Back
અમરેલીમાં ટેરીફ વિરુદ્ધ રોષ: ટ્રમ્પના ટેરીફ ટેરેરીઝમ સામે જનતા એકઠી થાય છે!
KBKETAN BAGDA
Aug 11, 2025 09:06:32
Amreli, Gujarat
સ્લગ - ટેરીફ વિરોધ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડિયા પાસ
તારીખ - 11/8/25
એન્કર.....
અમેરિકા દ્વારા ભારત પર નાખવામાં આવેલા ટેરીફ સામે અમરેલીમાં રોષ ફાટી નીકળ્યો છે.. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, પુર્વ સાંસદ નારણ કાછડીયા તેમજ પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરત કાનાબાર ની આગેવાનીમાં અમરેલીના રાજકમલ ચોકમાં અમેરીકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી..
વિઓ - 1
ડોનાલ્ડ ટ્રંપના ટેરીફ ટેરેરીઝમ સામે દેશભરમાં હવે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે.. અમરેલીમાં આજે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી ની આગેવાનીમાં એક વિશાળ રેલી નીકળી હતી.. ટ્રંપ અને અમેરિકા વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.. દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે ટ્રંપ દ્વારા ભારતની પ્રગતિ ને અવરોધવા નો પ્રયાસ છે.. ભારતીયો જાગે અને અમેરીકન ઉત્પાદનોના બહિષ્કારની અપીલ કરી હતી..
બાઈટ - 1 - દીલીપ સંધાણી ( ચેરમેન, ઈફ્કો )
વિઓ - 2
અમરેલી શહેરમાં આજે અમેરીકન ઉત્પાદનો વિરુદ્ધ વિશાળ રેલી બાદ રાજકમલ ચોકમાં અમેરીકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી.. ડો. ભરત કાનાબાર એ જણાવ્યું હતું કે અમેરિકા ના ઉત્પાદનો નો વપરાશ ટાળવો જોઈએ.. ટ્રંપ દ્વારા ભારતને દબાવવાનો આ પ્રયાસ સફળ નહી થાય..
બાઈટ - 2 - ડો. ભરત કાનાબાર ( પુર્વ, જીલ્લા ભાજપ પ્રમુખ )
બાઈટ -3 - નારણ કાછડીયા ( પુર્વ સાંસદ )
ફાઇનલ વિઓ......
અમેરિકાના ટેરીફ વિરુદ્ધ અમરેલી થી શરૂ થયેલ આ વિરોધ હવે ક્યાં સુધી પહોંચે છે તે સમય બતાવશે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowAug 11, 2025 11:35:06Surat, Gujarat:
એન્કર :
શહેરમાં મોબાઈલ,સોનાની ચેન,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા બે રીઢા આરોપીઓને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસ તપાસમાં ચોકબજાર પોલીસ ચોપડે નોંધાયેલા પર્સ સ્નેચિંગ ના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.જ્યાં આરોપીઓ પાસેથી રોકડ રકમ,મોબાઈલ, દિહાર્મ સહિત 39 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના ચૌદ જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચુક્યા છે.જ્યારે અન્ય એક આરોપી વિરુદ્ધ પણ ગંભીર પ્રકારના ગુનાઓ શામેલ છે.
વી ઓ 1 :
શહેરમાં સ્નેચરો નો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે.સ્ટેશન થી ઓટો રીક્ષામાં દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું.જે વેળાએ મોટર સાયકલ પર આવી ચઢેલા બે ઈસમોએ દંપતીના હાથમાંથી રોકડ રકમ,બે મોબાઈલ,દિહાર્મ સહિત 39 હજારની મત્તા ભરેલ પર્સ ની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા.5 ઓગસ્ટના રોજ બનેલી ઘટના ને લઈ ચોકબજાર પોલીસ મથકમાં દંપતીએ ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટ ની મોટર સાયકલ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી.જો કે હ્યુમન સોર્સ ના આધારે બે સ્નેચરો ને ભેસ્તાન આવાસ થી પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભેસ્તાન આવાસમાંથી પોલીસે અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ કરી હતી.જે આરોપીઓની આકરી ઢબે પૂછપરછ કરતા ચોકબજાર પોલીસે ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી 250 દિહાર્મ ,બે મોબાઈલ સહિત 39 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી અશપાક વિરુદ્ધ મારામારી,ચોરી,સ્નેચિંગ સહિત ચૌદ ગુન્હા ભુતકાળમાં શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.જ્યારે ત્રણ વખત પાસા ની કાર્યવાહી પણ થઈ ચૂકી છે.આ સાથે આરોપી મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી,સ્નેચિંગ સહિત 6 ગુન્હા પણ શામેલ છે. ઉધના,ડીંડોલી,પાંડેસરા,ભેસ્તાન,પુણા જેવા પોલીસ સ્ટેશનોમાં આરોપીઓ વિરુધ સ્નેચિંગ ના વિવિધ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જે ગુન્હામાં અગાઉ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે.
આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે,આરોપીઓ રાત્રિ દરમ્યાન સોસાયટી અથવા રોડ પર પાર્ક કરેલી મોટર સાયકલની ની ચોરી કરતા હતા.ચોરીની મોટર સાયકલની આગળ ની નંબર પ્લેટ તોડી નાખતા હતા.જ્યારે પાછળ ની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા હતા.જેથી કરી ખાનગી અથવા શહેર પોલીસ ન cctv કેમેરાથી પણ બચી શકાય.જે બાદ ચોરીની મોટર સાયકલ પર મોબાઈલ,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા હતા.ગુનાને અંજામ આપી જે જગ્યાએથી મોટર સાયકલની ચોરી કરતા,ત્યાં ફરી મોટર સાયકલ મૂકી ફરાર થઈ જતા હતા.
બાઈટ :પિનાકીન પરમાર (ડીસીપી સુરત પોલીસ)
વી ઓ 2 : મહત્વનું છે કે ઝડપાયેલા બંને સ્નેચરોનો ગુનાહિત ઇતિહાસ પંકાયેલો છે.અશપાક વિરુદ્ધ ભૂતકાળમાં શહેર પોલીસ ચોપડે ચૌદ જેટલા સ્નેચિંગ ના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જ્યાં વધુ ગુન્હા ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.જે આરોપીઓ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.જ્યાં રિમાન્ડ દરમ્યાન અન્ય ગુન્હા.ઉકેલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
....
સુરત બ્રેક
સુરત માં સ્નેચરો નો આતંક,
5 ઓગસ્ટ ના રોજ ચોકબજાર વિસ્તારમાં થયેલી પર્સ સ્નેચિંગ નો ગુન્હો ઉકેલાયો,
દંપતી ઓટો રીક્ષામાં સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા,
જે વેળાએ મોટર સાયકલ પર આવેલ બે ઈસમોએ પર્સ ની સ્નેચિંગ કરી હતી,.
જે પર્સમાં 250 દિહાર્મ,મોબાઈલ,પાસપોર્ટ સહિત રોકડ રકમ શામેલ હતી,
ગુનાને ઉકેલી કાઢવા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી હતી,
તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટ ની મોટર સાયકલ લઈ આવ્યા હતા,
જે આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી,
જો કે હ્યુમન સોર્સ ના આધારે બે સ્નેચરો ને ભેસ્તાન આવાસ થી પોલીસે ઝડપી પાડ્યા
અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ
આરોપી અશપાક વિરુદ્ધ મારામારી,ચોરી,સ્નેચિંગ સહિત ચૌદ ગુન્હા શામેલ
ત્રણ વખત પાસા ની કાર્યવાહી
મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી,સ્નેચિંગ સહિત 6 શામેલ
આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી,
રાત્રિ દરમ્યાન સોસાયટી અથવા રોડ પર પાર્ક મોટર સાયકલની ની ચોરી કરતા,
ચોરીની મોટર સાયકલની આગળ ની નંબર પ્લેટ તોડી નાખતા,
પાછળ ની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા,
જે બાદ ચોરીની મોટર સાયકલ પર મોબાઈલ,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા,
જે જગ્યાએથી મોટર સાયકલની ચોરી કરતા,ત્યાં ફરી મોટર સાયકલ મૂકી ફરાર થઈ જતા,
વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી
બાઈટ :પિનાકિન પરમાર (ડીસીપી સુરત પોલીસ)
7
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 11:19:29Ahmedabad, Gujarat:
અમદાવાદ
વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી ની પ્રેસ
સમગ્ર દેશ ને વોટ ચોરી એ હચમચાવી દીધું છે
દેશ માં પડકારજનક વોટ ચોરી જોવા મળી છે
ભાજપ સરકાર અને તેના માળિયાતા અલગ રીતે વોટ ચોરી કરવામાં આવતી હતી
વિવિધ મતક્ષેત્ર માં નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ 6 નો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો
દેશ સમક્ષ આ તમામ વોટ ચોરી નો મુદ્દો મૂકવામાં આવ્યો હતો
ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય
કોંગ્રેસ ના નેતા ચૂંટણી પંચ ને સવાલ કરે અને ભાજપ જવાબ આપે છે
સાંસદ થી લઈ ને ચૂંટણી પંચ સુધી પદયાત્રા કરી ચૂંટણી પંચ ને ફરિયાદ કરવાના હતા
કેન્દ્ર ના હેઠળ આવતી દિલ્હી પોલીસે તેમની અટકાયત કરવામાં આવી
બાઇટ
મનિષ દોશી
પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
9
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 11:16:59Ahmedabad, Gujarat:
આર પી પટેલના નિવેદન પર પાટીદાર મહિલા અગ્રણી ગીતા બેન પટેલની પ્રતિક્રિયા
આજના સમયમાં ત્રણથી ચાર બાળકો પેદા કરવા ખુબ અઘરા
આર પી પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય
ગામડામાં રહેતા અને ત્રણથી ચાર વિઘા જમીન ધરાવતા પરિવારને ચાર બાળકો કઇ રીતે પોષાય
આજના સમયમાં એક કરાતાં વધારે બાળક હોય તો તેની પાછળ અનેક ખર્ચા
આર પી પટેલને સરકાર તરફ થી ડર છે કે રાજકીય તાકાત ઘટશે
આર પી પટેલનુ નિવેદન સમાજ નિતિ વાળું છે કે રાજનિતિ વાળું?
