Back
મુઠીયા ગામમાં વિકાસના અભાવે બાળકનું દુઃખદ મોત!
DRDarshal Raval
Aug 29, 2025 09:01:58
Ahmedabad, Gujarat
ફીડ. લાઈવ કીટ
વોટ્સપ ફીડ કરી તે એડ કરજો....
121
સુરેશભાઈ ભોઈ. મૃતકન સ્વજન
જીતુભાઇ શુક્લ. ગ્રામજન
મધુસુદનભાઈ પટેલ. ગ્રામજન
બાઈટ.
અભેસિંગભાઈ ઠાકોર. માજી સરપંચ
મ્હોજીત ઠાકોર. ગ્રામજન
જાલમસિંહ ઠાકોર. ગ્રામજન
એન્કર.
અમદાવાદના છેવાડે આવેલ મુઠીયા ગામ કોર્પોરેશનમાં ભળે ઘણા વર્ષો થયા. પરંતુ હજુ પણ તે ગામ વિકાસથી દૂર છે. જે વિકાસના અભાવે તાજેતરમાં જ એક બાળકનું મોત નિપજ્યાના પણ ગ્રામજનોના આક્ષેપ છે. ત્યારે જોઈએ વિકાસ અને મોતની શું છે સમગ્ર ઘટના....
વિઓ.
શહેરના છેવાડે આવેલ ગામ સાથે ઓરમાયું ભર્યું વર્તન
Amc ના કામને લઈને લોકોમાં જોવા મળી નારાજગી
Amc માં ભળે ઘણા વર્ષો છતાં વિકાસથી વંચિત ગામ
જીહા. આ વાત છે. શહેરના છેવાડે આવેલ ઉત્તર ઝોન નું મુઠીયા ગામ. જે મુઠીયા ગામ 1987 બાદ કોર્પોરેશનમાં ભડ્યું. આટલા વર્ષોમાં આ ગામને સુવિધા બાબતે અનેક વિકાસ થવો જોઈએ જો કે હજુ પણ આ ગામ વિકાસથી વંચિત હોવાના લોકોના આક્ષેપ છે. કેમ કે ગામમાં પીવાના પાણી, ગટરની અશુવિધા સાથે કેનાલમાં છોડાતા કેમિકલ ના પાણી, જીઆઇડીસી માંથી આવતી કેમિકલ ડસ્ટ અને દુર્ગન તેમજ ખરાબ રસ્તા સહિત અનેક સુવિધાઓ છે. જેનાથી લોકો પરેશાન છે. જે અંગેની સ્થાનિકોએ અનેક રજુઆત તંત્રને કરી. જોકે હજુ સુધી તે સમસ્યાઓનો નિકાલ નહિ આવ્યાના લોકોના આક્ષેપ છે...
ગ્રામજન
બાઈટ.
વિઓ.
આ વિકાસથી વંચિત ગામમાં તાજેતરમાં વિકાસના કામ ના અભાવ વચ્ચે એક બાળકનું મોત નિપજ્યાના પણ લોકોએ આક્ષેપ કર્યા. તાજેતરમાં 25 ઓગસ્ટ મુઠીયા ગામમાં એક 8 વર્ષનો બાળક રિધમ ઠાકોર તેના મિત્રો સાથે ગામના તળાવે ગયો. જ્યાં અન્ય બાળકો પરત ફર્યા પણ રિધમ ડૂબી જતાં પરત ન ફર્યો. જેની જાણ થતાં બાળકની શોધખોળ શરૂ કરાઇ જ્યાં 24 કલાક બાદ બાળકનો મૃતદેહ ફાયર બ્રિગેડની મદદથી તળાવ માંથી બહાર કઢાયો. આ ઘટના બનતા ગ્રામજનોએ તળાવ પર ચાલતા કામ ને લઈએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ગ્રામજનો ના મટે તળાવ ખાતે AMC દ્વારા એક કોન્ટ્રકટર ને તળાવ ફરતે વોલ બનાવવનું કામ સોંપવામાં આવેલ. જોકે તે કોન્ટ્રાકટર નું નામ કે નમ્બર કે કોઈ વિગત સ્થળ પર નિયમ મુજબ જોવા ન મળી. તેમજ જો કામ સોપાયું તો સિક્યોરિટી ગાર્ડ કેમ ન હતો તે પ્રશ્ન પણ લોકોએ ઉઠાવ્યો. કેમ કે ગાર્ડ હોત તો આ ઘટના ન બની હોત તેવુ પણ લોકોનું માનવું છે. આ સિવાય તળાવ પાસે amc દ્વારા ચોમાસુ પાણી નિકાલ માટે પરકોલેટિંગ વેલ બનાવાનું કામ ચાલુ છે. જ્યાં ખાડો ખોડી મૂકી દેવતા તેમાં ભરાયેલા પાણીમાં લોકો પડતા હોવાના પણ આક્ષેપ છે. તો તાજતર માં તૈયાર કરાયેલ આંગણવાડી શરૂ ન કરતા લોકો તે સુવિધા થી પણ વંચિત હોવાના આક્ષેપ લોકોએ કર્યા છે...
