Back
સુરતના રાંદેરમાં તાપી નદીમાં ગણપતિનું અનોખું વિસર્જન!
CPCHETAN PATEL
Aug 28, 2025 04:18:07
Surat, Gujarat
સુરત બ્રેક
રાંદેરમાં પાંચ પીપડા મહોલ્લાના ગણપતિની તાપી નદીમાં તરતા મંડપમાં સ્થાપના
શેરી-મહોલ્લા, સોસાયટીમાં બાપ્પા બિરાજે અને તાપી કિનારે વિસર્જન થાય
પણ રાંદેરનું મંડળ તાપીમાંથી મૂર્તિ બહાર કાઢી ઘરઆંગણે વિસર્જન કરે છે
વર્ષ ૨૦૦૬માં સુરત શહેર તાપી પૂરમાં તબાહ થઈ ચૂક્યું હતું
સુરતીઓને તાપીપૂરથી બચાવવા પાંચ પીપડા મહોલ્લાના શ્રી ગણેશ મંડળ દ્વારા વર્ષ ૨૦૦૭થી તાપી નદીમાં શ્રીજીની સ્થાપ્રા કરવામાં આવી રહી છે
બોટમાં મંડપ ઊભો કરી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી
આ વખતે ફાઈબર શીટ ઉપર દિવાદાંડીના આકાર સ્વરૂપે મંડપે ડિઝાઈન કરવામાં આવ્યો છે
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowAug 28, 2025 10:17:58Rajkot, Gujarat:
SLUG - 2808ZK_LIVE_RJT_ABVP_VIRODH
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP
એન્કર - રાજકોટની બી.એ.ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીના આપઘાત કેસમાં આજે ABVP અને NSUI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ ખાતે ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલ ચેમ્બરમાં તોડફોડ કરી હતી. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા કુલપતિ ચેમ્બરમાં પોસ્ટરો લગાવી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજમાં રૂપિયા લઈને પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો અને કોલેજમાં ગેર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનો આરોપ કોલેજના જ ઈનટર્ન ડો.હરેશ જોગરાજીયાએ લગાવ્યો હતો.
વિઓ - 1
રાજકોટમાં હોમિયોપેથીક કોલેજ
આવી વિવાદમાં...
વિદ્યાર્થીના આપઘાત બાદ
કોલેજ સામે ગંભીર આરોપો...
ABVP અને NSUIનો
ભારે વિરોધ...
કોલેજમાં તોડફોડ અને
વિદ્યાર્થીઓની પરીક્ષા રોકાવી !...
રાજકોટના જામનગર રોડ પર આવેલી બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી ધર્મેશે પોતાના હાથેથી ઈન્જેક્શન લગાવી 26 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તેમનાં પરિવારજનો દ્વારા કોલેજના સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોલેજ દ્વારા વિદ્યાર્થીને પાસ કરાવવા 10 હજારની માગ કરવામાં આવી હતી, 3000 ન આપી શકતાં પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ મામલે 27 ઓગસ્ટે કોલેજના કેમ્પસ ડાયરેક્ટરે સ્વીકાર્યું હતું કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક પાસેથી પૈસા લીધા હતા. તેમના દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો અને વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મૂક્યાની વાતને પણ ખોટી ગણાવી હતી. જોકે ડાયરેક્ટર દ્વારા હરેશ જોગરાજિયાનું નામ આપતાં હરેશ જોગરાજિયાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. હરેશ જોગરાજીયાએ કહ્યું હતું કે, ડાંગર કોલેજના કેમ્પસ ડાયરેક્ટર આત્મન મેતાએ મારી સામે જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે. મૃતક ધર્મેશ કળસરિયા મારો રૂમ મેટ હતો. મને ગત 19 ઓગસ્ટે ફોન કર્યો હતો કે હોમિયોપેથીના બીજા વર્ષની સપ્લિમેન્ટરી પરીક્ષામાં મને ચોરી કરવા દેવા માટેની વ્યવસ્થા કરી આપ. એ બાદ ધર્મેશે મને રૂપિયા 7,000 ઓનલાઈન આપ્યા હતા અને ત્યાર બાદ હું આત્મન મેતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે વિદ્યાર્થી ધર્મેશને પરીક્ષામાં ચોરી કરાવી આપવા માટેની વ્યવસ્થા કરી આપવા કહ્યું છે. એ સમયે આત્મન મેતાએ આ વખતે આવું કંઈ કરવું નથી એવું કહી ના પાડી દીધી હતી. જેથી મેં 20 ઓગસ્ટે ધર્મેશને રૂપિયા 6,000 રોકડા પરત આપી દીધા હતા. કોલેજના ટ્રસ્ટી આત્મન અગાસી પર સિગારેટ પીવે અને બધી વસ્તુઓ લેવા માટે અમને મોકલે. એટલું જ નહીં તે ગાંજા જેવા નશા કરતા હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી.
