Back
ગુજરાતમાં રોજગારીના નવા અવસર: યુવાનો માટે મુખ્યમંત્રીની યોજના!
GDGaurav Dave
Aug 18, 2025 11:45:05
Rajkot, Gujarat
SLUG - 1808ZK_LIVE_RJT_MARKETING
જનરલ માટે નથી
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - ગુજરાતમાં રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો થકી યુવાનોને રોજગારીની તકો મળી રહી છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિયમિત પણે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના થકી યુવકોને અલગ અલગ વિભાગોમાં નિકરીની તક મળે છે. યુવાઓનું કૌશલ્ય બહાર આવે તે માટે રાજ્ય સરકાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવે છે અને અનુભવનું પ્રમાણપત્ર પણ આપે છે. જેને કારણે યુવાનોને સરકારી નોકરીમાં 15 ગુણ પણ ઉમેરવામાં આવે છે. રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે નિયમિત પણે રોજગાર ભરતી મેળાનું આયોજન કરે છે. જેમાં એસ.ટી. વિભાગના ફિટર, ડીઝલ મિકેનિકલ, ઇલેક્ટ્રીક, કોપા જેવી અલગ અલગ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ શીપ હેઠળ પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ યુવકોને તાલીમ આપવામાં આવે છે સાથે જ સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવે છે. આ યુવકો તાલીમ લીધા પછી સીધા ભરતીમાં અનુભવને કારણે આવી શકે છે. રાજકોટ એસ.ટી. ડીવીઝનમાં 259 જગ્યાઓ એપ્રેન્ટિસ શીપ માટે રાખવામાં આવે છે. જેમાંથી 216 જેટલી જગ્યાઓ પર યુવકો ભરતી મેળા થકી એપ્રેન્ટિસશીપ કરી રહ્યા છે અને અમારા દ્વારા ખાલી જગ્યાઓ પર વધુ ભરતી કરવાની જાહેરાત પણ આપવામાં આવી છે. તો બીજી તરફ લાભાર્થીઓનું કહેવું છે કે, સરકારના રોજગાર ભરતી મેળા થકી યુવકોને ITI કર્યા બાદ સરકારી વિભાગમાં જ નોકરી કરવાની તક મળે છે યુવકો એપ્રેન્ટીસશીપ હેઠળ જો તાલીમ લે છે તો તેઓના તાલીમના સમયગાળા દરમિયાન તેમને સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં અનુભવનું પ્રમાણપત્ર હોવાથી ભરતી પ્રક્રિયામાં 15 ગુણ પણ વધુ ઉમેરવામાં આવે છે. અહીં અમે એસ.ટી વર્કશોપમાં ડીઝલ એન્જીન થી લઈ અને બોડી પાર્ટ્સ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે. રોજગાર ભરતી મેળાને કારણે યુવકોમાં કૌશલ્ય સાથે પ્રેક્ટિકલ નોલેજમાં વધારો થાય છે.
બાઈટ - જે. બી. કલોતરા, વિભાગીય નિયામક, રાજકોટ એસ.ટી. વિભાગ
બાઈટ - જયરાજસિંહ જાડેજા, લાભાર્થી
બાઈટ - યુવરાજ પરમાર, લાભાર્થી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowAug 18, 2025 13:31:30Surat, Gujarat:
એન્કર :સુરતના ઉધનામાંથી ઝડપાયેલા રૂપિયા 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ની તપાસ કરી રહેલી ઉધના પોલીસે 88 દિવસે 1.50 લાખ પાના ની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઇલ કરી છે.કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી કિરાટ જાદવાણી,દિવ્યેશ ચકરાણી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ સુરત કોર્ટમાં આ ચાર્જશીટ ફાઇલ કરી છે.આ કેસમાં કુલ 200 થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.બેંક એકાઉન્ટ ખોલાવવામાં આરોપીઓ દ્વારા ખાસ M.O.અપનાવવામાં આવી હતી.જે M.O.અંગેના પુરાવા પણ પોલીસે એકત્ર કરી ચાર્જશીટમાં રજૂ કર્યા છે.આરોપીઓ પાસેથી મળી આવેલ 165 બેંક એકાઉન્ટ સામે NCR પોર્ટલ પર 2500 જેટલી સાયબર ફ્રોડની ફરીયાદ નોંધાઈ છે.જે પૈકી સુરતની 37 જેટલી ફરિયાદ શામેલ છે.