121
વિઓ.
આ વચ્ચે સ્થળ પર આવેલા amc ના આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર હિર મોદી એ સ્થળ મુલાકાત લીધી. જેમની સાથે z મીડિયાએ વાત કરવા પ્રયાસ કર્યો. તો પહેલા ઓફ ધ રેકોર્ડ તેઓએ તમામ વિગત આપી. પણ બાદમાં ઓન કેમેરા બોલવા ઇનકાર કરી દીધો. જોકે ઓફ ધ રેકોર્ડ આપેલ માહિતી પ્રમાણે મેં મહિનામાં જ તળાવ amc ને સોપાયું. જ્યાં 60 થી વધુ દબાણ દૂર કરી અંદાજે 7 કરોડ ના ખર્ચે તળાવ ડેવલપ કરવાની મંજૂરી આપી દેવાઈ. જેના માટે દબાણ કરતા ને નોટિસ અપાઈ છે તેમજ c g ભગવાન કંમ્પનીને તળાવ ફરતે વોલ બનાવવા કામ અપાય નું પણ સામે આવ્યું. જ્યાં હાલ કામ બંધ છે. તેમજ સ્થળ પર કંપનીની કોઈ ઓળખના પાટિયા ન હતા તે લગાવવા અને ગાર્ડ ન હોવાથી બનાવ બન્યાના આક્ષેપ હતા તે અંગે તંત્ર માહિતી મેળવી કાર્યવાહી કરશે તેવી ખાતરી અપાઈ. જોકે ઓન કેમેરા કોઈ કઈ ન બોલ્યું..
સ્ટિંગ બાઈટ. હિર મોદી. આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર
વિઓ.
હવે આમાં બેદરકારી એ બાળક ની હતી કે પછી કોન્ટ્રાકટર ની કે amc તે તપાસનો વિષય છે. પણ એ વાત નક્કી છે કે મુઠીયા ગામ માં એક બાળકનો જીવ ગયો છે તેમજ ગામ વિકાસથી વંચિત છે. જ્યાં સમસ્યાઓ પર ધ્યાન નથી અપાઈ રહ્યું. જે બાબતે મ્યુનિસિપલ કમિશનર ધ્યાન આપી કામ અને કાર્યવાહી કરાવે તે જરૂરી છે...
વોકથરુ...
દર્શલ રાવલ.
Z 24 કલાક અમદાવાદ.....
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowSept 01, 2025 18:16:13Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- જોળવા (પલસાણા)
સ્લગ :-0109ZK_SRT_BLAST_1
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત ના પલસાણાની સંતોષ ઇન્ડસ્ટ્રીઝ માં બોઇલર માં બ્લાસ્ટ થતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, 20 જેટલા લોકો સારવાર હેઠળ,10 વધુ ફાયરની ટીમ દ્વારા આગ ને કાબુમાં લેવાના પ્રયાસ, સુરત જિલ્લા પોલીસ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી દુર્ઘટના સંબધિત કામગીરી તપાસ હાથધરી હતી.
વિઓ...
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવાના પ્રયાસ હાથધર્યા હતા.
વોક થ્રુ :- સંદીપ વસાવા (જોળવા - પલસાણા)
બાઈટ :- વી.કે.પીપરિયા ( પ્રાંત અધિકારી - પલસાણા)
વિઓ...
ઘટના પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. સુરત જિલ્લા પોલીસ કાફલો, 10 થી વધુ ફાયર ફાઇતર ની ટીમ, ફેકટરી ઇસ્પેકટર ટીમ, 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં ૨૦ જેટલા ઇજાગ્રસ્ત લોકો ને આસપાસ તેમજ સુરત શહેર ખાતે સારવાર માટે ખસેડયા હતા. મૃતક તેમજ ઇજાગ્રસ્ત પામનાર વ્યક્તિ મુખ્યત્વે પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું હતું. જેમાં મૃતક ના પરિવારજનોએ કંપની સંચાલક અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
બાઈટ :- કિરણ દેવી (પરિવાર જન)
વિઓ...
તો બીજી તરફ ઘટના ને પગલે સુરત જિલ્લા નો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને પગલે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘટના સ્થળ નું નિરક્ષર કર્યું. તો બીજી ઘટના પગલે જરૂરી કાર્યવાહી કરવા દિશા સૂચન કયું હતું.
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત રૂરલ)
બાઈટ :- હિન્દી
4
Report
NBNARESH BHALIYA
FollowSept 01, 2025 18:02:51Jetpur, Gujarat:
SULG:- ZK RJT YUVAK NI HATYA NO BHED UKELAYO.....