ત્રણ થી ચાર બાળકો પેદા કરવા એ મંચ પર થી બોલવું સહેલું
આજથી ૨૦ વર્ષ બાદ અભ્યાસ રોજગાર અને બીજા ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ
કાકા મામા અને બીજા સંબંધો માટે ચાર સંતાનોનો વિચાર કેટલો યોગ્ય
તમે એ મહિલાનો વિચાર કર્યો છે કે તે ચાર સંતાનને કઇ રીતે જન્મ આપશે
સમાજના મંચ પર થી સમાજની ચિંતા કરવી જોઇએ
આજે યુવાનો નશો ઓનલાઇન ગેમ બે રોજગાર થી પીડાય છે તેની ચિંતા જરૂરી
પાટીદાર યુવાનો ધંધા રોજગાર માટે પરેશાન તેની ચિંતા જરૂરી
સમાજમાં દિકરા દિકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી
શા માટે દિકરીનો ભાગીને લગ્ન કરે છે તેની ચીંતા કરો
રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો-એવુ ક્યારેય ન થાય
આપણે બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તે ચિંતા કરવાની છે
એક વાર એવું પણ નિવેદન આપેલું કે દિકરીઓ રિવોલ્વોર રાખવાની જરૂર છે
દિકરીઓની સુરક્ષા ની ચિંતા છોડી આડા પાટે ચઢવાની જરૂર નથી
ચાર બાળકો પૈકી કરી રસ્તા પર ભીખ મંગાવવાની
હિન્દુ સનાતન ની વાત યોગ્ય પણ તેન માટે ચાર બાળક પેદા કરવાના?
ચાર બાળકોને જન્ય આપ્યા બાદ તેમની જવાબદારી કોની
સરકારમાં એની રજુઆત કરવી જોઇએ કે બાળકોને મફત ભણાવો તેમના રોજગાર ની વ્યવસ્થા કરો
હું એક માતા તરિકે નથી ઇચ્છતી કે મારી કુખે દિકરી જન્મે કેમકે તે સુરક્ષીત નથી
વન ટુ વન ગીતા પટેલ
પાટીદાર અગ્રણી
5
Report
DRDarshal Raval
FollowAug 11, 2025 11:16:54Ahmedabad, Gujarat:
અમદાવાદ
નહેરુનગર ઝાંસીની રાણી અકસ્માત મામલો
અકસ્માત સર્જનાર કાંકરિયા માં રહેતો રોહન સોની હોવાનું આવ્યું સામે
રોહન તેના માતા પિતા અને નાની બહેન સાથે રહે છે
કાંકરિયા માં કનક સોસાયટીમાં રહે છે રોહન
રોહન કોલેજના બીજા વર્ષમાં સિલ્વર ઓક કોલેજમાં bba માં કરે છે અભ્યાસ
રોહન તેના મિત્રો સાથે બર્થ ડે પાર્ટીમાં ગયો હતો
પાડોશીઓનો દાવો રોહન એક સારો અને વ્યવસ્થિત છોકરો છે
ઘટનાની જાણ થતા પાડોશીઓ પણ ડરી ગયા
રોહનની બહેને પણ આપી પ્રતિક્રિયા
રોહન ક્યારેય સ્પીડમાં કાર ચલાવતો નથી અને ભૂલ કોની છે તે તપાસ થવી જોઈએ
એક્ટિવા ચાલક જેમતેમ એક્ટિવા ચલાવતા હોવા અને નશામાં હોવાના રોહનની બહેને લગાવ્યા આક્ષેપ
ઘટનામાં બને તરફી તપાસની છે જરૂર
મોડી રાતે અકસ્માતમાં એક્ટિવા સવાર અસફાક અને અકરમ નું નીપજ્યું હતું મોત
ઘટનામાં cctv ફૂટેજ પણ આવ્યા હતા સામે
વિઝ્યુલ અને 121
સલગ. આરોપી હોમ
ફીડ. લાઈવ કીટ
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 11:02:55Surat, Gujarat:
સુરત :- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ ના સૂચન નિવેદનને લઈ અલ્પેશ કથીરિયા ની પ્રતિક્રિયા