વોક થ્રુ - ગૌરવ દવે (TVU 75 થી ઉતરેલું લેવું)
બાઈટ - ડો. હરેશ જોગરાજીયા, ઈનટર્ન, બી. એ. ડાંગર કોલેજ
બી.એ. ડાંગર કોલેજ ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે સૂત્રોચાર કરી ટ્રસ્ટીને રૂબરૂ હાજર થવા માટે ધમ પછાડા કર્યા હતા. જોકે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીમાં જ એબીવીપી ના કાર્યકરોએ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા રોકાવી હતી અને પ્રિન્સિપાલ ની ચેમ્બરમાં દરવાજો તોડી અને ટેબલના કાચ અને બારીના કાચ તોડ્યા હતા. અંદાજિત બે કલાક સુધી કોલેજ નું કામ કાજ રોકી એબીવીપીએ ખૂબ જ ભારે વિરોધ કર્યો હતો અંતે પોલીસે એબીવીપીના 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
વોક થ્રુ - ગૌરવ દવે (વોટ્સએપ વાળું લેવું)
વિઓ - 2
સમગ્ર મામલે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પોતાની ઓફિસમાં હાજર ન હોવાથી કુલપતિના ચેમ્બર બહાર વિદ્યાર્થી આગેવાનો દ્વારા કુલપતિ ગુમ થઈ ગયા છે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે કુલપતિની ગેરહાજરીમાં વિદ્યાર્થી નેતાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટારને આવેદનપત્ર આપીને બી. એ. ડાંગર કોલેજની માન્યતા રદ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હોમિયોપેથીના વિદ્યાર્થી દ્વારા જે પ્રમાણે દવાના ઓવરડોઝ લઈને આપઘાત કરવામાં આવ્યો છે. તે મામલે હજુ સુધી એક પણ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. આગામી દિવસોમાં કોના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
બાઈટ - અંકિત સોંદરવા, વિધાર્થી નેતા, NSUI
વિઓ - 3
ધર્મેશ કળસરિયાએ પોતાના હાથે જ ઝેરી ઈન્જેકશન લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ધર્મેશને અભ્યાસ દરમિયાન વારંવાર ATKT(એલાઝ્ડ ટુ કીપ ટર્મ્સ) આવતી હતી. જોકે આપઘાત કરવા પાછળ આર્થિક કરજો થઈ ગયો હતો કે કોલેજના ટ્રસ્ટીઓના માનસિક પ્રાર્થના કારણે આપઘાત કર્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું મહત્વનું રહેશે પરંતુ આજે ઉગ્ર વિરોધ થતા કોલેજના ટ્રસ્ટીઓએ ફોન સ્વીચ ઓફ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
1
Report
PTPremal Trivedi
FollowAug 28, 2025 09:49:33Patan, Gujarat:
એન્કર..
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ યુજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત રીતે ખાડા નું પુરાણ કામ ન કરવામાં આવતા ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ખાડા તેમજ ભુવા ની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે ત્યારે પાલિકામાં અનેક રજૂઆતો છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ નો જન્મદિવસ હોઈ તેઓએ અનોખો કાર્યક્રમ આપ્યો હતો અને પ્રજા ની સમસ્યા ની અગ્રીમતા આપી તેઓએ શહેરમાં તેમજ હાઇવે માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કામ તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું
વીઓ..
