્નાભાઈ મીર, નદીમ મીર અને કાના ચૌહાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે માહિતી આપી હતી. ​કેવી રીતે થઈ છેતરપિંડી? ​ પાટણવાવના રહેવાસી પ્રકાશ ભુપત રાણવાને પોતાના વ્યવસાય માટે જેસીબી મશીન ખરીદવું હતું. આ માટે તેઓ જૂનાગઢના મધુરમ ગેટ પાસે ઓફિસ ધરાવતા મુન્ના મીર અને તેના પુત્ર નદીમ મીરના સંપર્કમાં આવ્યા. આ બંને સાથે કાના ચૌહાણ પણ જોડાયેલો હતો. ​આ ત્રણેય આરોપીઓએ પ્રકાશ રાણવાને મધ્યપ્રદેશથી સસ્તા ભાવે જેસીબી અપાવવાની લાલચ આપી. તેમનો વિશ્વાસ જીતીને તેમણે પ્રકાશ પાસેથી કુલ 11 લાખ રૂપિયા પડાવી લીધા. પૈસા લીધા પછી આરોપીઓએ જેસીબી આપવાનું નામ લીધું નહિ અને પ્રકાશને ટાળવા લાગ્યા. ​પૈસા પાછા માંગવા જતાં લૂંટ અને ધમકી ​ પૈસા પરત ન મળતા, પ્રકાશ રાણવા તેમની ઓફિસે પૈસાની વાત કરવા ગયા. અહીં પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો કરવા લાગ્યા. તેમણે પ્રકાશ સાથે ગાળાગાળી કરી અને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. આટલું જ નહિ, તેમણે બળજબરીપૂર્વક વધુ ₹25,200 પડાવી લીધા અને પ્રકાશને જાનથી મારી નાખવાની ધમકી આપી. ​પોલીસની ત્વરિત કાર્યવાહી ​ આ ઘટના બાદ પ્રકાશ રાણવાએ જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, એટ્રોસિટી અને બળજબરીપૂર્વક પૈસા કઢાવવા સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી. કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ગુનાની સઘન તપાસ માટે, પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ એટલે કે મધુરમ વિસ્તારમાં ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. ​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, મુન્ના મીર અને નદીમ મીર અગાઉ પણ કલમ 406 અને 420 હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા છે. ​લોકોને અપીલ ​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, સસ્તા ભાવે વાહન મેળવવાની લાલચમાં ન ફસાશો. આવા આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેથી કોઈપણ ખરીદી કરતા પહેલા સાવધાની રાખવી. બાઈટ રવિરાજ સિંહ પરમાર ડી વાય એસ પી જુનાગઢ ગ્રામ્ય અશોક બારોટ જૂનાગઢ
6
comment0
Report
GPGaurav Patel
Aug 26, 2025 16:49:09
Ahmedabad, Gujarat:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો દરમ્યાન મહિલાએ ઉતારી આરતી આરતી ઉતારતા મહિલા વિલાસબા સીસોદિયા થયા ભાવુક પ્રધાનમંત્રીએ સોસીયલ મિડિયા પર વિલાસબાનો ફોટો કર્યો હતો પોસ્ટ વિલાસબા સીસોદિયાએ ઝી ચોવિસ કલાક સાથે કરી ખાસ વાત મારી માટે ધન્ય ક્ષણ કે તે અમારા નિવાસ સ્થાન આગળ થી પસાર થયા અમે અગાઉ થી અમારા સગા સંબંધીઓ ને ઘરે બોલાવી લીધા હતા જ્યારે તેઓ શેલ્બી નજીક પહોંચ્યા ત્યારે અચાનક આરતી કરવાનો વિચાર આવ્યો હું આરતી લઇને પહોંચી તો લોકોએ મને આગળ જગ્યા આપી પોલીસ કર્મીઓએ સાથ અને સહકાર આપ્યો જ્યારે આરતી ઉતારી ત્યારે પ્રધાનમંત્રીએ રીસપોન્સ કર્તો તેમને નમન કર્યા અને અભિવાદન જીલ્યુ ક્યારે મારી આંખો માંથી આંસુ નિકળી ગયા તે ખબર ન પડી આ ક્ષણ મારા માટે અમુલ્ય અને ન વિસરાય તેવી છે વન ટુ વન વિલાસબા સીસોદીયા
12
comment0
Report
PAParakh Agarawal