કહ્યું, તેમના આ નિવેદનને હું સમર્થન આપું છું
કુટુંબ વ્યવસ્થા નો નાશ ન થવો જોઈએ
માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજમાં વન ચાઇલ્ડ ની પોલિસી ચાલે છે,
નવદંપતી લગ્ન પછીનું ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ પ્રકારે પ્લાનિંગ કરતા હોય છે,
વન ચાઇલ્ડ ના કારણે સભ્ય સમાજ ની વ્યવસ્થાનો પણ નાશ થશે
કુટુંબ વ્યવસ્થા નો પણ નાશ થશે અને તેની ચિંતા આર.પી. પટેલે કરી છે
ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે તેની ચિંતા હમણાથી કરવી જોઈએ
કુટુંબમાં સભ્યોની સંખ્યા ઓછી હોય તો લોકશાહીમાં પ્રતિનિધિત્વ પણ નહીં મળે ,
કુટુંબ વ્યવસ્થા પણ આર્થિક રીતે પછાત થશે
કુટુંબોએ પણ ઉભરીને આગળ આવવું જોઈએ
પરિવારો પર આર્થિક બોજો ના પડે તે માટે પણ વિચારવું જોઈએ
કુટુંબ વ્યવસ્થાને લઈ તેઓએ આ નિવેદન આપ્યું છે તેવું મને લાગે છે
બાઇટ.
અલ્પેશ કથીરીયા (પાટીદાર અગ્રણી )
11
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 11:02:41Surat, Gujarat:
1108ZK_SRT_MARKETING એફટીપીમા બીજા વિડીયો અને બાઇટ
એકર
સુરત શહેરમાં સૌથી આગળ રહ્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 74 જેટલા વ્યક્તિઓ દ્વારા 224 જેટલા ઓર્ગન ડોનેટ કરવામાં આવી છે આ સાથોસાથ કેન્દ્ર સરકાર દ્વારા પણ નવી સિવિલ હોસ્પિટલને ઓર્ગન ડોનેટ અંગેની કામગીરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિવિલ દ્વારા બ્રેઇન ડેડ દર્દીઓના પરિવારજનોમાં જનજાગૃતિ લાવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે
બાઈટ..કેતન નાયક..આર.એમ.ઓ સિવિલ
આ સાથે દેશની સૌપ્રથમ ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા લોકોના ઓર્ગન ડોનેટ અંગે જનજાગૃતિ લાવવાના પણ પ્રયાસા ધરવામાં આવ્યા હતા. છેલ્લા 20 વર્ષ થી આ સંસ્થા કામ કરી રહી છે અત્યાર સુધી તેઓ દ્વારા 1336 જેટલા ઓર્ગન ડોનેટ કરાવી 1232 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ કી મેટર બીપીએલ કાર્ડ ધારકોને ફ્રી ઓફ કોસ્ટમાં કિડની અને લીવર ટ્રાન્સલેટ થઈ શકે છે. લો ઇન્કમ ગ્રુપના લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ના 50% લેવામાં આવે છે. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત કરી આપવામાં આવે છે. આ ઉપરાંત સીએમ અને પીએમ ફંડ માંથી પણ લાભ આપવામાં આવે છે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે સાડા સાત લાખ રૂપિયા રાજ્ય સરકાર આપતી હોય છે
બાઈટ..નિલેશ માડલેવાલા..ડોનેટ લાઈફ ફાઉન્ડર
12
Report
AKAshok Kumar
FollowAug 11, 2025 10:49:31Junagadh, Gujarat:
બ્રેકીંગ......
વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે
આપ નેતા રેશ્મા પટેલે આપ્યું નિવેદન,
એક કે 3 બાળકો હોવા એમાં હું સહમત નથી - રેશમા પટેલ
લોકોમાં જાગૃતતા હોવી જરૂરી , વધુ બાળકો હોવા એ પરિવાર પર આધાર છે
યુવાનોમાં બેરોજગારી વધી છે, પરિવારનું પાલન કરવું બન્યું અઘરું
બાઈટ રેશમા પટેલ
14
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 10:49:17Ahmedabad, Gujarat:
અમદાવાદ
પ્લેન ક્રેશ બાદ પ્રથમ વખત સામે આવ્યા પરિજનો
દુર્ઘટનામાં 3 થી વધુ પરિજનો ગુમાવનાર તૃપ્તિ સોની સાથે ખાસ વાતચીત
સરકારે જે રીપોર્ટ જાહેર કર્યો છે તે સવાલ ઉપજાવનારો
પાયલટનો માત્ર કેટલાક સેકન્ડનો ઓડિયો જાહેર કર્યો
બંને પાયલટ વચ્ચેનું કન્વર્જેશન. વધારે લાંબુ હશે
તપાસમાં સંપુર્ણ પારદર્શકતા રાખવી જોઇએ પિડિતોને માહીતી આપવી જોઇએ
"સમગ્ર ઘટના પ્રોડક્ટ લાયબ્લિટીની છે "
જ્યાં આ પ્રોડક્ટ બને ત્યાં જ કેસ ચાલે તો ન્યાય મળવાની શક્યતા વધુ હોય છે : તૃપ્તિ સોની
"ભારત કરતા અમેરિકામાં પ્રોડક્ટ લાયબ્લિટીના કાયદા વધુ મજબૂત છે"
પીડિત તૃપ્તિ સોની એ સરકાર અને એજન્સીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
જે સહાય જાહેર થઇ છે તે પૈકી ૨૫ લાખ રીલીઝ કરવામાં આવ્યા છે
વળતર કોઇની જીંદગી પરત નથી લાવી શકતું
વન ટુ વન તૃપ્તિ સોની
13
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 11, 2025 10:33:05Idar, Gujarat:
એપૃવ આઈડિયા
11.08.25
સાબરકાંઠા
ફીડ ftp સ્ક્રિપ્ટ 2c
એન્કર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ની 61મી વાર્ષિક સાધારણ સભા સાબરડેરીના ઓડિટોરિયલ હોલમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી સભામાં ત્રણ મુખ્ય ઠરાવ કરવામાં આવ્યા હતા જે પશુપાલકોના પ્રતિનિધિઓએ માન્ય રાખ્યા હતા.
વિઓ01
સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબર ડેરી દ્વારા વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે તે ભાવ ફેરને લઈને અગાઉ સાબરડેરી વિવાદમાં આવી હતી જોકે સાબર ડેરીના પશુપાલકોએ મોરચો માંડ્યો હતો જોકે રાજકીય અને સામાજિક આગેવાનો સહિત સહકારી આગેવાનોની મધ્યસ્થી થકી સાબરડેરી દ્વારા પશુપાલકોની માગણી અનુસારનો ભાવ ફેર જાહેર કરી દેવામાં આવ્યો હતો સાબરડેરીએ અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા જાહેર કર્યો હતો અને તે પ્રમાણે પશુપાલકોને ભાવ ફેર ની રકમ ચૂકવી પણ દેવામાં આવી હતી પરંતુ વિવાદ બાદ સાબર ડેરી ના સત્તાધીશો દ્વારા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 995 રૂપિયા જાહેર કરવામાં આવ્યો હતો એટલે કે સાબર ડેરીએ અગાઉ કરેલી જાહેરાતમાં 35 રૂપિયાનો વધારો કર્યો હતો જે ભાવ ફેર ની રકમ સાધારણ સભા યોજાયા બાદ ચૂકવવાનું નક્કી કરાવ્યું હતું જો કે આજે સાબરડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં અલગ અલગ એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી જોકે મુખ્ય ચાર એજન્ડાઓ પૈકી ભાવફેરના આપવાના બાકી નીકળતા રૂ.35 નો ભાવ ફેર પશુપાલકોને ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે ઉપરની રકમ આગામી 13 તારીખે પશુપાલકોના ખાતામાં જમા કરવાની જાહેરાત આજની સાધારણ સભામાં કરવામાં આવી હતી સાથે જ સાબર ડેરીના સત્તાધીશો અને સ્થાનિક મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓની વર્ષમાં બે વાર સાબર ડેરી ખાતે બેઠક યોજાય અને આ બેઠકમાં વર્ષે દરમિયાન સ્થાનિક મંત્રીઓ અને પશુપાલકોની સમસ્યાઓ સાંભળવામાં આવશે અને સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવશે તે એજન્ડા પર પણ ઠરાવ કરવામાં આવ્યો હતો સાથો સાથ આવતા વર્ષથી પશુપાલકોને 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવ ફેર ની રકમ ચૂકવી દેવા માટેનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સાબર ડેરી ની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 1200 જેટલી સ્થાનિક મંડળીઓના પ્રતિનિધિઓ સાધારણ સભામાં હાજર રહ્યા હતા.