પાટણ શહેરના વિવિધ મુખ્ય માર્ગે ઉપર ભૂગર્ભ ગટર અને યુજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ વીજ કનેક્શન કરવા બાબતે ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે જેનું યોગ્ય પુરાણ ન કરાતા ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ખાડાઓ પડતા પાટણ એક ખાડા નગરી હોય તેવું લાગી રહ્યું છે મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે અને અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે સ્થાનિક લોકોની નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ ઉપર પડેલા ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતા લોકોમાં રોષ જોવા મળે છે ત્યારે આજે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના 55 માં જન્મ દિવસે રચનાત્મક કાર્યક્રમો આપી ઉજવણી કરી હતી ધારાસભ્ય કીરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શહેરના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે નીકળ્યા હતા.સુભાષચોકથી બગવાડા દરવાજા સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓમા કિરીટ પટેલે જાતે કપચી અને સિમેન્ટ મેટલ મિશ્રિત માલ પાથરીને ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કર્યું હતું. ધારાસભ્યની આ કામગીરીને શહેરના લોકોએ બિરદાવી હતી
બાઈટ. 1 to 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
વીઓ.. 2
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી પાટણ શહેરના નિર્માણ નગર રોડ ઉપર આવેલી 50 જેટલી સોસાયટીઓ પાસે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું ન હોય વિસ્તારના રહીશોને ભારે હાલાકીયો વેઠવી પડી હતી અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ન કરાતા આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના 55 માં જન્મદિવસે પોતે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસના આગેવાનો, સમર્થકો અને મશીનરી સાથે આ વિસ્તારમાં સફાઈ માટે પહોંચ્યા હતા.સોસાયટીની બાજુમાં જ જાણે કચરાની ડમ્પીંગ સાઇડ હોય તેવા ઢગ જોવા મળ્યા હતા. કિરીટ પટેલે આ વિસ્તારમાંથી સફાઈ કરી નગરોળ નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ક
બાઈટ 1 to 1 કિરીટ પટેલ
ધારાસભ્ય પાટણ
બાઈટ. 1.વિમી ગુપ્તા. સ્થાનિક
6
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:48:56Ahmedabad, Gujarat:
ચોટીલામાં આમ આદમી પાર્ટીની કપાસ પકવતા ખેડૂતોની સભા મુદ્દે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા અને મોટા મોટા ભાષણ કરી પરત ફર્યા
તેમના આગમન સમયે કાંગ્રેસના વોર્ડ કક્ષાના કાર્યકર થી માંડી નેતાઓને પોલીસે ડેટીઇન કર્યા
ખોટી રીતે ડરાવવા દબાવવાનો પ્રયાસ કર્યો
બીજી પાર્ટીના એક પણ કાર્યકર કે નેતાને ડીટેઇન ન કર્યા ન દબાવ્યા ન ડરાવ્યા
બીજી કોઇ પાર્ટી કેવા કાર્ય અને નિર્ણય કરે છે તે તેને મુબારક
કોંગ્રેસે હેમેશાં ખેડૂતો માટે લડત લડી છે
જમીન માપણી ખાતર સિંચાઈનું પાણી વિજળી અને પોષણક્ષમ ભાવ માટે લડાઇ લડી છે
ગુજરાત કોંગ્રેસનું કિસાન સેલ ખેડૂતો માટે લડી રહ્યું છે
બાઇટ
અમિત ચાવડા
પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
6
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:48:52Ahmedabad, Gujarat:
કપાસ પરની ડ્યુટી ઝીરો કરવા મુદ્દે સરકારે લેખીતમાં સ્વિકાર કર્યો
અમેરીકા ના ટેરીફની સામે કપાસની ડ્યુટી ઝીરો કરી
ઉદ્યોગો ને રો મટીરીયલ મળે માટે ટેરીફ ઝીરો કર્યો
આજે કપાસ પર ડ્યુટી ઝીરો કરી આવતીકાલે અમેરીકાના દબાણમાં બીજી પ્રોડક્ટની ડ્યુટી ઝીરો કરશો તો ખેડુતોનુ શુ
ખેતી સીધી અને આડકતરી રીતે ૫૦ ટકા રોજગારી આપે છે
પ્રધાનમંત્રી ના બોલવા અને વાસ્તવિકતા વચ્ચે સંબંધ નથી
ટ્રમ્પે અનેક વાર ભારત પાક વચ્ચે યુધ્ધ બંધ કરાવની વાત કરી કેમ પ્રધાનમંત્રી રદિયો નથી આપતા
ભારતમાંથી સૌથી વધારે ૪૦ ટકા હિરાની નિકાસ અમેરિકા થાય છે ૫૦ ટકા ડ્યુટીની ભારે અસર થશે
સરકાર સતત અમેરિકાને તાબે થાય છે અને તમાચો મારી ગાલ લાલ રાખે છે
જો સરકારનો આ નિર્ણય યથાવત રહેશે તો ખેડૂત કપાસ ની ખેતીથી દુર થશે
કપાસ ના તેલનું ઉત્પાદન અને ખાવામાં તેને ઉપયોગ થાય છે
સરકારના કપાસ પર ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય જીડીપી પર અસર કરશે
કોંગ્રેસ માત્ર ગુજરાત નહી દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડુતોનુ હિત વિચારી પત્ર લખ્યો
બાઇટ
જયનારાયણ વ્યાસ
નેતા કોંગ્રેસ
4
Report
HShakimuddin shabbirbhai
FollowAug 28, 2025 09:34:12Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના ઝોઝ ગામ ખાતે નદી કિનારે આધાર કાર્ડ નો જથ્થો મળી આવતા જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી કર્યો વાયરલ.
વી.ઓ.