FORMANT:- SAVDHAN GUJARAT......
APPROVED:- HAMIM BHAI......
FEED:- FTP JETPUR......
એન્કર:-જસદણના વિરનગર-કનેસરા રોડ પર ડુંગર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,બાદમાં મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો,આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક જસદણ તાલુકાના કાળાસર ગામનો લાલજી ધીરુભાઈ મકવાણા (ઉ.વ. 28) હોવાનું સામે આવ્યું હતું,મૃતકના પરિવારજનોએ આ ઘટના પાછળ વ્યાજખોરોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો,મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને ન્યાયની માંગ કરતા વાતાવરણ તંગ બન્યું હતું,ત્યારે પોલીસે ફરિયાદ નોંધી હત્યા કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને હત્યા વ્યાજખોરીના કારણે નહિ પરંતુ અન્ય કારણે થઈ હોવાનો ખુલાસો થયો હતો....... ..
મૃતક લાલજી મકવાણા જેસીબી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો,પરિવારે આક્ષેપ કર્યો હતો કે, લાલજીએ કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. આ વ્યાજખોરો સાથે પૈસાની લેતીદેતી બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં કોળી સમાજ લોકો સાથે આગેવાનો જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઈને ધરણા ઉપર બેસી આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી,
પરિવારજનોએ જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો,તેમજ મૃતકના પરિવાર સાથે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપરાંત કોળી સમાજના આગેવાનો અનશન ઉપર બેઠા હતા, જ્યાં સુધી આરોપીઓ અને પરિવાર ને ન્યાય ન મળે તે સુધી અનશન ઉપર બેસવાની ચીમકી ઉચારતા,આ પરિસ્થિતિને જોતા ગોંડલ ડીવાયએસપી, એલ.સી.બી., એસઓજી, જસદણ અને આટકોટ પોલીસનો મોટો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ,તે દરમિયાન રાત્રે જ પોલીસે આરોપીની ધરપકડ કરતા પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો,
મૃતક લાલજી મકવાણાને સંતાનમાં એક નાનો દીકરો છે, અને એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું,......
શા માટે કરાય યુવકની હત્યા અને શું હતું કારણ.......
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ માં સામે આવ્યું હતું કે મૃતક લાલજીની વ્યાજખોરી બાબતે હત્યા ન હતી કરી પરંતુ આરોપી આલ્કુભાઈ જેબલિયા એ એક વર્ષ પહેલાં મૃતક પાસેથી ઇકો કાર એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં લીધી હતી,જેના બદલામાં મૃતક લાલજીને 90 હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા,અને ગાડી લઈ લેવામાં આવી હતી,ત્યારબાદ થોડા દિવસ પછી ખબર પડી કે ગાડી લાલજી ભાઈ ના નામે હતી નહિ અને બીજા ના નામે હતી,જેના દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી,જે બાદ ગાડી આરોપી અલ્કુભાઈ જેબલિયા એ પરત કરી દીધી હોવાથી મૃતક પાસેથી 90 હજાર રૂપિયા લેવાના બાકી હોવાથી મૃતક લાલજી મકવાણા અને અલ્કુભાઈ જેબલિયા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી,
આરોપી અલ્કુભાઈ જેબલિયા અને અજયભાઈ ભોજક દ્વારા મૃતકના ઘર પાસે સવારના 4 વાગ્યાથી વોચ ગોઠવતા મૃતક લાલજી ભાઈ સવારે 7 વાગ્યે ઘરેથી બાઇક ઉપર નીકળતા તેને નીચે પછાળી તેનું અપહરણ કરી અજય ભોજક ની વાડીએ લઈ જઈને ઝાડ સાથે બાંધીને કેબલ વાયર,થી માર મારવામાં આવ્યો,જે બાદ આરોપી સિદ્ધરાજ ગિડા ને ફોન કરીને મૃતકના ઘરે મોકલવામાં આવ્યો જ્યાં તેને મૃતક ની પત્ની પાસેથી 20 હજાર લઈને વાડીએ ફરી ત્રણે આરોપીઓ ભેગા થયા,બાદ મૃતક ને છોડવામાં આવ્યો પરંતુ તે ત્યાંજ બેભાન થઈ ગયો અને થોડીવાર પછી તે મૃત્યુ પામ્યો,હોવાથી મૃતકની લાશ ને તળાવની બાજુમાં મૂકી ફરાર થઇ ગયા હતા, જેથી આટકોટ પોલીસ, અને LCB પોલીસ ટિમ સહિત અલગ અલગ પોલીસ તપાસ કરી રહી તે દરમિયાન LCB ટિમ અને આટકોટ પોલીસ દ્વારા ત્રણે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથધરી હતી,
હત્યા કરનાર આરોપીઓ નામ....
(1) અલ્કુ જેબલિયા....