વી ઓ 1:22 મે 2025 ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરતની ઉધના પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા.જેના થકી ઉધના પોલીસે 1550 કરોડ રૂપિયાના સાઇબર ફ્રોડના રેકેટ સુધી પહોંચી હતી.આ કેસમાં આખરે ઉધના પોલીસ દ્વારા સુરત કોર્ટમાં 1,50,000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં પ્રથમ આ કેસ છે, જેમાં દોઢ લાખ પાનાની ચાર્જ સીટ દાખલ કરવામાં આવી હશે.ઉધના પોલીસને શંકાસ્પદ વ્યક્તિ વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો.તેની પાસેથી બેન્ક એકાઉન્ટ ના અનેક ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા.જેના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
ઉધના પોલીસે તપાસ દરમ્યાન ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં કિરાત જાદવાણી,દિવ્યેશ ચકરાણી સહિત ચાર આરોપીઓ જેમની પાસેથી 165 જેટલા કરંટ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા.
જેની અંદર 1550 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા.આરોપીઓ સાથે આરબીએલ બેંકના આઠ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી અને ત્યારબાદ તેમની પણ ધરપકડ કરાઈ હતી.જ્યાં 88 દિવસની લાંબી તપાસ બાદ પોલીસે આ ચાર્જશીટ ફાઇલ કરી છે.
આ કેસમાં 200 થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે અને તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે.ખાતા ખોલાવવા માટે આરોપીઓ જે ષડયંત્ર રચી રહ્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજ મુદ્દે ચાર્જશીટ કરવામાં આવી છે.165 જેટલા બેન્ક એકાઉન્ટમાં દેશભરના 2500 ઓનલાઇન સાયબર ફ્રોડની ફરીયાદ દાખલ થઈ હતી.જેમાં ગુજરાતમાંથી 265 અને સુરત શહેરના 37 જેટલા સાયબર ફ્રોડ ના ગુના દાખલ થયા છે.
બાઈટ :એસ.એન.દેસાઈ (પીઆઇ ઉધના પો.સ્ટે.સુરત)
વી ઓ 2 :મહત્વનું છે કે આ કેસમાં આરોપી કિરાત જાદવાણી ની બહેન વૃંદા જાદવાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે.આરોપીઓની rbl બેંકના અધિકારીઓ સાથે સીધી સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે.જે તપાસના અંતે rbl બેંકના આઠ અધિકારીઓની પણ અગાઉ ઉધના પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જ્યાં વૃંદા જાદવાણી ની ધરપકડ બાદ આંતરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટમાં વધુ ખુલાસા થવાની શક્યતા રહેલી છે.
......
સુરત બ્રેક
ઉધના સાયબરફ્રોડ મામલો
1 લાખ 50 હજાર પાના ની ચાર્જશીટ રજૂ કરાય
ગુજરાતમાં સૌ પ્રથમવાર આટલી મોટી માત્રામાં ચાર્જશીટ હોય શકે
1550 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું
12 આરોપીઓની ધરપકડ કરાય હતી
0
Report
KHKHALID HUSSAIN
FollowAug 18, 2025 13:30:06Chaka, :
( SPECIAL STORY)
आर्मी मार्शल आर्ट्स रूटीन (एएमएआर), एक मानकीकृत मिश्रित मार्शल आर्ट कार्यक्रम है, जो प्रत्येक सैनिक को बिना हथियार के घातक बनाने के लिए शुरू किया गया है। एक "एक व्यक्ति की सेना"
भारतीय सेना ने अपने प्रशिक्षण कार्यक्रम में मार्शल आर्ट को शामिल किया है, खासकर LoC और LAC पर हुई कई घटनाओं के बाद, जहाँ दुश्मनों और भारतीय सेना के सैनिकों के बीच आमना-सामना हुआ था। ऐसी ही एक बड़ी घटना 2020 में गलवान घाटी में चीनी सैनिकों के साथ हुई थी। भारतीय सेना ने सैनिकों के हाथों से लड़ने के कौशल, शारीरिक फिटनेस और मानसिक हौसला को बढ़ाने के लिए "आर्मी मार्शल आर्ट्स रूटीन (अमर)" शुरू किया है, जो भारतीय सेना के सैनिकों के लिए एक मानकीकृत मिश्रित मार्शल आर्ट कार्यक्रम है।