છોટાઉદેપુરના ઝોઝ ગામે નદી કિનારે આધાર કાર્ડ નો જથ્થો મળી આવ્યો છે ગામન જાગૃત નાગરિકની નજરમાં આવતા વીડિયો બનાવી વાયરલ કર્યો છે ચાર દિવસ અગાઉ પણ આધાર કાર્ડનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો હતો અને આજે ફરી નદી કિનારે થી જથ્થો મળી આવ્યો છે મહત્ત્વની વાત એ છે કે નવા આધાર કાર્ડ કઢાવવા માટે આદિવાસી લોકોને અનેક કચેરીઓનો ધક્કા ખાવા પડે અને માંડ માંડ આધાર કાર્ડ નીકળે છે ત્યારે લોકોના ઘરે કુરિયર મારફતે પોહચળવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં લોકોના ઘર સુધી આધાર કાર્ડ પોહચતા નથી અને આધાર કાર્ડનો જથ્થો નદી કિનારે ફેકીલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે નદી કિનારે મોટી સંખ્યામાં આધાર કાર્ડ નો જથ્થો ફેંકેલી હાલતમાં મળતા ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી તંત્ર સામે અનેક આક્ષેપો કર્યા છે આધાર કાર્ડ કોએ ફેંક્યા કેમ ફેંક્યા અનેક સવાલો લોકોમાં છે વહેલી તકે આની તાપસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે
બાઈટ : ડી. કે રાઠવા.પૂવ સરપંચ ઝોજ ગ્રામપંચાયત
બાઈટ : વિનોદ રાઠવા. આગેવાન
3
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:34:08Surat, Gujarat:
સૂરત બ્રેકીંગ..
ક્રિશ ડીએમ કંપનીના રત્નકલાકારોને છુટા કરવા મામલે..
કંપની અને યુનિયન થતાં કામદાર વચ્ચે સમાધાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું..
મિટિંગમાં સુખદ અંત આવ્યો..
મિટિંગમાં રત્નકલાકરોને પડેલા દિવસોની સાથે કામ ઉપર પરત લેવા કંપની દ્વારા સહમતી દર્શાવી..
રફના ઇસ્યુના કારણે કંપની દ્વારા રત્નાકલાકરો કામ પરથી છુટા કરવામાં આવ્યા હતા..
કાલથી તમામ રત્નકલાકરો કામ પર બેસી જશે..
બાઈટ : ભાવેશ ટાંક = ડાયમંડ વર્કર યુનિયન ઉપ પ્રમુખ
1
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:34:03Surat, Gujarat:
સુરત ....
ભારતીય સેનાના માજી સૈનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને રજૂઆત
વિવિધ ચૌદ જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત
વર્ષ 2022 માં મુખ્યમંત્રીને રજુવાત કરી હતી,
છતાં કોઈ નિરાકરણ નહીં
ભરતી પ્રક્રિયા,માજી સૈનિકોના
હથિયાર લાયસન્સ રિન્યુ,
10 ટકા અનામત ,
ભરતી પ્રક્રિયામાં 1200 ની જગ્યાએ માત્ર 27 લોકોની ભરતી કરવામાં આવી ,
અલગ અલગ પ્રશ્નો મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશી રજુવાત
જો પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આંદોલન ની ચીમકી
બાઈટ :મુકેશ પાટીલ (પ્રમુખ - માજી સૈનિક સેવા ફાઉન્ડેશ ગુજરાત)
2
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:34:00Surat, Gujarat:
સુરત...