(2) અજય ભોજક......
(3) સિદ્ધરાજ ગીડા.....
.......
બાઈટ:- વિજય સિંહ ગુર્જર - જિલ્લા પોલીસ વડા રાજકોટ રૂરલ.....
0
Report
DRDarshal Raval
FollowSept 01, 2025 17:45:43Ahmedabad, Gujarat:
ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ની મળી બેઠક
સરકાર સમક્ષ જી.એસ.ટી.માં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી માટે મળી બેઠક
18 ટકા gst માં રાહત આપી 5 ટકા gst કરવા માંગ
અમેરિકાએ લાદેલ તેરીફ બાદ કેન્દ્ર સરકારે gst માં રાહત આપવાનું નિચારતા ડિટરજન્ટ એસોસિએશને રાહત માટે કરી માંગ
હાલમાં મોટા વેપારીઓને ફાયદો અને નાના ને નુકશાન હોવાથી એસોસિએશને નાના વેપારીઓને ધ્યાને રાખી કરી માંગ
પાંજરાપોળ ama ખાતે યોજાયેલ બેઠકમાં એસોસીએશનના સભ્યો અને વેપારીઓ રહ્યા હાજર
ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન કે જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે,
એસોસિએશને કેન્દ્ર સરકાર સમક્ષ “મેક ઈન ઈન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઈન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે.
"ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ₹40,000 કરોડ છે અને તે દર વર્ષે 7%ની દરે વૃદ્ધિ કરી રહ્યો છે.
ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે, તેથી આ સેક્ટર ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન પૂરું પાડે છે
એસોસિએશનના મતે ઉચ્ચ GST દરો અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરનાં કારણે MSME ઉત્પાદકોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકતામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
હાલ HSN 3401 (સાબુ અને ઓર્ગેનિક સર્ફેસ એક્ટિવ પ્રોડક્ટ્સ) તથા HSN 3402 (ડિટર્જન્ટ પાવડર, કેક, લિક્વિડ વગેરે) પર 18% GST લાગુ છે.
સાથે સાથે, કાચા માલ જેમ કે LAB, ફેટી આલ્કોહોલ્સ, સર્ફેક્ટન્ટ્સ અને પેકેજિંગ મટિરિયલ પર ઊંચા આયાત શુલ્ક લાગવાના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. વેપારી
એસોસિએશનનું માનવું છે કે જો GST દર 18%થી ઘટાડીને 5% કરવામાં આવે તો ઉદ્યોગ રૂ. 1,00,000 કરોડ સુધી વિસ્તરી શકે છે.
આ પગલાથી ભારતીય બનાવટના ગુણવત્તાયુક્ત ડિટર્જન્ટ ગ્રામ્ય બજારો સુધી પહોંચી શકશે, એસોસિએશન
MSME ઉત્પાદકો વધુ ઈકોફ્રેન્ડલી ફોર્મ્યુલેશન્સ આપી શકશે. ગુજરાત જેવા રાજ્યોમાં MSME દ્વારા રોજગારની તકો વધશે અને ઉદ્યોગની વૃદ્ધિ દર (CAGR) હાલના 7%થી વધીને 10%થી વધુ થઈ શકશે. વેપારી
એસોસિએશને પોતાની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું છે કે HSN 3401 અને HSN 3402 પ્રોડક્ટ્સ પર GST દર 5% કરવો જોઈએ
તેમજ MSME માટે વિશેષ સબસિડી તથા વર્કિંગ કેપિટલ સપોર્ટ આપવો જોઈએ, એસોસિએશન
RoDTEP/SEZ યોજનાઓ હેઠળ વધુ રિબેટ્સ આપી નિકાસ પ્રોત્સાહન કરવું જોઈએ તથા લાઇસન્સિંગ માટે સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા રેડ ટેપ દૂર કરવો જોઈએ. એસોસિએશન
બાઈટ. નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન
જીગ્નેશ ભીમાણી. વેપારી
વિશાલ મહેશ્વરી. વેપારી
ચિંતલ પટેલ. વેપારી
સલગ. Gst રજુઆત
ફીડ. લાઈવ કીટ
5
Report
PAParakh Agarawal
FollowSept 01, 2025 16:30:50Ambaji, Gujarat:
અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે પ્રથમ દિવસ સુખદ રીતે પસાર થયો છે ત્યારે અંબાજી મંદિરની અનોખી લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે જે શ્રદ્ધાળુઓને દૂરથીજ આકર્ષિત કરે છે આજે પ્રથમ દિવસે રાત્રી સમયનો આકાશી નજારો સામે આવ્યો છે જે ડ્રોન દ્વારા શૂટ કરાયેલા આ દ્રશ્યો અતિ મોહક લાગે છે ને આ દ્રશ્યો જોતાજ મંદિરમાં જવાની ઈચ્છા થઇ જાય તેવા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે ત્યારે આજે પ્રથમ દિવસની વાત કરીએ તો મેળાના પ્રથમ દિવસે 3.7 લાખ શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શનનો લાભ લીધો છે મંદિર માંથી 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે ને નિઃશુલ્ક ભોજનાલયમાં 45 હજાર શ્રદ્ધાળુઓ એ ભોજનનો લાભ લીધો છે અને 22 હજાર જેટલા મુસાફરો એ એટી સુવિધાનો લાભ લીધો છે આ મેળો સ્વચ્છતા એજ સેવા ની થીમ ઉપર યોજાઈ રહ્યો છે ત્યારે અંબાજી શહેરને સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મુકવામાં આવ્યા છે જોકે આજે મેળાના પ્રથમ દિવસે પોલીસમાં કોઈજ પ્રકારની ઘટના નોંધવા પામેલ નથી મેળાનો પ્રથમ દિવસ સુખદ રૂપે પાસાર થયો છે ત્યારે મેળાના સાતે દિવસ આજ રીતે શાંતિ પૂર્ણ પસાર થશે તેમ જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું
બાઈટ-1 મિહિર પટેલ (કલેકટર)બનાસકાંઠા
બાઈટ-2 પ્રશાંત સુમ્બે (જિલ્લા પોલીસવડા) બનાસકાંઠા
અપર સ્ક્રોલ-
અંબાજી મેળામાં પ્રથમ દિવસે 3.70 લાખ શ્રદ્ધાળુઓ એ દર્શન કર્યા
જયારે મંદિર ના શિખરે 140 ધજા રોહણ થયું
મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર 29.44 લાખની અવાક નોંધાઈ
6
Report
CPCHETAN PATEL
FollowSept 01, 2025 16:30:44Surat, Gujarat:
સુરત બ્રેકીંગ
રેલવે એસ ઓ જી પોલીસે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો
3,65,000 ની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પડાયો
રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચન્દ્ર ગોડા ની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી
પોલીસે તેની તલાસી લેતા 36.525 kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરી
રેલ્વે એસ ઓ જી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ 3,70,750 નો મુદ્દા માલ કબજે કર્યો
બાઈટ - એચ ડી વ્યાસ ,પી આઈ રેલવે પોલીસ
6
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 01, 2025 15:15:46Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.
વેલનાથ આશ્રમ સામતપરના પાટીયા પાસે યોજાઈ ૪૦ ગામોની બેઠક.
31 ઓગસ્ટ એટલે વિમુક્ત વિચરતીનો જાતિનો આઝાદી દિવસ.
અંગ્રેજોના ગુલામોમાંથી વિમુક્ત વિચરતી જાતિઓને મળી હતી આઝાદી.
સુરેન્દ્રનગર વિસ્તારમાંથી 40 ગામથી વધારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
સરકાર દ્વારા અનામત તથા સરકારી સહાય મળી રહે તે માટે મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડવા કરી અપીલ.
જેમાં શિક્ષણ, વ્યસન, સરકારી સહાય જેવા અનેક મુદ્દાઓને લઈને લોકો એકઠા થયા.
આગામી સમયમાં સહાય માટે ચુંવાળીયા કોળી સમાજ કરશે મુખ્યમંત્રી સુધી રજૂઆત.
કામ ન કરનાર નેતાઓ અને આગેવાનોને કામ કરવા કરી ટકોર.
આવનારા સમયમાં ચુંવાળીયા કોળી સમાજની નોંધ લેવામાં નહીં આવે તો ૨૦૨૭ માં જડબાતોડ જવાબ આપશે.
5
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 01, 2025 15:15:29Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામે પતિએ આવેશમાં આવી પત્નીની હત્યા કરી
ટીંબા ગામના માર્ગે આવેલ ખેતરમાં પરપ્રાંતીય પરિવારનો માળો વિખાયો
મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર પતિએ પથ્થરો થી પત્નીને માર મારતા પત્નીનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું
ઘટના બાદ પુત્ર જાગી જતા સમગ્ર ઘટના ઉજાગર થઈ
પતિની મગજ ની દવા ચાલતી હોવાનું વાત પણ જાણવા મળી
છૂટી ઈટ અને પથ્થરના પૂર્વક ઘા કરી ત્રણ સંતાનોની માતાને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી
મૃતક પત્નીની લાશને પીએમ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલે લાવવામાં આવી
પોલીસે ઘટના સ્થળે પહોંચી નિવેદનો લઇ તપાસ શરૂ કરી
6
Report
DRDarshal Raval
FollowSept 01, 2025 15:15:21Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા વસ્ત્રાપુર
વસ્ત્રાપુર ગણેશ પંડાલમાં બાપાના શરણે આવી પહોંચ્યા ગૃહમંત્રી
ઓપરેશન સિંદુર થીમ પરથી બનાવવામાં આવ્યો છે પંડાલ..
