Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં શાળાના કૌભાંડનો પર્દાફાશ, ૩.૮૭ લાખની ઉચાપત!

PDPRASHANT DHIVRE
Jul 16, 2025 08:31:34
Surat, Gujarat
અપ્રૂવલ:વિશાલ ભાઈ એંકર:સુરત મહાનગરપાલિકા (મનપા) સંચાલિત કઠોદરાની પ્રાથમિક શાળા ક્રમાંક ૩૮૫માં સિક્યુરિટી ગાર્ડની નિમણૂકમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. એક ગાર્ડની જગ્યાએ ત્રણ ગાર્ડ બતાવીને નવ મહિનાના ગાળામાં રૂપિયા ૩.૮૭ લાખની ઉચાપત કરવામાં આવી હતી.આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ ઓન-પેપર સંચાલક દિલીપ દ્વિવેદી પોતાની અડાજણ સ્થિત ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયો છે. વીઓ:1 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા ગયા મહિને કઠોદરાની આ શાળામાં કરાયેલા ઇન્સ્પેક્શન દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. શાળાના રજિસ્ટરમાં માત્ર ગુણવંત ગોકુળ ભૂવા નામના સિક્યોરિટી ગાર્ડની જ સહી જોવા મળી હતી. જોકે, શાળામાં સિક્યોરિટી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી શક્તિ સિક્યોરિટી દ્વારા અહીં શિફ્ટ વાઈઝ ત્રણ ગાર્ડ્સ નોકરી કરતા હોવાના બિલ મૂકીને મનપા પાસેથી નાણાં પડાવી લેવામાં આવ્યા હતા. બાઈટ: રાજેન્દ્ર કાપડિયા (મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન) વીઓ:2 તપાસમાં બહાર આવ્યું કે શક્તિ સિક્યોરિટી દ્વારા જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન ગુણવંત ભૂવા સાથે મહેશ બાબુ બાબરીયા અને યોગેશ ગંગારામ પટેલ ફરજ પર હોવાનું બિલ મુકાયું હતું. સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન અતુલ બટુક ગજેરા અને યોગેશ ગંગારામની ડ્યુટી બતાવવામાં આવી હતી. ૨૦૨૫ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગુણવંત ઉપરાંત પૂના કર્મા ભરવાડ અને અમિત સંતકુમાર દહિયા, જ્યારે માર્ચ મહિનામાં ગુણવંતની સાથે પૂના ભરવાડ અને ઉદેસિંહ કેદારસિંહ બિષ્ટની નોકરી હોવાનો કાગળ પર ખેલ કરવામાં આવ્યો હતો. બાઈટ: રાજેન્દ્ર કાપડિયા (મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન) વીઓ:3 મહિના સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. તેમણે શાળાના આચાર્ય અને અન્ય કર્મચારીઓ તેમજ એકમાત્ર વોચમેન ગુણવંતભાઈની જુબાની લીધી હતી.આ તપાસમાં પુરવાર થયું કે છેલ્લા નવ મહિનાથી માત્ર ગુણવંત ભૂવા જ શાળામાં ફરજ બજાવતા હતા.વધારાના બે ગાર્ડની ડ્યુટી બતાવીને શક્તિ સિક્યોરિટી દ્વારા નવ મહિનામાં મનપા પાસેથી રૂપિયા ૩.૮૭ લાખ વધુ પડાવી લઈ કૌભાંડ કરવામાં આવ્યું હતું. બાઈટ: રાજેન્દ્ર કાપડિયા (મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન) વીઓ:4 આ ગંભીર કૌભાંડ બદલ શાસનાધિકારી મેહુલ શાંતિલાલ પટેલ પોતે ફરિયાદી બન્યા હતા અને લસકાણા પોલીસ મથકે શક્તિ સિક્યોરિટીના સંચાલક દિલીપ દ્વિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ગુનો નોંધાતા જ દિલીપ દ્વિવેદી પોતાની અડાજણ આર.ટી.સી. બિલ્ડિંગ સ્થિત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા દિલીપ દ્વિવેદીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
3
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top