Aug 26, 2025 15:46:59
Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરુ થવાનો છે આ મેળામાં ગુજરાતનહિ પણ પાડોસી રાજ્ય માંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો પદયાત્રા કરી અંબાજી આવતા હોય છે ને આ વખતે પણ 35 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી શક્યતાઓને લઇ તમામ યાત્રિકોની સુરક્ષા ને આરોગ્ય લક્ષી તેમજ નિઃશુલ્ક ભોજન નિવાસ નિઃશુલ્ક પાર્કિંગ પાણી સહીતની અનેક પ્રકારની સુવિધાઓ વહીવટી તંત્ર ને સરકાર દ્વારા સુસજ્જ કરવામાં આવી છે ને આ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાઓ સહીતની માહિતી સભર વિગતો લાખો યાત્રિકો સુધી પહોંચે તેને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત પત્રકારોને યાત્રિકો માટે ઉભી કરાયેલી સુવિધાઓથી વાકેફ કરાવ્યા હતા જયારે પત્રકારો દ્વારા પણ મંતવ્યો રજૂ કરાયા હતા આ પ્રસંગે અંબાજી મેળાને લઇ તૈયાર કરાયેલી માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું એટલુંજ નહિ જે દરવર્ષે અંબાજી થી 20 કિલોમીટરના પેરીફેરી માટેનો યાત્રિકોમાટે લાયબિલિટી વીમો લેવાતો હતો તેની હદ મર્યાદા વધારીને સમગ્ર રાજ્ય કરી દેવામાં આવ્યો છે આ વખતે મેળામાં વિશેષ ડ્રોન સહીત નવીન આયોજનોને વોટરપ્રુફ સમિયાણા,35 જેટલા વિશેષ પાર્કિંગ જેવી સુવિધાઓ પણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે બાઈટ-1 મીહિર પટેલ (જિલ્લા કલેકટર)બનાસકાંઠા જોકે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા તેમની સુરક્ષાની પણ ચિંતા કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 5હજાર જેટલા સુરક્ષાકર્મીઓ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેમાં bdds,ડોગસ્કોર્ડ,ક્યુઆરટી જેવી અનેક ટિમો આ મેળામાં પોતાની ફરજ બજાવી મેળો સુરક્ષિત બનાવશે બાઈટ-2 પ્રશાંત સુમ્બે (જિલ્લા પોલીસવડા) બનાસકાંઠા
14
comment0
Report
DRDarshal Raval
Aug 26, 2025 13:02:39
Ahmedabad, Gujarat:
ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીને લઈ વકીલોનો વિરોધ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. દ્વારા હડતાળની જાહેરાત જનરલ બોડીની બેઠકમાં લેવાયો નિર્ણય કમિટીના ગઠન બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને કરાશે રજૂઆત બ્રિજેશ ત્રિવેદી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન ના પ્રમુખનું નિવેદન.. જજ સંદીપ ભટ્ટની ટ્રાન્સફર મધ્યપ્રદેશ થયી છે. જેનાથી વકીલોમાં રોષ છે. જજ સંદીપ ભટ્ટ ખૂબ જ સિદ્ધાંતવાદી, સ્પષ્ટ વકતા છે. સીધી સીધી ન્યાય ના હિતમાં જરૂરિયાત માટેની બદલી નથી... આ બદલીના કારણે અસંતોષ ના કારણે જનરલ બોડી મિટિંગ આજે કરી હતી.. સુપ્રીમ કોર્ટમાં ડેલિગેશન મોકલીને સંદીપ ભટ્ટની બદલી અંગે રજૂવાત કરીશું.. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને કોલેજિયમ સભ્યોને ને મળીને રજુવાત કરીશું.. આજે બપોરથી અમે કામથી અળગા રહ્યા છીએ.. રાજ્યના તમામ બાર એસોસિયેશન પ્રમુખ ને વિનંતી કરીશું ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશન ને ટેકો આપે... તમામ બાર એસોસિયેશન ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશન ને સપોર્ટ...