સુરત સમસ્ત મૌર્ય સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન
ઉત્તરપ્રદેશ ના હિસ્ટ્રીશીટરે સમાજ અને સમાજના મોભી વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણી અંગે રજુવાત
ઉત્તરપ્રદેશ ના રાયબરેલી જિલ્લાના સલોન મટકા ગામના આશિષ તિવારી સામે કાર્યવાહીની માંગ
સોશિયલ મીડિયા પર લાઇવ થઈ મૌર્ય સમાજ અને સમ્રાટ અશોક વિરુદ્ધ એલફેલ અને અપમાનજનક ટિપ્પણી નો આક્ષેપ
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવી હોવાનો સમાજનો આક્ષેપ
તાત્કાલિક ધોરણે હિસ્ટ્રીશીટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
આશિષ તિવારી દ્વારા સમાજના લોકોનું માથું ધડથી અલગ કરવાની આપી છે ધમકી
સમ્રાટ અશોક ના વસંજો ના માથા ધડથી અલગ કરવાની ધમકી
હિસ્ટ્રીશીટર દ્વારા સમાજ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ ભારે રોષ
સુરત જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી કરી રજુવાત
બાઈટ :રાજેશ મૌર્ય (સમાજ અગ્રણી
બાઈટ :સુરેશ મૌર્ય (સમાજ અગ્રણી)
1
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:33:48Ahmedabad, Gujarat:
કેન્દ્ર સરકારના નિર્ણય થી કપાસ પકવતા કરોડો ખેડૂતો ની ઉંઘ હરામ
દેશની ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વધારો
આત્મનિર્ભરના વાત પ્રધાનમંત્રી કરે છે અને વિદેશી સામે આત્મસમર્પણ કરતા હોય એવું દેખાય છે
ગુજરાતમાં કપાસનું ઉત્પાદન મોટા પ્રમાણમાં દેશના કુલ ઉત્પાદન નો ૨૫ ટકા હિસ્સો ગુજરાત નો
ખેડૂતોને ઉત્પાદનનો પોષણ ક્ષમ ભાવ મળતો નથી અને સરકારે પડ્યા પર પાટુ માર્યું
આયાત થતા કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને ૦ કરી હતી તે અવધી સપ્ટેમ્બર સુધી લંબાવી
આના કારણે વિદેશનો કપાસ સસ્તા ભાવે દેશમાં ઠલવાશે
આપણા દેશના ખેડૂતો જે કપાસ ઉત્પાદન કરે છે તેમને પુરતો ભાવ મળશે નહીં
સરકારના આ નિર્ણયથી ખેડૂતો માં ભારે વિરોધ
મોટા ઇન્ડ્રસ્ટ્રીયલ માટે આ નિર્ણય લીધો પણ ખેડૂતોના ભોગે
ભારતમાં બીજા નંબરનો સૌથી વધારે કપાસ અમેરીકાથી આવે છે
ટ્રમ્પ ભારત પર ૫૦ ટકા ટેરીફ નાંખે અને એમનો કપાસ ભારતમાં ૦ ટકા એ આવશે
જો સરકાર આ નિર્ણય પર ફેર વિચાર કરી તે ડ્યુટી ફરી નહીં નાખે તો ખેડૂતો આર્થીક નુકસાન થશે
કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોને એક ગાંસડી દીઠ ૧૫૦૦૦ ની સહાય આપે
જરૂર પડે તો સરકાર કોઈ પેકેજ જાહેર કરી સહાય આપે
આ સહાય આપવામાં સરકાર કોઇ વિલંબ કરે નહી
ગુજરાત કોંગ્રેસે પત્ર લખી કરી માંગ
ડાયરેક્ટ બેનીફીટ સ્કીમ હેઠળ સીધા ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવે
ગુજરાત સરકારને અપીલ કે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને સીધી સહાય ચુકવે
બાઇટ
અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
2
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:33:43Surat, Gujarat:
2808ZK_SRT_BIKE_VIDEO
સુરત...
Brts રૂટ ખાનગી વાહન ચાલકની દાદાગીરી નો મામલો
સુરત મેયર દક્ષેશ માવાણી એ આપ્યા તપાસના આદેશ
ટુ વ્હીલ ચાલક વિરુદ્ધ fir દાખલ કરવાની માંગ કરી
અધિકારીને આપ્યા તપાસના આદેશ
આવા અન્ય વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવા આદેશ કર્યા
મેયર દક્ષેશ માવાણી નું નિવેદન
આ વિડિઓ મેં જોયો
અકસ્માત ની ઘટના બનતા ટળી
બસ ચાલક સાથે ટુ વહીલ ચાલક દાદાગીરી કરે છે
Brts રૂટ પર માત્ર બસ ની સાથે માત્ર ઈમરજન્સી વાહનો દોડતા હોય છે
હમણાં સુધી આ રૂટ પર 100 થી વધુ લોકોના જીવ બચાવ્યા
Brts રૂટ પર ખાનગી વાહનો ને ન પ્રવેશવા અનુરોધ છે
વન ટુ વન..દક્ષેશ માવાણી..મેયર
3
Report
URUday Ranjan
FollowAug 28, 2025 09:33:39Ahmedabad, Gujarat:
એન્કર :
ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે..
મોદી એવા વિઝનરી લીડર છે જે કોઈ ને નાં સૂઝે એ એને સૂઝે
2003 માં મોદી સાહેબે શરૂ કર્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત
ગુજરાત અને ગુજરાતનું ડેવલોપમેન્ટ જુઓ ભારત નાં રાજ્યો જોઈએ એમાં ગુજરાત ને ગ્રોથ એન્જિન તરીકે બહાર લાવવું અઘરું હતું
ઈલેક્ટ્રીસીટી પાણી રોડ કોઈ વ્યવસ્થા નહોતી અને તેમાંથી બહાર લાવ્યા છે..