સાથે જ એક પેડ માં કે નામ ના સ્લોગન પણ મૂર્તિ પર ઉલ્લેખ
ઓપરેશન સિંદુર અને વૃક્ષો વાવો ના થીમ છે તૈયાર કરાયું છે ગણેશ પંડાલ
સરદાર પટેલ સેવાદળ દ્વારા વસ્ત્રાપુરમાં આયોજન કરાયું ગણેશ મહોત્સવનું
છેલ્લા 40 વર્ષથી આયોજન કરવામાં આવે છે ગણેશ મહોત્સવનું
આ વર્ષે પણ ટ્રેન્ડિંગ થીમ મુજબ આયોજન કરાયું
કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ દર્શનાથે પહોચ્યા વસ્ત્રાપુર
ગૃહ મંત્રી વસ્ત્રાપુર બાદ શ્યામલ કા રાજા અને મણિનગર. ખોખરા. બાપુનગર અને સૈજપુરમાં પણ આપી હાજરી
અગાઉ વસ્ત્રાપુર ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અને રાજ્યના મુખ્ય મંત્રી પણ હાજરી આપી કરી ચુક્યા છે દર્શન
ગૃહ મંત્રી સાથે શહેર પ્રમુખ. કોર્પોરેટર. કાર્યકર અને લોકો જોડાયા
9
Report
AKAshok Kumar
FollowSept 01, 2025 14:47:47Junagadh, Gujarat:
એન્કર
અંતે જવાહર ચાવડાએ તોડ્યું મૌન
બેરોજગાર અભિયાન અંતર્ગત કરાયા હતા આક્ષેપ
મારુ અભિયાન યોગ્ય લાગી રહ્યું છે જવાહર ચાવડા
મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે પૂર્વ કેન્દ્રીય મંત્રી
સમય આવીએ બધાને જવાબ મળી જશે : જવાહર ચાવડા
માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ
ત્રણ દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા
બેરોજગાર યુવાનોની જાણશે વ્યથા
બાઈટ જવાહર ચાવડા
પૂર્વ મંત્રી ધારાસભ્ય
જવાહર ચાવડા નિવેદન સામે ધારાસભ્યનો વળતો પ્રહાર
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વળતો જવાબ
બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ હોવાનો આક્ષેપ
કોઈના પેટમાં તેલ રેડાયું નથી... આ રાજકીય સ્ટંટ છે
બધાને ખબર છે કે અત્યારે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે
રાજકીય નાટક બાજી કરી રહ્યા છે જવાહર ચાવડા
તેના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેનું સ્થાન હોય
સૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે
અમારી વચ્ચે કોઈ સમાધાન થવાનો પ્રશ્ન જ નથી
બાઈટ અરવિંદ લાદાણી
ધારાસભ્ય માણાવદર મતવિસ્તાર
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનો જવાબ
જવાહર ચાવડાના નિવેદન સામે આપ્યો જવાબ
તેલ તો એના પેટમાં રેડાયું છે... જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે
જૂનાગઢ જિલ્લામાં તેઓ પોતાનો દબદબો બનાવી ન શક્યા એટલે હવાતિયાં કરી રહ્યા છે
ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે જ રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ
કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી
બાઈટ દિનેશ ખટારીયા
સાવજ ડેરી ચેરમેન
અશોક બારોટ
જુનાગઢ
12
Report
URUday Ranjan
FollowSept 01, 2025 14:47:14Ahmedabad, Gujarat:
Slug : 0109ZK_LIVE_AHD_NAROL_MURDER
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0109ZK_LIVE_AHD_NAROL_MURDER
Date : 01 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર :
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી. ચાર શખ્સોએ સોસાયટીના ગેટ પર ઉભા રહી એક પરિવારના ત્રણથી ચાર સભ્યો પર હુમલો કર્યો હતો, જે હુમલામાં આધેડનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.
વિઓ : 01
નારોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ વિનય યાદવ, અભિષેક રાજપૂત અને સાહિલ યાદવ છે. આરોપીઓએ ભેગા મળીને 31 ઓગસ્ટના રાતના સમયે નારોલ વિસ્તારમાં આવેલા રાધે હોમ્સ ખાતે એક પરિવાર પર હુમલો કર્યો હતો. જાહેરમાં છરી ઉપરા છાપરી હુમલો કરવામાં આવતા નીરજ કુમાર ભૂમિહાર, તેઓના દીકરા સત્યમ અને ભત્રીજાને ઇજાઓ થઈ હતી. જે બાદ ત્રણેની સારવાર માટે લઈ જવામાં આવતા સારવાર દરમિયાન નીરજકુમાર ભૂમિહારનું મોત થયું હતું. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે ગુનામાં સામેલ ચાર આરોપીઓમાંથી આ ત્રણ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.