13
comment0
Report
GPGaurav Patel
Aug 26, 2025 13:01:31
Ahmedabad, Gujarat:
ધોળકા.... અમદાવાદ :ધોળકાના સરોડા ગામમાં જળપ્રલય વચ્ચે ફસાયેલા 2 લોકોનું સફળ રેસ્ક્યુ . ધોળકા મામલતદાર .ધોળકા ટીડીઓ .ધોળકા રુલર પોલીસ સહિતના ટીમો કરવા રહી હતી .ધોળકા, સાબરમતી નદીના પાણી છોડવામાં આવતાં ધોળકાના સરોડા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં પોતાના બકરાને બચાવવા ગયેલા ચાર સ્થાનિકો પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. જોકે, તંત્ર અને ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ તેમને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતાં તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. આ પાણી સરોડા ગામ તરફ આગળ વધી રહ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં, ગામના ચાર રહેવાસીઓ પોતાના બકરાઓને ભાઠા (નદીકિનારાનો વિસ્તાર)માંથી બહાર કાઢવા માટે ગયા હતા. પરંતુ, પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તેઓ રોડથી લગભગ ૧ કિલોમીટર દૂર જળપ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. તંત્રની ત્વરિત કામગીરી: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર તરત જ સક્રિય થયું હતું. ધોળકા ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ કોઈ પણ વિલંબ કર્યા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીનો પ્રવાહ તેજ હોવાથી આ કામગીરી અત્યંત પડકારજનક હતી. પરંતુ બચાવ ટીમે તેમની કુશળતાનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે લાવવા માટે પ્રયાસો ચાલુ રાખ્યા. આશરે દોઢ કલાકની સતત મહેનત બાદ, ચારેય લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા જ લોકો સુરક્ષિત છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશને તંત્રની સજ્જતા અને ફાયર વિભાગની કાર્યક્ષમતાનો પરિચય કરાવ્યો છે. હાલમાં, તંત્ર દ્વારા ગામમાં પાણીની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે વાસણા બેરેજમાંસાબરમતી નદી માં 96234 ક્યુસેક પાણીજથ્થો છોડવામાં આવ્યું ધોળકાના 14 ગામ અને એલર્ટ કરાયા
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 26, 2025 12:49:06
Surat, Gujarat:
સુરત... "તમે પહેરેલા દાગીના કોઈ લઈ જશે "તેમ કહી દાગીના પડાવી લેતી ગડ્ડી ગેંગની ધરપકડ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાયડ સહિત ઇડર ખાતેથી ધરપકડ એક મહિલા સહિત ત્રણ શખ્સોને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા ચોકબજાર સ્થિત બહુચરાજી નગરમાં પગપાળા જતી મહિલાને ટાર્ગેટ કરી હતી ઉપર પાંચસો ની અસલ નોટ અને નીચે કાગળની ગડ્ડી બતાવી "તમે પહેરેલ સોનાના દાગીના આગળ કોઈ પડાવી જશે તેમ જણાવી પડાવી લીધા હતા સોનાની બુટ્ટી સહિતના ઘરેણા પડાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી અગિયાર ઓગસ્ટના રોજ ચોકબજાર માં ઘટના બની હતી પોલીસે ગુન્હો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી હતી જ્યાં આરોપીઓ રીઢા ગુનેગાર હોય વેશપલટો કરી ઝડપી પાડ્યા સાબરકાંઠા અને અરવલ્લી ના સંવેદનશીલ વિસ્તારમાંથી ધરપકડ હિતેશભાઈ શામજીભાઈ સલાટ, વીક્રમભાઈ અરજણભાઈ સલાટ,મીનાબેન બાબુભાઇ સલાટની ધરપકડ ત્રણ પૈકીના બે આરોપીઓ હિતેશ સલાટ અને મીના વિરુદ્ધ અગાઉ ભિલોડા અને તલાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 26, 2025 12:15:53
Ahmedabad, Gujarat:
અમદાવાદ Amc ની લીગલ કમિટીની મળી બેઠક બેઠકમાં amc કાયદાકીય બાબતો અને પડતર કેસ અંગે થઇ ચર્ચા AMC ની જગ્યા પર દબાણ સામે આવ્યું જમાલપુર કબાડી માર્કેટ પર વર્ષો થી દબાણ 4800 ચો વાર ની જગ્યા પર દબાણ AMC એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરી રિપોર્ટ કરવામાં આવ્યો 24 રેસિડેન્ટ મકાનો ને વૈકલ્પિક જગ્યા આપી છતાં જગ્યા નથી કરી ખાલી 4800 ચો વાર માં કુલ 52 રેસિડેન્ટ મિલ્કતો બની કુરેશી પાર્ક સોસાયટી ની વર્ષ 1990માં ટેન્ડર મારફતે જગ્યા ફાળવવામાં આવી હતી AMC એ ફાળવેલી જમીન હવે પરત લેવામાં આવશે રેસિડેન્ટ ના રહીશો દ્વારા AMC ની રકમ વર્ષો થી ભરવામાં ના આવતા AMC ની કાર્યવાહી બાઈટ : પ્રકાશ ગુર્જર, ચેરમેન - લીગલ કમિટી , amc ------------------- અમદાવાદ AMC સિવિલ કોર્ટ માં આર્બિટ્રેશન ના 60 કેસ હારી આર્બિટ્રેશન ની મૂળ પ્રક્રિયા ને લગતા કેસો AMC કોર્ટ માં હાર્યું 60 કેસ માં AMC હારતા કોન્ટેક્ટરો ને રૂ 101કરોડ AMC એ ચૂકવવા પડશે 2017 માં રોડ તૂટવા થી લઈ અનેક કેસો માં કોન્ટ્રાકટર સિવિલ કોર્ટ માં ગયા હતા 60 કેસો હારતા AMC ના વકીલો અને અધિકારીઓ સામે રિપોર્ટ કરવામાં આવશે વકીલો મામલે પણ રિપોર્ટ કરાયો , અભ્યાસ બાદ AMC ના કેસ માં જવાબદાર વકીલો સામે થઈ શકે છે કાર્યવાહી બાઈટ : પ્રકાશ ગુર્જર, ચેરમેન - લીગલ કમિટી , amc
13
comment0
Report
CPCHETAN PATEL
Aug 26, 2025 12:05:39
Surat, Gujarat:
PLS TAKE THIS FEED FROM GUJARAT VSAT अमेरिका द्वारा हीरे और ज्वेलरी पर 25 प्रतिशत टैरिफ लगाए जाने के बाद सुरत के व्यापारियों में चिंता की लहर दौड़ गई है। वर्तमान में हीरा उद्योग मंदी के माहौल से गुजर रहा है, और टैरिफ का सीधा असर रत्नकला कारोबारियों पर भी पड़ेगा। बाइट: नैनेश पचीगर, गुजरात स्टेट प्रेसिडेंट, इंडियन बुलियन एंड ज्वेलर्स एसोसिएशन बाइट: दिनेश नावडिया, हीरा व्यापारी बाइट: रंगनाथ शारदा, कपड़ा विशेषज्ञ और व्यापारी
14
comment0
Report
HBHimanshu Bhatt
Aug 26, 2025 11:35:16
Morbi, Gujarat:
Slug 2608ZK_MRB_DEMI_3 Format PKG Reporter HIMANSHU BHATT Feed 2608ZK_MRB_DEMI_3 Date 26/8/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ડેમી-3 ડેમ આવેલો છે અને આ ડેમ ઉપર વર્ષો પહેલા ફ્રાન્સની ટેકનોલોજીના ફ્યુઝ ગેટ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 17 ગેટ એક વર્ષ પહેલા તૂટી ગયા છે તો પણ તેને આજની તારીખે રીપેર કરવામાં આવ્યા નથી જેથી ડેમ તેની ફૂલ સપાટી સુધી ભરાશે નહીં તે નિશ્ચિત છે અને લગભગ 210 એમસીએફટી જેટલો પાણીનો જળ જથ્થો ઓછો ડેમમાં સ્ટોરેજ થશે. જેથી ખેડૂતોને શિયાળુ પાક લેવામાં સિંચાઈનું પાણી મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વીઓ મોરબી જિલ્લામાં કુલ 10 સ્થાનિક જળાશયો આવેલા છે અને તેમાંથી મચ્છુ-1, મચ્છુ-2, બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 ડેમમાંથી લોકોને પીવા માટે પાણી મળે છે જો કે, તમામ ડેમમાંથી ખેડૂતોને સમયાંતરે સિંચાઈ માટેનું પાણી પણ આપવામાં આવે છે. જો ટંકારા તાલુકાની વાત કરીએ તો ટંકારા તાલુકામાં ડેમી-1, 2 અને 3 તથા બંગાવડી ડેમનો સમાવેશ થાય છે જેમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે જો કે, ડેમી-1 ડેમમાં વર્ષો પહેલા મૂકવામાં આવેલા ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યુઝ ગેટમાંથી 17 ગેટ ગત વર્ષે ચોમાસા દરમ્યાન ભારે વરસાદના લીધે તૂટી પડ્યા હતા જેને રીપેર કરવામાં આવ્યા નથી જેથી જેથી આ વર્ષે ચોમાસા દરમિયાન આ ડેમ ઓવરફ્લો થાય તો પણ તેની પૂર્ણ સપાટી સુધી ડેમમાં પાણી સંગ્રહિત થશે નહીં જેથી કરીને ખેડૂતોને સિંચાઈના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડશે. તેવું