આપડે કેવું ગુજરાત જોયું હતું અને આજે કેવું છે .. ગુજરાતને વિઝનરી લીડર શિપ નો લાભ મળ્યા છે
એ સમયે ટીકાકાર કહેતા હતા કે આવું શક્ય નથી નરેન્દ્ર ભઈ ને પોતાના વિઝન માં વિશ્વાસ હતો અને લોકો ને મોદી સાહેબ માં
મોટા પ્રમાણમાં FDI આવ્યું.. ઉદ્યોગો આવ્યા
હમણાં પીએમ ની ગુજરાત મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ગુજરાત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રફી છે
રોકાણકારો અહી આપડા પર વિશ્વાસ રાખીને અહી આવે છે ત્યારે તેમને વિશ્વાસ હોય છે
રોકાણ ભલે વિદેશ નું હોય પણ ઉત્પાદન માં આપડા સ્વદેશી લોકોનો પરસેવો હોય
પીએમ વોકલ ફોર લોકલ નો મંત્ર આપ્યો અને હવે નો સમય લોકલ ફોર ગ્લોબલ નો છે
Msme ને પ્રોત્સાહન મળે અને સસ્તા ભાવે પ્રોડક્ટ ને આપડે બજારમાં મૂકવા છે
પીએમ નાં નેતૃત્વમાં મિશન મેણ્યુફેકચર પર ભાર મૂકવામાં આવ્યો છે
રાજ્યના 4 ઝોનમાં આવી કોન્ફરન્સ થવાની છે
દરેક એરિયની એક ઓળખ છે .
સીએમ સ્પીચ
3
Report
ARAlkesh Rao
FollowAug 28, 2025 09:31:54Banaskantha, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે અને TRB જવાનોના વિઝ્યુઅલ અહીં 2Cમાં અપલોડ કર્યા છે.
સ્લગ - ખાડા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ -આબુરોડ નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા રાજ સર્જાયું છે.જિલ્લા મથક પાલનપુર માંથી પસાર થતા નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડતા હાઇવે પરથી દિવસ દરમ્યાન પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલી વેઠી ભયના ઓથાર હેઠળ વાહન ચલાવવા મજબુર બન્યા છે... જો કે વાહન ચાલકોને તો આ ખાડા દેખાઈ જાય છે પરંતુ આટલા મોટા ખાડા હજુ સુધી નેશનલ હાઇવે ઓરથોરિટીને ધ્યાને ન પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોસ ભભુક્યો છે. ખાડાઓને કારણે અકસ્માત ન સર્જાય તે માટે હાઇવે ઓથોરીટીના બદલે ટીઆરબીના જવાનો ખાડા પૂરવા મજબુર બન્યા છે તો પાલનપુર -આબુરોડ હાઇવે ઉપર પડેલા અસંખ્ય ખાડાઓના કારણે મોટો અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ થાય તેવી દહેશતને લઈને તાત્કાલિક ખાડાઓ પુરાય તેવી માંગ ઉઠી છે..
બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર માંથી પસાર થતાં નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા રાજ સર્જાયું છે. શહેરના બિહારી બાગ,હનુમાન ટેકરી, એરોમાં સર્કલ નજીક સહિતના વિસ્તારોમાં નેશનલ હાઈવે પર જ મોટા ખાડા પડી જતા આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. જોકે નેશનલ હાઈવે પર ખાડા તો પડ્યા પરંતુ ખાડા એટલા ઊંડા પડ્યા છે કે જો આ ખાડામાં વાહન પટકાય તો વાહનની એક્સલ તો તૂટે જ પરંતુ તેની સાથે સાથે વાહન ચલાવનાર વ્યક્તિની કમરના મણકા પણ તૂટી જાય... જોકે મહત્વની વાત તો એ છે કે આ ખાડા એટલા ઉંડા છે કે જો આ ખાડા નજીકથી પસાર થાવ તો કદાચ તમને ખાડો દેખાઈ જાય પરંતુ બિહારી બાગ નજીક પડેલા ઊંડા ખાડાઓથી 100 મીટરના અંતરમાં જ નેશનલ હાઈવે ઓર્થોરીટી ની ઓફિસ આવેલી છે. પરંતુ આ ઓફિસની અંદર બેઠેલા અધિકારીઓને આ ખાડા હજુ સુધી નથી દેખાયા... અથવા તો દેખાયા હોય તો અધિકારીઓ કદાચ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે... જોકે આ હાઇવેની સ્થિતિ એવી છે કે નેશનલ હાઈવે હોવાથી વાહનો પૂરપાટ ઝડપે જતા હોય છે અને અચાનક જ રસ્તામાં ખાડા આવી જતા કેટલાક વાહન ચાલકો ખાડા થી બચવા વાહનને ટર્ન મારી દેતા હોય છે અને તે સમયે મોટા અકસ્માતથી ભીતિ સેવાઈ રહી છે અથવા તો જો ખાડામાં ગાડી પટકાય તો વાહન ચાલક પોતાનું બેલેન્સ પણ ગુમાવી દે એટલા મોટા ખાડા પડ્યા છે પરંતુ તંત્રના ધ્યાને હજુ સુધી આ ખાડા આવ્યા નથી જોકે ખાડાઓના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે કેટલાક ખાડાઓ પાલનપુર ટ્રાફિક વિભાગના ટીઆરબી જવાનો પુરવા મજબૂર બન્યા છે પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓ ન પૂરતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાઈટ-1-અંકિતભાઈ સાંખલા-રીક્ષા ચાલક
( હાઇવે ઉપર મોટા ખાડાઓ પડ્યા છે અમારી રિક્ષાઓને નુકસાન થઈ રહ્યું છે અકસ્માત સર્જાય છે તાત્કાલિક આ ખાડાઓ પુરવા જોઈએ.)