ऐसी परिस्थितियों में प्रभावी निहत्थे युद्ध कौशल की आवश्यकता होती है जहाँ द्विपक्षीय समझौतों के कारण आग्नेयास्त्रों पर प्रतिबंध होता है और दो देशों के सैनिक आमने-सामने आते हैं, जैसे कि एलएसी और एलओसी पर कई स्थानों पर अबतक हुआ है।
दुश्मन सैनिकों ने कील लगे डंडों और नुकीले डंडों जैसे तेज नोक हथियारों का इस्तेमाल किया, जिससे भारतीय सेना ने ऐसे परिदृश्यों के लिए सैनिकों को तैयार करने के लिए एक संरचित प्रशिक्षण कार्यक्रम विकसित किया। एएमएआर कार्यक्रम पारंपरिक भारतीय मार्शल आर्ट को आधुनिक युद्ध तकनीकों के साथ जोड़कर इन चुनौतियों का समाधान करने के लिए डिज़ाइन किया गया है, जिसमें आक्रामक और धारदार और तात्कालिक हथियारों के विरुद्ध रक्षात्मक कौशल।
आर्मी मार्शल आर्ट्स रूटीन (एएमएआर)
एक अनोखा, मानकीकृत निहत्थे युद्ध अभ्यास है जिसका उद्देश्य मार्शल आर्ट्स को सभी सैनिकों के लिए एक "अनिवार्य कौशल" बनाना है। इसे पुणे स्थित आर्मी इंस्टीट्यूट ऑफ फिजिकल ट्रेनिंग शुरू किया और अब इसे सभी क्षेत्रीय इकाइयों में, खासकर सीमावर्ती क्षेत्रों में, लागू किया गया है।
यह कार्यक्रम खतरों को तेजी से जवाब करने की तकनीकों पर जोर देता है। धारदार और तात्कालिक हथियारों का मुकाबला करना। ताकत, सजगता, अनुशासन और मानसिक दृढ़ता को बढ़ाना।
इस प्रशिक्षण में 26 से 64 मूव शामिल हैं, जो तेजी से हमले की बुनियादी तकनीकों को कवर करती हैं।
28 दिनों का यह कोर्स भर्ती होने वाले सैनिकों के प्रशिक्षण में अनिवार्य है और जो पहले से ही सेना में सेवा दे रहे हैं, उनके लिए भी 28 दिनों का यह प्रशिक्षण कोर्स अनिवार्य कर दिया गया है।
19वीं इन्फैंट्री डिवीजन के तहत कश्मीर में एएमएआर नोड एक प्रमुख सुविधा है। यह 15वीं कोर (चिनार कोर) के सैनिकों को प्रशिक्षित करता है। 28 दिनों का गहन पाठ्यक्रम, ताइक्वांडो, जिउ-जित्सु, मुक्केबाजी और कराटे से ली गई संकर युद्ध प्रणालियों पर केंद्रित है। यह प्रशिक्षण वास्तविक युद्धक्षेत्र परिदृश्यों के लिए तैयार किया गया है, जिसमें खेल-शैली के नियमों की तुलना में दुश्मन को ख़त्म करने को प्राथमिकता दी जाती है।
भारत भर में नियंत्रण रेखा (एलओसी) और एलएसी के पास रणनीतिक महत्व के ऐसे ही केंद्र मौजूद हैं। सभी रंगरूट निहत्थे युद्ध प्रशिक्षण से गुजरते हैं जिसमें नंगे हाथों से मारने, लाइव निरस्त्रीकरण अभ्यास और दर्द प्रतिरोध पर ध्यान केंद्रित किया जाता है।
यह प्रशिक्षण अस्थिर सीमाओं पर परिचालन तत्परता के लिए महत्वपूर्ण है और आधुनिक युद्ध के प्रति एक दूरदर्शी दृष्टिकोण को दर्शाता है।
डबल्यूटी ट्रेनिंग कैम्प से
ख़ालिद हुसैन
ज़ी मीडिया कश्मीर।
0
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 13:21:28Surat, Gujarat:
સુરત બ્રેક
ચારકોલ હોટલના વોશરૂમમાં મોબાઈલ મૂકી વિડીયો બનાવવાનો મામલો
ઉમરા પોલીસે આરોપી સુરેન્દ્રનું રિકન્ટ્રક્શન કર્યું
સીમકાર્ડ વગરનો મોબાઇલ આરોપીએ વોશરૂમમાં મુક્યો હતો
આરોપીના મોબાઇલ માંથી ચાર અન્ય વિડીયો મળી આવ્યા
આરોપીના ઘરેથી સ્પાઈ કેમેરા પણ મળી આવ્યા
ઉમરા પોલીસે આરોપી સુરેન્દ્રનું ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કર્યું
1
Report
AKAshok Kumar
FollowAug 18, 2025 13:21:14Junagadh, Gujarat:
જૂનાગઢ..
સોશ્યલ મીડિયા પર મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવી ભારે પડી.
ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા તાત્કાલિક કાર્યવાહી
આમ આદમી પાર્ટીના સમર્થકો બની આરોપીઓએ કરી હતી અભદ્ર કોમેન્ટ
રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી પાંચ આરોપીઓની અટક સાથે મોબાઇલ પણ કબજામાં લેવાયા
સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કરનાર વિરુદ્ધ પોલીસનું કડક વલણ
ટેકનિકલ અને માનવ ગુપ્તચર માહિતીથી આરોપીઓ ઝડપાયા
બાકી વધુ એક આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ
બાઈટ. જે જે પટેલ એલ સી બી પી આઈ
અશોક બારોટ
જુનાગઢ
1
Report
ARAlkesh Rao
FollowAug 18, 2025 12:34:10Vaghrol, Gujarat:
લાઈવ યુથી ફીડ આવી છે
સ્લગ - વકીલ રોષ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એંધાણ રચાયા છે.શહેરના જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે તંત્ર ના આ નિર્ણના વિરોધમાં પાલનપુર બાર એસો. દ્વારા સ્થાનિક કક્ષાથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વકીલોએ જો તેમની માંગ નહિ સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો જુના નવાબી સમયના ઇતિહાસકારી જોરાવર પેલેસમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે. જોકે આ સરકારી કચેરીઓની વચ્ચે જિલ્લાનું મુખ્ય ન્યાય સંકુલ પણ આવેલું છે. પાલનપુરની મધ્યમાં જ આ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ આવેલું હોવાથી જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી સરકારી કામકાજ કે ન્યાય સંકુલના કામ અર્થે આવતા અરજદારો ખૂબ જ સરળતાથી પોતાના કામ પૂર્ણ કરી શકે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા જોરાવર પેલેસમાં આવેલા આ ન્યાય સંકુલને શહેરની મધ્યમાંથી ખસેડી હવે તેને પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજો ચાલી રહી છે. જોકે તંત્રના આ નિર્ણયને કારણે ન્યાય સંકુલમાં આવતા દિવસના હજારો અરજદારોને ખૂબ જ મોટી અગવડતા ઉભી થાય તેવી સ્થિતિ હોવાથી પાલનપુરના બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તંત્રના નિર્ણયનો વિરોધ કરી સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાઈ છે.પરંતુ તે બાદ તંત્ર દ્વારા પોતાનો નિર્ણય પરત ન ખેચાતા હવે કોર્ટમાં આવતા અરજદારોને હેરાનગતિ ન પડે તે માટે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજે પાલનપુર બાર એસોસિએશન એકત્ર થયું અને આગામી દિવસોમાં બાર એસોસિએશન હવે શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ એસોસિએસિનો સાથે મળી ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે ગાંધી ચિધ્યા માર્ગે વળવાની ચીમકી ઉચારી છે. જેને લઇ ન્યાય માટે ન્યાય સંકુલોમાં કેસો લડતા વકીલો જ હવે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે વળવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે...
બાઈટ-1-સતીશ ચૌધરી -વકીલ બાર એસો. પ્રમુખ
બાઈટ-2- યશવંત બચાણી -વકીલ બાર એસો. સભ્ય
બાઈટ-3- પ્રકાશ ધારવા -વકીલ બાર એસો. મહમંત્રી
અલકેશ રાવ- બનાસકાંઠા
9687249834
14
Report
DPDhaval Parekh
FollowAug 18, 2025 12:20:24Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS FSL TAPAS
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના બીલીમોરાના મેળામાં ટાવર રાઈડ તૂટવાની ઘટના બાદ બીલીમોરા પોલીસે આજે FSL ની ટીમ સાથે તપાસને વેગ આપ્યો હતો. જ્યારે સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલે પણ સ્થળ મુલાકાત લઈ ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.