બાઈટ-અમિતભાઇ પટેલ,ચેરમેન,કાટવાડ દૂધ મંડળી.
બાઈટ-જશુભાઈ પટેલ,ડિરેક્ટર સાબરડેરી
વિઓ02
એક તરફ સાબર ડેરી સામે પશુપાલકો અગાઉ વિરોધ દર્શાવી રહ્યા હતા. તો બીજી તરફ સાબર ડેરી ના સત્તાધીશો પશુપાલકોને વિરોધ ડામવા માટે અપિલો કરી રહ્યા હતા અને આ દરમિયાન સાધારણ સભા ક્યારે યોજાશે તેના પર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો ની સીધી નજર હતી પરંતુ આજે સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા સાબર ડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઇ છે ત્યારે સાધારણ સભામાં કરવામાં આવેલા ઠરાવો બંને જિલ્લાના પશુપાલકોએ માન્ય રાખ્યા છે જોકે આવતા વર્ષથી 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવ ફેર ની રકમ ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યું છે તે ઠરાવ ને આજે બંને જિલ્લાના પશુપાલકોએ વધાવી લીધો છે.
બાઈટ-શામળભાઈ પટેલ,ચેરમેન,સાબરડેરી
શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
13
Report
SSSapna Sharma
FollowAug 11, 2025 09:47:36Ahmedabad, Gujarat:
અમદાવાદ
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે કૌભાંડ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા એ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે 75 લાખ રૂપિયાની ખંડણી માંગી તેમ છતાં યુનિવર્સિટીમાં ચાલતા કોભાંડ મામલે તપાસ કરવાના બદલે વાઇસ સાંસ્લર ભીનું સંકેલવામાં વ્યસ્ત છે.
( નોટ એને NSUI ના વિરોધ ના વિઝ્યુઅલ્સ લેવા )
(ગુજરાતી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાના કટર વેસ્ટ લેવા લેવા ).....
ગુજરાત યુનિવર્સિટીમાં વાડજ ચીભડા ગળી જતી હોય તેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની નિમણૂક ભ્રષ્ટાચાર ન થાય તે માટે કરવામાં આવે છે. જોકે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય જ વિદ્યાર્થીઓના પૈસે લૂંટ ચલાવી રહ્યા છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે યુજીસી ની ગ્રાન્ટ માંથી 75 લાખની માંગણી કરી હતી. સમગ્ર મામલે સિન્ડિકેટ સભ્ય એ પોતે બે ગુનાહિત હોવાનો દાવો કરી જ્યાં સુધી તપાસ કમિટી તપાસ કરી તેમને બે ગુના જાહેર ન કરે તેટલા સમય સુધી રાજીનામું આપ્યું હતું.
સામાન્ય રીતે તપાસ કમિટી ની રચના કરવી ગુજરાત યુનિવર્સિટીના કામગીરી છે. જો કે તપાસ કમિટી ક્યારે બનાવવામાં આવી. બનાવવામાં આવી કે કેમ? તપાસ કમિટીએ કોઈ રિપોર્ટ આપ્યો છે કે કેમ? તે મામલે કોઈપણ સ્પષ્ટતા કરવા ગુજરાત યુનિવર્સિટીના ગુપ્તાએ ઇનકાર કર્યો હતો.
Wkt
કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના વાઈસલર નીરજા ગુપ્તાની ચુપકીદી ઉપર ઘણા સવાલો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે સિન્ડિકેટ સભ્ય માં વિપક્ષને દૂર કરી માત્ર નોમિનેટ આધારિત સભ્યોને સામેલ કરી વિદ્યાર્થીઓના પૈસા સાથે ભ્રષ્ટાચાર કરવાનો આ એક હથખંડો છે. શા માટે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મામલાને દબાઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે
બાઈટ - ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, નેતા કોંગ્રેસ,
13
Report
AKArpan Kaydawala
FollowAug 11, 2025 09:37:04Ahmedabad, Gujarat:
નોંધઃ રિવરફ્રન્ટ સહીત સી પ્લેન, ક્રુઝ , વોટર સ્પોર્ટ્સ સહિતના ફાઈલ શોટ અને મોબાઇલ વિડિઓ પણ લેવા.
અમદાવાદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેઠક મળી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠક બાદ મ્યુનિસિપલ વિપક્ષી નેતા શેહઝાદખાન પઠાણે amc ના અધિકારીઓ અને ભાજપી સાશકો પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા. ખાસ કરીને વિપક્ષી નેતાએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં મોટા ઉપાડે શરૂ કરાયેલા વોટર સ્પોર્ટ્સ, કાયાકિંગ , ઝીપ લાઈન , સી પ્લેન અને ક્રુઝ સહિતની સેવાઓ બંધ થઇ ગઈ હોવાની વાત કરી. આ ઉપરાંત વિપક્ષે રિવરફ્રન્ટની જમીનના પ્લોટનું વેચાણ જ ન થતું હોવાથી તંત્રને કોઈજ આવક ન થતી હોવાની ગંભીર વાત કરી. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર આવેલા જાહેર શૌચાલયોની બદતર હાલત અંગે પણ તંત્ર પર પ્રહાર કર્યા.
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ, amc
તો આ તરફ વિપક્ષી નેતાના આરોપ અંગે ભાજપે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. વિપક્ષને વિકાસ દેખાતો ન હોવાનું કહી હાલમાં રિવરફ્રન્ટનું કામ ગાંધીનગર સુધી શરૂ કરાયું હોવાની વાત કરી. ક્રુઝ સેવા ફક્ત ભારે વરસાદ સમયે બંધ હતી અને હાલ ચાલુ જ હોવાની અને અન્ય બંધ થઇ ગયેલા પ્રોજેક્ટ માટે ટેક્નિકલ કારણો જવાબદાર હોવાની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી. તો રિવરફ્રન્ટના શૌચાલયોની સ્થિતિ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવા આદેશ અપાઈ ગયા હોવાની વાત કરી. ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર પ્લોટની હરાજી જ ન થતી હોવાના ઝી 24 કલાકના પ્રશ્નના જવાબમાં તેઓએ ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ બીડરો ન આવતા હોવાનું સ્વીકાર્યું.
બાઈટ : દેવાંગ દાણી , ચેરમેન - સ્ટે કમિટી , amc
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 11, 2025 09:15:08Sadhara, Gujarat:
કચ્છ :
નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન
પાટીદારોમાં ''''વન ચાઈલ્ડ'''' અને ''''નો ચાઈલ્ડ''''નો ટ્રેન્ડ ઘાતક, ત્રણથી ચાર બાળક પેદા કરોઃ આર.પી. પટેલ
સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે જેથી સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે
સમાજે અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે
આ બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આર.પી. પટેલે પાટીદાર સમાજને અપીલ
નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યોને સંબોધન
14
Report
HShakimuddin shabbirbhai
FollowAug 11, 2025 08:32:51Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના વિજોલ ગામે મુખ્ય રસ્તા થી ફળિયાને જોડતો રસ્તો બિસમાર અને કાદવ કીચડ વાળો થી જતા લોકો પરેશાન રસ્તામાં બે કોઝવે આવે છે બંને કોઝવે ધોવાય ગયેલ હાલતમાં હોવાથી 108 જેવી સુવિદ્યા પણ લોકોને નથી મળતી બાળકોને શાળાએ જવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
વી.ઓ
છોટાઉદેપુર જીલ્લોએ અંતરયાર્ડ અને આદિવાસી જિલ્લો છે અહીંયા લોકો ખેત મજૂરી અને ખેતી કામ કરે છે ત્યારે અહિયાના લોકોને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી છોટાઉદેપુરના ભીલપુર ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ વિજોલ ગામ કે મુખ્ય રસ્તા થી મેંડિયા ફળિયાને જોડતો રસ્તો 7 વર્ષ અગાઉ બનેલ ત્યાર બાદ રસ્તાનું સ્માર કામ કે નવીનીકરણ કરવામાં નથી આવ્યું રસ્તા પર બે કોઝવે આવેલા છે બંને કોઝવે કોટરના પાણીમાં હાલ ધોવાય ગયેલ હાલતમાં છે મુખ્ય રસ્તા થી મેંડિયા ફૈયાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે રસ્તા પર ઠેર ઠેર કાદવ કીચડ કાયક તો જૂનો રસ્તો જોવાતો પણ નથી જેનલાઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ગામા કોય બીમાર હોય ત્યારે ઝોળી માં નાખી લય જવું પડે છે કારણકે મુખ્ય રસ્તા થી મેંડિયા ફળિયાનો રસ્તો ખખડધજ હાલતમાં છે કોઝવે પણ ધોવાયેલ છે જેના કારણે 108 ફળિયામાં આવી શક્તિ નથી જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
