Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

બ્રિજના નિર્માણમાં બેદરકારીથી 12 વર્ષના બાળકનું દુઃખદ મૃત્યુ!

LJLakhani Jaydeep
Jul 09, 2025 18:30:23
Dwarka, Gujarat
વીઓ :- દેવભૂમિ દ્વારકા ના ઓખા રેલવે સ્ટેશન નજીક નવા બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન થયેલી ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ ૧૨ વર્ષના બાળક અઝહરુદ્દીન અકબરભાઈ સુરાણીનું કરુણ મૃત્યુ થયું છે. રેલવે કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહીના કારણે અઝહરુદ્દીન ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં પડી ગયો અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈપણ પ્રકારની સુરક્ષા બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા. આવી ગંભીર બેદરકારીના પરિણામે અઝહરુદ્દીન ખાડામાં પડી ગયો હતો. ઘટના બન્યા બાદ તરત જ તેને મીઠાપુરની ટાટા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના પરિવારમાં ઊંડો શોક વ્યાપ્યો છે, અને સ્થાનિક લોકો દ્વારા રેલવે તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે તેમની ઘોર બેદરકારી બદલ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બાઈટ :- પાલ આંબલિયા પ્રમુખ જિલ્લા કોંગ્રેસ દ્વારકા
16
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top