દેખાઈ રહ્યું છે. બાઇટ 1: અમરશીભાઈ ગજેરા, રહેવાસી મિતાણા વીઓ ટંકારાના મીતાણા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર, નાના ખીજડીયા, સરાયા, મોટા ખીજડીયા, નેસડા, હીરાપર, લખધીરગઢ, જબલપુર સહિતના કુલ 13 ગામોમાં ડેમી-1 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને આપવામાં આવતું હોય છે આ ડેમની કુલ ઊંચાઈ 23 ફૂટની છે જેમાંથી હાલ ડેમની અંદર 11 ફૂટ પાણી ભરેલું છે જેથી કરીને ડેમમાં 210 એમસીએફટી જેટલો પાણીનો જળ જથ્થો છે અને હજુ પણ વરસાદની શક્યતાઓ છે પરંતુ ચોમાસા પછી આ ડેમમાંથી જે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે તેને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી અત્રે ઉલેખનીય છેકે, ડેમના જે ફ્યુઝ ગેટ તૂટી ગયા છે તે જગ્યા ઉપર પાણી રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આગામી સમયમાં ડેમ તેની પૂર્ણ સપાટીએ કયારે ભરાશે તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી. બાઇટ 2: મયુરભાઈ દેવડા, સરપંચ પતિ, મિતાણા મીતાણા ગામના ખેડૂતો પાસેથી જાણવા મળતી પ્રમાણે ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો અને ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે આ ડેમ ઉપર મૂકવામાં આવેલા ફ્યુઝ ગેટમાંથી 17 ગેટ પડી ગયા હતા ત્યારબાદ તેને રીપેર કરવામાં આવ્યા નથી. જો આ તૂટી ગયેલા ફ્યુઝ ગેટને રીપેર કરવામાં ન આવે તો ડેમ તેની કુલ જળ સપાટી સુધી ભરાઇ શકે છે પરંતુ તૂટી ગયેલા ગેટને રીપેર કર્યા જ નથી જેથી કપાસ, મગફળી સહિતના પાકો લેવા માટે થઈને આ ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે તેઓને આગામી સમયમાં શિયાળુ પાક લેવા માટે સિંચાઈનું પાણી મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. બાઇટ 3: વસંતભાઇ સંઘાણી, સ્થાનિક ખેડૂત, મિતાણા વીઓ મોરબી જિલ્લામાં 10 ડેમ આવેલા છે તે પૈકીના બંગાવડી અને ડેમી-1 ડેમ ઉપર ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યૂઝ ગેટ વર્ષો પહેલા મૂકવામાં આવ્યા હતા અને ગેટના લેવલ સુધી પાણી ભરાય ત્યાં સુધી પાણી તેમાં સ્ટોર રહે પરંતુ જો ગેટથી ઉપર પાણીનો પ્રવાહ પસાર થાય તો તે ગેટ પડી જાય અને ડેમને નુકશાન ન થાય તે રીતે પાણી નદીમાં વહી જતું હોય છે. આ ડેમ ઉપર કુલ મળીને 135 ફ્યૂઝ ગેટ છે જેમાંથી 17 ગેટ વર્ષ 2024 માં આવેલ વરસાદના લીધે તૂટી પડ્યા છે ત્યાર બાદ ફ્યુઝ ગેટ રીપેર કરવામાં આવેલ નથી જો આ ડેમ ઉપર ફ્યૂઝ ગેટ હોય તો ડેમમાં 780 એમસીએફસી પાણી સમાઈ છે પરંતુ તે ગેટ ન હોવાથી 210 એમસીએફટી પાણી ઓછું સ્ટોર થશે જેથી આ વર્ષે ડેમમાં માત્ર 570 એમસીએફ પાણી સંગ્રહિત થશે. અને હાલમાં અધિકારીના કહેવા મુજબ આગામી સમયમાં અહીયથી ફ્યુઝ ગેટ હટાવીને ત્યાં આરસીસીની વોલ બનાવવા માટેનું આયોજન ચાલી રહ્યું છે અને સરકારમાંથી તેની મંજૂરી મળી ગયા બાદ કામ શરૂ કરવામાં આવશે. બાઈક 4: એસ.વી.કડીવાર, મદદનીશ ઇજનેર ડેમી-3 ટંકારા વીઓ સરકારી કામ ગોકળગતીએ થાય તેવું કહીએ તો તેમાં શંકા ને કોઈ સ્થાન નથી કારણ કે એક વર્ષ પહેલા ડેમી-1 ડેમના ફ્યુઝ ગેટ પૈકીના 17 ગેટ તૂટી ગયા છે અને તે ગેટને રીપેર કરવા માટેની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આરસીસી વોલ બનાવવા માટેની દરખાસ્ત કરી છે જો કે, સરકારમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા સહિતનું કામ હજુ ચાલી રહ્યું છે ત્યારે વોલ કયારે બનશે અને ડેમ પાછો તેની પૂર્ણ સપાટી સુધી કયારે ભરશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 26, 2025 11:32:14
Surat, Gujarat:
એન્કર :છેલ્લા એક વર્ષ દરમ્યાન સુરત પોલીસના ડીસીપી ઝોન વન વિસ્તારમાં આવતા કુલ છ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ કુલ 1.46 કરોડ નો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.ડીંડોલી ખાતે 66 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું.નશા આબકારી વિભાગ,શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ મામલતદારની હાજરીમાં જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વી ઓ :સુરત પોલીસ દ્વારા સમયાંતરે ઝડપી પાડવામાં આવતા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે.શહેર પોલીસ દ્વારા પ્રોહીબિશન ની ગેરપ્રવુતિઓ ને અટકાવવા સમયાંતરે આ કાર્યવાહી કરવામાં આવે છે.જ્યાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ રૂપિયા 1.46 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.સુરત પોલીસના ડીસીપી ઝોન વન વિસ્તારમાં આવતા સારોલી,લસકાણા,સરથાણા કાપોદ્રા,વરાછા, પુણા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં અલગ અલગ પ્રોહીબિશન ના કેસો કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બૂટલેગરો ની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યાં કેટલાક બૂટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરી જેલભેગા કરવામાં આવ્યા હતા. અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલી પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન છેલ્લા એક વર્ષમાં કુલ 66 હજારથી વધુની દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.જે દારૂની કિંમત અંદાજિત 1.46 કરોડ થાય છે..જે દારૂના જથ્થા પર સુરત પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે.ડીંડોલી ખાતે નશા આબકારી વિભાગ ,મામલતદાર સહિત શહેર પોલીસ વિભાગના ડીસીપી તેમજ એસીપી સહિત પીઆઇ કક્ષાના અધિકારીઓની હાજરી માં આ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.મહત્ત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જોવા મળી રહી છે.દારૂબંધી હોવા છતાં લાખો કરોડોનો દારૂ નો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.ગુજરાત પોલીસ ભલે દારૂબંધીની વાત કરતી હોય પરંતુ આ દારૂબંધી કાગળ સિમિત રહી ગઈ છે.કારણ કે સુરતમાં આટલો અધધ દોઢ કરોડની કિંમતનો દારૂ માત્ર છ પોલીસ સ્ટેશનમાં પકડાતો હોય તો સમગ્ર ગુજરાતમાં કેટલો તેનો અંદાજ પણ આંકી શકાય તેમ નથી. બાઈટ.. આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ)
14
comment0
Report
GDGaurav Dave
Aug 26, 2025 11:31:09
Rajkot, Gujarat:
SLUG - 2608ZK_LIVE_RJT_SOG_UPDATE REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED SEND TVU 75 એન્કર - રાજકોટના રતનપર અને આસપાસના ગામમાં વસતા વિદેશી વિદ્યાર્થીઓને લઈને ગઈકાલે SOG દ્વારા યોજવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઇવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 5 વિદેશી વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં છેલ્લા 1 વર્ષ થી રાજકોટમાં ઓવર સ્ટે કર્યો હોવાનું ખુલ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ડો. ભરત બસીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે આવેલા આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ રતનપર, હડાળા, નાગેશ્વર સહિતના વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહે છે. લોકોની ફરિયાદ બાદ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. મેગા ડ્રાઇવમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ વિષે ચેકીંગ હાથ ધરાયુ હતું. તેમાં પોલીસ ચેકીંગ દરમ્યાન 5 વિદેશી નાગરિકો મળી આવ્યા હતા. જેના વિઝા છેલ્લા 1 વર્ષથી પૂર્ણ થયેલ છે. 