વી/ઓ : બીલીમોરના દક્ષિણના સોમનાથ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં વર્ષોથી એક મહિના માટે મેળો ભરાય છે. જેમાં વિવિધ રાઈડ્સ પણ આવતી હોય છે. પરંતુ ગત વર્ષોમાં મેળાઓમાં થયેલી ઘટનાઓને જોતા રાઈડ્સને વહેલી મંજૂરી મળે એવી સ્થિતિ ન હતી. બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા લાખો કમાવાની લાલચમાં મેળામાં ચગડોળ, ટોરાટોરા, ટાવર રાઈડ્સ, મોતનો કૂવો વગેરે રાઈડ્સ માટે જગ્યાની ફાળવણી કરવા 21 લાખ GST સાથેનું ટેન્ડર બહાર પાડ્યું હતું. જેને સુરેન્દ્રનગરની શિવમ એન્જિનિયરિંગ દ્વારા મેળવવામાં આવ્યું હતું. પરંતુ ટેન્ડર મેળવ્યા બાદ રાઈડ્સ શરૂ કરવા ડિસ્ટ્રીક્ટ રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી સમક્ષ મંજૂરી માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. અલગ અલગ 8 વિભાગો પાસેથી અભિપ્રાય રિપોર્ટ મેળવ્યા બાદ શિવમ એન્જિનિયરિંગને મંજૂરી મળી હતી. પરંતુ મંજૂરી મેળવવામાં પણ એજન્સીને મોડુ થયુ હતું. જેને કારણે મેળો શરૂ થયાના લગભગ અઠવાડિયા બાદ રાઈડ્સ શરૂ થઈ હતી. દરમિયાન ગત રાતે 11 વાગ્યા આસપાસ ટાવર રાઈડ્સમાં ત્રણ બાળકો સાથે કુલ 8 લોકો બેઠા હતાં. પરંતુ 50 ફૂટે ગયા બાદ નીચે આવતા રાઈડમાં ખામી સર્જાઈ હતી અને નીચે આવતી વેળા લગભગ 10 ફૂટ ઉપર આવતા હાઈડ્રોલિક પુલી ઉપરથી કેબલ તૂટ્યો હતો અને રાઈડ ધડાકાભેર નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં બે બાળકો, બે મહિલા અને રાઈડ ઓપરેટર ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનામાં બીલીમોરા પોલીસે શિવમ એનિજિનિયરિંગના વિરલ પીઠવા સામે જાણવા જોગ નોંધ્યા બાદ આજે નવસારી FSL અધિકારીને સાથે રાખીને વીડિયોગ્રાફી સાથે ઝીણવટભરી તપાસ આરંભી હતી. જેમાં પ્રાથમિક તબક્કે હાઇડ્રોલિક પુલી સાથે જોડાયેલ કેબલ તૂટવાને કારણે રાઈડ તૂટી પડ્યાનું જણાયું હતું જોકે રાઈડની મોટર, હાઇડ્રોલિક પુલી, કેબલ, ગ્રીસિંગ સહિતની ટેકનિકલ તપાસ કરી હતી. FSL તપાસ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. જોકે FSL રિપોર્ટ સાથે જ જિલ્લા ક્લેક્ટર દ્વારા બનાવેલી ટેકનિકલ કમિટીના રિપોર્ટ બાદ રાઈડ તૂટવા મુદ્દે નિર્યણ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસ તપાસ દરમિયાન જ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ તેમજ અન્ય આગેવાનો સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ, ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, ઘાયલો જલ્દી સાજા થાય એવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. જ્યારે પોલીસ તેમજ તંત્ર દ્વારા ચાલી રહેલી તપાસની માહિતી પણ મેળવી હતી.
બાઈટ : નરેશ પટેલ, ધારાસભ્ય, ગણદેવી, નવસારી
FSL ટીમની તપાસ દરમિયાન ઘટના સ્થળેથી વોક થ્રૂ કર્યુ છે.