બાઈટ : કનુભાઈ રાઠવા.આગેવાન
બાઈટ : પ્રવીણભાઈ રાઠવા. ગ્રામજન
વી.ઓ
વિજોલ ગામના ગ્રામજનોએ અનેક વખત આ બાબતે તંત્ર ને રજુઆત કરી છે પરંતુ પરિણામ તેનું શૂન્ય આવ્યું છે ના છૂટકે લોકોએ ઝી 24 કલાકની ટીમનો સંપર્ક કરતા ઝી 24 કલાકની ટિમ ગામા પોહચી ગામ સુધીના ડામર રોડ પર તો પહોંચી પરંતુ મેંડીયા ફળિયામાં જતા રસ્તામાં કાદવ કીચડ ખારા ટેકરા અને તૂટેલા કોઝવે જોવા મળ્યા જેમ તેમ કરીને તૂટેલા સુધી તો પહોંચ્યા પરંતુ કોઝવે તૂટેલો હોવાથી આગળ જઈ શક્યા નહીં ચાલતા આગળ જતા રસ્તા ની અંદર ખૂબ જ કાદવ કીચડ માંથી પસાર થવું પડ્યું ગ્રામજનોની વેદના જાણતા ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને અને સરપંચને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ રસ્તાની કે બનાવવા માટેની કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા તંત્ર સામે ગ્રામજનો રોષે ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ ગામમાં રહેતા જે બાળકો છે તેઓને શાળાએ જવા માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે વધુ વરસાદ હોય અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છે ત્યારે બાળકો શાળાએ જઈ શકતા નથી અને શાળાએ ગયેલા બાળક પાછા ઘરે આવતા સમયે જ વરસાદ વધારે હોય તો વાલીઓ દ્વારા બાળકોને શાળાએ લેવા જવું પડે છે અને મહા મુશ્કેલીયે કોઝવે પસાર કરવો પડે છે હાલ તો ગ્રામજનો વહેલી તકે 7 વર્ષ અગાઉ બનેલા રસ્તા નું નવીનીકરણ કરવામાં આવે અને કોઝવે ની જગ્યાએ નાળા બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે
બાઈટ : ગોપાલભાઈ રાઠવા.ગ્રામજન
WKT.હકીમ ઘડિયાલી, કોઝવે વિજોલ
વી.ઓ.
આ બાબતે ગામના સરપંચ રમણભાઈ રાઠવા સાથે વાત કરતા વિજોલ ગામન લોકોએ રજુઆત કરી હોવાનું જણાવ્યું સાથે વિજોલ ગામના લોકોનો ભારે મુશ્કેલીઓ પડે છે પરંતુ હાલ વરસાદ પડતો હોવાથી રીપેરીંગ કામ થતું નથી વરસાદ બંધ થતાં તત્કાલિ કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું
બાઈટ :રમણભાઈ રાઠવા, સરપંચ ભીલપુર જૂથ ગ્રામપંચાયત
14
Report
HBHimanshu Bhatt
FollowAug 11, 2025 08:31:39Morbi, Gujarat:
Slug 1008ZK_MRB_DEM_HONARAT
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1008ZK_MRB_DEM_HONARAT
Date 10/08/2025
Location MORBI
APPROVAL DAY PALN
એન્કર
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 46 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને 46 વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે
વીઓ
11 મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 46 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11 મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા
બાઇટ ૧: એસ.જી.તેરૈયા, નિવૃત મામલતદાર, મોરબી
વીઓ
મોરબી હોનારતમાં માત્ર માણસો જ નહીં ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી અને હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવ લાગ્યા હતા તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા જેથી મચ્છુની હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે.
બાઇટ ૨: હરેશભાઈ તેરૈયા, હોનારત નજરે જોનાર, મોરબી
વીઓ
મોરબીમાં મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સામન બની ગયેલ હતું અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા તો બીજી બાજુ તે સમયે ચોરી લુંટફાટ કરવા માટે જુદાજુદા વિસ્તારોમાંથી ગેંગો આવવા લાગી હતી જેની ફરિયાદો અધિકારીને મળવા લગતા ત્યારે બહારથી શહેરની અંદર આવતા અને શહેરમાંથી બહાર જતા લોકોને ચેક કરવામાં આવતા હતા
બાઇટ ૩: વલ્લભભાઈ પ્રજાપતિ, પરિવારજન ગુમાનાર, મોરબી
વીઓ
દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 46 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી કેમ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે જેમા રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેતા હોય છે
14
Report