બાઈટ: પ્રિન્સ ભૂમિહાર, મૃતકના પુત્ર
બાઈટ: મનીરાજ ચૌધરી, મૃતકનો ભત્રીજો
વિઓ : 2
પોલીસની તપાસમાં સામે આવ્યું કે નીરજકુમાર ભૂમિહારની દીકરી આ ગુનાના મુખ્ય આરોપી વિનય યાદવના મિત્ર આદિત્ય સાથે ફોન પર વાતચીત કરતી હતી. જેના કારણે તેના પ્રેમ સંબંધની આશંકાએ નીરજકુમાર ભૂમિહારના પુત્ર દ્વારા આદિત્યને ઠપકો આપવામાં આવ્યો હતો. જે બાબતની જાણ આદિત્યએ તેના મિત્ર વિનય યાદવને કરી હતી. વિનય તે બાબતનો બદલો લેવા માટે પોતાના મિત્રો અભિષેક રાજપૂત, સાહિલ યાદવ અને બીપીન યાદવ સાથે મળીને નીરજકુમાર ભૂમિહારની સોસાયટીમાં જઈને જીવલેણ હુમલો કર્યો હતો.
બાઈટ: યુવરાજસિંહ ગોહિલ, ACP, કે ડિવિઝન, અમદાવાદ
વિઓ : 03
હાલ તો નારોલ પોલીસે ગુનામાં સામેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર આરોપી બીપીન યાદવને પકડવા ટીમો કામે લગાડી છે. ખરેખર હત્યા પાછળ ઠપકો આપવા જેવી સામાન્ય બાબત છે કે પછી અન્ય કોઈ તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
11
Report
URUday Ranjan
FollowSept 01, 2025 14:37:22Ahmedabad, Gujarat:
Slug : 0109ZK_LIVE_AHD_BOPAL_BABAL
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0109ZK_LIVE_AHD_BOPAL_BABAL
Date : 01 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર :
અમદાવાદ ના જાણીતા બિલ્ડર પર પૈસાની લેતીદેતી મામલે લેબર કોન્ટ્રાકટર ને માર માર્યાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે .... બોપલ પોલીસે બિલ્ડર ના ચાર માણસો ની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે
વીઓ-1
આપની ટીવી સ્ક્રીન પર જે વ્યક્તિ પોતાના શરીર પર વાગ્યા નિશાન દેખાડી રહ્યા છે તે વ્યક્તિ નું નામ છે મુકેશ પરમાર અને જે 30 વર્ષ થી લેબર કોન્ટ્રાક્ટર નો વ્યવસાય કરે છે ત્યારે તમને સવાલ થઇ રહ્યો છે કે આવો અને આટલો બધો માર કોણે અને શુકામ માર્યો છે તો વાત કરી એ ફરિયાદી મુકેશ પરમાર ના ફરિયાદ કરેલ આક્ષેપ મુજબ તો અમદાવાદ ના જાણીતા બિલ્ડર વિશ્વનાથ બિલ્ડર ની શેલા બોપલ માં આવેલ સારથ્ય વેસ્ટ નામની એક ફ્લેટ બિલ્ડીંગ કન્ટ્રાકશન ચાલી રહ્યું છે ત્યાં ફરિયાદી મુકેશ પરમાર છેલા બે વર્ષ થી ફ્લોરિંગ નું લેબર કોન્ટ્રાકટર તરીકે કામ છે જેનું અત્યાર સુધી માં 3 કરોડ નું કામ કરવા માં આવ્યું છે જેમાં થી દોઢ કરોડ લેવા ના બાકી નિકળતા હતા જે વારંવાર મુકેશ પરમાર ઉઘરાણી કરી રહ્યા હતા પણ વિશ્વનાથ બિલ્ડર ના માલિક હિતેશ વ્યાસ અને સ્વાગત વ્યાસ યોગ્ય જવાબ ન આપી રહ્યા હતા જેને કારણે લેબર કોન્ટ્રાકર ફરિયાદી મુકેશ પટેલે બિલ્ડિંગ સાઇટ પર પોતાના કારીગરો ને બિલ્ડર પૈસા ના આપે ત્યાં સુધી કામ બંધ કરવા સૂચના આપી હતી જેને લઈ ને બિલ્ડર ના માણસો એ લેબર કોન્ટ્રાકર મુકેશ પરમાર સહિત ના બે લોકો ને ઢોર માર મારવા માવ્યો હતો
બાઈટ : આસ્થા રાણા , ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 02
ફરિયાદી મુકેશ પરમાર ના જણાવ્યા અનુસાર જે છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સાઈડ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. શેલામાં નવી બની રહેલી વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઈટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મુકેશ પરમારને આપેલો હતો આ કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચુકવણી કરવામાં નહોતી આવી જેના કારણે જો પેમેન્ટ નહીં આવે તો સાઈટ ઉપર કામ બંધ કરવાની કીમકી કોન્ટ્રાક્ટર તેમજ ફરિયાદી મુકેશ પરમારે ઉચ્ચારી હતી અને તેમના કારીગરોને આ બાબતે સમજાવટ કરવા માટે જ્યારે મુકેશ પરમાર સાઈટ પર પહોંચ્યા ત્યારે બિલ્ડરના ચાર માણસોએ મુકેશ પરમારને ઢોર માર માર્યો હતો જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
બાઈટ - આસ્થા રાણા , DYSP , અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 03
હાલ તો સમગ્ર મામલે હાલ તો સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ નોંધ ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ જગદીશ ઠાકોર સહિત ચાર આરોપીઓને બોપલ પોલીસે ધરપકડ કરે છે અને આરોપીઓએ કોના કહેવાથી ફરિયાદીને માર માર્યો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે..