બાઈટ-2-ઈશાનખાન ઘસુરા-વિદ્યાર્થી
( આ ખાડાઓના કારણે અકસ્માત થવાનો ડર રહે છે..ટ્રાફિકજામ સર્જાય છે વિદ્યાર્થીઓને સ્ફુલ કોલેજ જવામાં પણ લેટ થવાય છે.
વોક થ્રુ-1-અલકેશ રાવ
(પાલનપુર માંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર મોટા ખાડાઓ પડ્યા છે આપ જોઈ રહ્યા છો.)
પાલનપુર -આબુરોડ હાઇવે ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે..જો કે અત્યારે તો આ નેશનલ હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તંત્ર કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જાગે અને આ ખાડાઓનું રીનોવેશન કરાવે.જોકે ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થતા અમારી ટિમ દ્વારા નેશનલ હાઇવે થી ફક્ત 50 મિટરના અંતરે આવેલી નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફીસ ઉપર જઈને અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરતા કેમેરા સામે એકપણ અધિકારીને કશુંજ બોલવાનું ટાળ્યું હતું અને ખાડાઓ તાત્કાલિક પુરાઈ જશે તેવી વાત કરીને પોતાની જવાબદારી માંથી છટકી ગયા હતા,હવે જોવું રહ્યું કે એસી ચેમ્બરોમાં ઘોર નિંદ્રામાં બેઠેલા નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ ક્યારે જાગે છે... જો નેશનલ હાઈવે ઓર્થોરીટી ના અધિકારીઓ તેમની ઓફિસથી 100 મીટરના અંતરમાં પડેલા ખાડા જ ન પુરાવી શકતા હોય તો નેશનલ હાઈવે પર પડેલા અન્ય ખાડાઓનું સમારકામ થશે તેવું વિચારવું જ અશક્ય છે... હવે જોઈએ કે ક્યારે તંત્ર જાગે છે અને ક્યારે ખાડા પુરાય છે...
વોકથ્રુ -2-અલકેશ રાવ
( અમારી ટિમ નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસે પહોંચી છે જોકે પાલનપુર માંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો..)
અલકેશ રાવ - બનાસકાંઠા
9687249834
2
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowAug 28, 2025 09:31:10Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
આંગણવાડી માં વર્કર માટે ફોર્મ ભરવા પડાપડી મહિલાઓ ને ભારે હાલાકી
રહેણકનો દાખલો મેળવવા મનપા દ્વારા સોગંદનામું માગતા રૂપીયા ૫૦૦ થી ૬૦૦ નો વધારાનો ખર્ચ
સરકારની ગાઇડ લાઇન મુજબ સ્વ ઘોષણાપત્ર આપવાનું હોઇ છે છતા સોગંદનામું માગતા મહિલાઓ માં રોષ
રહેણકનો દાખલો કઢાવવા એક જ બારી હોઇ વહેલી સવારથી લાગે છે મહિધાઓની લાઇનો
હાઇ રે બેકારી આંગણવાડી માં જુજ જગયાઓ પર હજારોની સંખ્યામા ભરાઇ રહ્યા છે ફોર્મ
0
Report
MDMustak Dal
FollowAug 28, 2025 09:30:46Jamnagar, Gujarat:
તા.28-08-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : મોદક સ્પર્ધા
Slug : 2808 ZK JMR MODAK SPARDHA
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ આયોજિત ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં ૧૭મા વર્ષે પણ ૫૯ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતાં. જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ૧૭મા વર્ષે ગણેશ ચતુર્થી ના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો, બહેનો અને ભાઈઓની ત્રણ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિઓ : 01
આ સ્પર્ધામાં જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત ખંભાળિયા, પોરબંદર, રાજકોટ સહિતના ૫૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રત્યેક સ્પર્ધકને ૧૦૦ ગ્રામનો એક લાડુ તથા દાળ પીરસવામાં આવ્યા હતા. જેમાં ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, તથા ડ્રાયફ્રૂટ્સ તથા શુદ્ધ ઘી વગેરે નું મિશ્રણ કરીને લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.