5 વિદેશી નાગરિકો આફ્રિકાના હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 યુગાન્ડાની યુવતી અને 1 સાઉથ સુદાનનો વિદ્યાર્થી છે. જે મારવાડી યુનિવર્સીટીનો વિદ્યાર્થી હતો. 4 આફ્રિકન યુવતીઓ બિઝનેશ વિઝા પર આવેલ હતી. વિદેશી નાગરિકો મામલે ડ્રાઇવ હજુ પણ ચાલુ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકન વિદ્યાર્થીઓ રતનપર, હડાળા સહિતના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાની રાવ પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી. સમયાંતરે પોલીસ ચેકીંગ કરવામાં આવે તો આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે થી કેફી પદાર્થો પણ પોલીસને હાથ લાગી શકે છે. જો નિયમિત પોલીસ ચેકીંગ કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ નશાના ખપ્પરમાંથી બચી શકે છે. બાઈટ - ભરત બસિયા , એસીપી ક્રાઇમ બ્રાન્ચ , રાજકોટ
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Aug 26, 2025 11:17:43
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર વહેલી સવારે કારની અડફેટે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી બસ સ્ટેન્ડ રોડ પર આંબેડકર ચોક પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા કારના ચાલકે એક સફાઈ કામદારને અડફેટે લીધા ઈજાગ્રસ્ત સફાઈ કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો કાર ચાલક અકસ્માત બાદ પોતે જ ઈજાગ્રસ્ત સફાઈ કામદારને હોસ્પિટલ લઈ ગયો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
14
comment0
Report
PSPramod Sharma
Aug 26, 2025 10:45:07
Noida, Uttar Pradesh:
2608ZN_PRAMOD_MUSLIM_R * * *भोपाल शहर मुसलमानो का नही सांसद आलोक शर्मा कर बयान पर भड़के भाईजान बोले * *भोपाल शहर हमारा है* और रहेगा, सांसद बताये उनका शहर कोनसा है* - * *भोपाल सांसद आलोक शर्मा के बयान पर बवाल मच गया है... - जिसमें उन्होंने कहा था कि * *भोपाल शहर मुसलमान का नहीं है* इस पर * *भोपाल के भाईजान भड़क गए हैं और कहां है* राजनीतिक रोटियां चमकाने के लिए अपने हर बयान में मुसलमान को ले आते हैं... - इतिहास बताता है* कि * *भोपाल शहर मुसलमान का था है* और रहेगा... - * *भोपाल सांसद बताएं कि उनका शहर कौन सा है* बाहर के बाहर से आकर * *भोपाल में बस गए हैं * *भोपाल को हमसे ना कोई छीन सकता है* ना छीन पाएगा... - * *भोपाल सांसद को मुसलमानों ने अंग्रेजो की पैदाइश बताया कहा कि अंग्रेजों की औलाद हमें ना बताएं की * *भोपाल शहर हमारा नहीं है... - मुस्लिमो को * *भोपाल से कोई जुदा नही कर सकता है* और रहेगा * *भोपाल हमारा... (चौपाल - मुसलमानो के साथ)
14
comment0
Report
JBJayendra Bhoi
Aug 26, 2025 10:32:19
Godhra, Gujarat:
પંચમહાલ બ્રેકિંગ હાલોલ પાવાગઢ રોડ પર સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષ પર કામદારો ઇજાગ્રસ્ત.. ત્રણ કામદારો પ્લાસ્ટર માટે બનાવેલી પાલખ તૂટી પડતા થયા ઘાયલ .. 25 ફૂટ પર કામ કરતા કામદારો ની પાલખ ધરાશાઈ થઈ. ઘાયલ થયેલા ત્રણ કામદારો પૈકી 2 કામદારો વધુ ગંભીર. 2 ઇજાગ્રસ્તો ને સારવાર માટે વડોદરા ખસેડાયા. કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી ને કારણે થયો અકસ્માત.. સરકારી કામ માં સેફ્ટી સાધનો પહેરી ને કામ ન કરતા હોવાને કારણે કામદારો વધુ ઇજા પહોંચી..
14
comment0
Report
Advertisement
Back to top