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
12
Report
NJNILESH JOSHI
FollowSept 01, 2025 13:31:36Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના અરનાલામાં આજે કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા ..જોકે ખેડ સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ પહોંચતા જ વાપીના નાની તંબાડી ગામના લોકોએ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી ઉગ્ર વિરોધ કર્યો હતો..અને કોંગ્રેસ અગ્રણીઓ ને રજૂઆત કરી આવા વિવાદાસ્પદ પ્રમુખને હટાવવાની માંગ કરી હતી.. વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભુમાફિયા હોવાના આક્ષેપ કર્યા હતા.આથી માહોલ ગરમાયો હતો . આ મામલે જે કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ થયા છે તેમણે પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા ..પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ મામલાને ગંભીતાથી લઈ આ મામલે વિરોધ કરી રહેલા લોકો ને મળી હકીકત જાણી બે દીવસ માં નિર્ણય કરવાની ખાત્રી આપી હતી .આંબ કોંગ્રેસના જ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી પર બુટલેગર અને ભુમાફિયા હોવાના લાગેલા આક્ષેપોને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું...
બાઈટ:કિરણ પટેલ વિરોધ કરી રહેલ , નાની તંબાડી
બાઈટ: કલ્પેશ પટેલ પ્રમુખ , વાપી તાલુકા કોંગ્રેસ
બાઇટ: અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ
3
Report
NJNILESH JOSHI
FollowSept 01, 2025 13:31:32Vapi, Gujarat:
વલસાડ જિલ્લા ના પારડી ના અરનાલા ગામમાં આજે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી. કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ રેલી માં કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , ધારાસભ્ય અનંત પટેલ સહીત વલસાડ જિલ્લા કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે પહેલી સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી નું આયોજન કરવામાં આવે છે.. આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરો ની હાલત દયનીય હતી.જેઓ અહી ના માલેતુજારો ની જમનીમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા..આથી વર્ષ 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઇશ્વરભાઇ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ યોજાયો હતો આ સત્યાગ્રહ ને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે . 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યાર બાદ દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધી ના હસ્તે અહીંના ખેત મજૂરોને 14 હજાર હેક્ટર જેટલી જમીનના હક મળ્યા હતા..આથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કોંગ્રેસે પરંપરા પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ ના ઇતિહાસ ને યાદ કર્યો હતો. સંબોધનમાં કોંગ્રેસ ના અગ્રણીઓએ વર્તમાન સમયમાં ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો દયનિય હાલતમાં હોવાના આક્ષેપ કર્યો હતા..કેન્દ્ર સરકારની નીતિ થી ખેડૂતો ને ખેતપેદાશો ના પૂરતા ભાવ નહિ મળતા હોવાથી ખેડૂતો નું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરી આગામી સમયમાં ખેડૂતો ને ખેત પેદાશો ના પુરતા ભાવ મળે તે માટે કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લામાં થી આંદોલન સરું કરશે તેવું જાહેર કરી કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દે આક્ષેપો કર્યા હતા....
બાઈટ: 1 અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ
લોકેશન: વલસાડ
1
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 01, 2025 12:31:10Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામેના તત્વ આર્કેટમાં બબાલ
મહેસાણા જિલ્લાના યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ યુવક ને માર માર્યો
યુવતીના પરિવારજનો યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી
લગ્ન નોંધણી કરાવવા આવેલા યુવતીના પરિજનોએ યુવકને માર માર્યો
8
Report
CPCHETAN PATEL
FollowSept 01, 2025 12:21:22Surat, Gujarat:
સુરત બ્રેક
સુરત શહેરમાં બપોર બાદ વરસાદ
સીટી લાઈટ, નાનપુરા, અથવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ
વરસાદ પડતાં લોકોમાં ખુશીની લહેર
વરસાદે વિરામ લેતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું
હવામાન વિભાગ દ્વારા સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે
માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે
વોક થ્રુ ચેતન
6
Report