વિઓ : 02
લાડુ સ્પર્ધા બાળકો, બહેનો અને ભાઈઓ એમ ત્રણ વિભાગમાં યોજાઇ હતી, જેમાં બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા હતા, જ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને, અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતાં.
વિઓ : 03
બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા ૭ લાડુ સાથે પ્રથમ સ્થાને, પ્રેમિલાબેન વોરા સાડા છ લાડુ સાથે દ્વિતીય સ્થાને, અને જાગૃત્તિબેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે તૃતીય સ્થાને વિજેતા બન્યા છે. ભાઈઓના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણા ૯ લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા છે. તે જ રીતે જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ ૮ લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ ૬ લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતાં. તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરષ્કાર, મોમેન્ટ વગેરે આપીને પુરસ્કૃત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે અને તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
Byte 01:- પદ્મિનીબેન ગજેરા (મહિલા વિજેતા)
Byte 02:- નાનજીભાઈ મકવાણા (પુરુષ વિજેતા)
byte 03:- કીર્તિભાઈ ત્રિવેદી (પ્રમુખ બ્રહ્મ સોસીયલ ગ્રુપ)
0
Report
AKAshok Kumar
FollowAug 28, 2025 07:50:33Junagadh, Gujarat:
એન્કર
જુનાગઢ શહેરમાં રોડ રસ્તા થયા અતિ બિસ્માર વરસાદના કારણે ઠેર ઠેર ખાડાગઢ જુનાગઢ ખાડા મા કે ખાડામાં જુનાગઢ
વિઓ
જુનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય સમય ત્યાં વિકાસના કામને લઈને લોકોમાં ભારે હાંલકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અવિરત વરસાદના કારણે જૂનાગઢ મા રસ્તા અતિબિસ્માર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભૂગર્ભગટનના કામને લઈને રોડ રસ્તાઓમાં લોકોને ચાલવું પણ ભારે મુશ્કેલ થઈ શકે છે ત્યારે સાસક પક્ષ દ્વારા જ્યારે આ ચોમાસુ પૂર્ણ થશે ત્યારે સારા ઓર રસ્તાઓ જૂનાગઢને મળશે તેવું શાસક પક્ષ દ્વારા કહેવાય રહીયુ ત્યારે લોક મુખે ખાલી વાતો કરે છે
માત્ર જૂનાગઢ ની પ્રજા પીડાય રહી ત્યાં હવે જોવાનું રહ્યું ક્યારે જૂનાગઢને સારા રસ્તાઓ મળશે
બાઈટ પલવી ઠાકર
ચેરમેન મહાનગરપાલિકા
બાઈટ લલિત પરસાણા વિરોધ પક્ષ નેતા
વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે માત્ર ખાલી વાતો કરી અને છેલ્લા છ વર્ષ થયા આ જૂનાગઢની પ્રજા વિકાસના કામને લઈને પીડાઈ રહી છે ત્યારે ગ્રાન્ટોનો સદુપયોગ કરી અને જૂનાગઢને પ્રજાને સારા રસ્તાઓ આપે તેવું વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે
બાઈટ તેજસ પરમાર
મહાનગરપાલિકા કમિશનર
જ્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જલ્દીથી જલ્દી ખાડાઓ બુરી અને કપચી નાખી રસ્તાઓ શરૂ કરવામાં આવશે ત્યારે હવે જૂનાગઢની પ્રજાને ક્યારે સારો રોડ મળશે તે તો જોવાનું રહ્યું
જૂનાગઢની પ્રજા પીડાઈ રહી છે રોડ રસ્તા ના કારણે કમરના દુખાવા તેમજ વાહનો બગડી જવાના અનેક પ્રશ્નો સામે આવ્યા છે અને અકસ્માતો ના કિસ્સા પણ સામે આવ્યા છે ખાડાઓને લઈને અનેક મોટા અકસ્માતો થયા છે અકસ્માતમાં મોતના કિસ્સા પણ સામે આવ્યા છે પણ મહાનગરપાલિકા નું પેટનું પાણી પણ હલતું નથી કુંભકરણની નિંદ્રામાં સુતા નેતાઓ પણ ધૃતરાષ્ટ્રની જેમ બધું જોઈ રહ્યા છે ક્યાંક વાત કરીએ તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આક્ષેપો પણ થવા પામીયા છે
અશોક બારોટ
જૂનાગઢ
13
Report