13
Report
PAParakh Agarawal
FollowAug 18, 2025 12:19:32Ambaji, Gujarat:
1808 ZK BNK 02 CHELLO SOMVAR PKG
LOACATION -- - AMBAJI
APPROVAL BY Assignment
હિન્દૂ ધર્મમાં સૌથી લાંબો તહેવાર શ્રાવણ માસનો માનવામાં આવે છે જ્યાં સમગ્ર માસ ભગવાન શિવજીની શિવ આરાધના કરવામાં આવે છે આ શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે ને શ્રાવણ માસમાં સોમવારનો વિશેષ મહત્વ મનાતો હોય છે આજે છેલ્લા સોમવારને લઇ યાત્રધામ અંબાજીમાં વિવિધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ અંબાજીમાં 8 જેટલા શિવાલયો આવેલા છે ને અંતિમ સોમવારને લઇ મંદિરના સંચાલકો દ્વારા શિવભક્તોને આકર્ષવાના વિવિધ પ્રયાસો કરતા હોય છે ત્યારે કુમ્ભારીયાના કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફ ના શિવલિંગ બનાવી અમરનાથના બાબા બરફનીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેને લઇ શિવભક્તોનો સવાર થીજ ઘોડાપુર મંદિરોમાં જોવા મળ્યો હતો ને મંદિર પરિષર પણ હર હર મહાદેવના નામ થી ગૂંજ્યા હતા અમરનાથ સેંકડો કિલોમીટર દૂર હોવાથી અનેક ભક્તો અમરનાથ જઈ સકતા નથી ત્યારે સ્થાનિક સ્તરે મંદિરોમાં બરફ ના શિવલિંગ બનાવી બાબા બરફાનીના દર્શન કરાવી આયોજકો અનોખું આકર્ષણ ઉભું કરતા હોય છે ને ભક્તો પણ અમરનાથની જેમ જ દર્શન કર્યા હોય તેમ બરફ ઉપર ચાલી ને બરફ ના બનાવેલા શિવલિંગ ના દર્શનનો લાભ લે છે જે એક અનોખી અનુભૂતિ મહેસુસ કરતા હોય છે
બાઇટ - 01 ધીરજ ભાઈ શાસ્ત્રી, પૂજારી કુંભેશ્વર મહાદેવ મંદિર અંબાજી
બાઈટ...02 શ્રધ્ધાળુ અંબાજી
પરખ અગ્રવાલ ઝી મીડીયા
અંબાજી, બનાસકાંઠા
1808 ZK BNK 02 CHELLO SOMVAR PKG
LOACATION -- - AMBAJI
APPROVAL BY Assignment
હિન્દૂ ધર્મમાં સૌથી લાંબો તહેવાર શ્રાવણ માસનો માનવામાં આવે છે જ્યાં સમગ્ર માસ ભગવાન શિવજીની શિવ આરાધના કરવામાં આવે છે આ શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે ને શ્રાવણ માસમાં સોમવારનો વિશેષ મહત્વ મનાતો હોય છે આજે છેલ્લા સોમવારને લઇ યાત્રધામ અંબાજીમાં વિવિધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ અંબાજીમાં 8 જેટલા શિવાલયો આવેલા છે ને અંતિમ સોમવારને લઇ મંદિરના સંચાલકો દ્વારા શિવભક્તોને આકર્ષવાના વિવિધ પ્રયાસો કરતા હોય છે ત્યારે કુમ્ભારીયાના કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફ ના શિવલિંગ બનાવી અમરનાથના બાબા બરફનીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેને લઇ શિવભક્તોનો સવાર થીજ ઘોડાપુર મંદિરોમાં જોવા મળ્યો હતો ને મંદિર પરિષર પણ હર હર મહાદેવના નામ થી ગૂંજ્યા હતા અમરનાથ સેંકડો કિલોમીટર દૂર હોવાથી અનેક ભક્તો અમરનાથ જઈ સકતા નથી ત્યારે સ્થાનિક સ્તરે મંદિરોમાં બરફ ના શિવલિંગ બનાવી બાબા બરફાનીના દર્શન કરાવી આયોજકો અનોખું આકર્ષણ ઉભું કરતા હોય છે ને ભક્તો પણ અમરનાથની જેમ જ દર્શન કર્યા હોય તેમ બરફ ઉપર ચાલી ને બરફ ના બનાવેલા શિવલિંગ ના દર્શનનો લાભ લે છે જે એક અનોખી અનુભૂતિ મહેસુસ કરતા હોય છે
બાઇટ - 01 ધીરજ ભાઈ શાસ્ત્રી, પૂજારી કુંભેશ્વર મહાદેવ મંદિર અંબાજી
બાઈટ...02 શ્રધ્ધાળુ અંબાજી
પરખ અગ્રવાલ ઝી મીડીયા
અંબાજી, બનાસકાંઠા
13
Report
DPDhaval Parekh
FollowAug 18, 2025 12:01:48Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS PRANT MULAKAT
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : નવસારીના બીલીમોરામાં શ્રાવણીયા મેળામાં ટાવર રાઈડ તૂટી પડ્યા બાદ આજે ચીખલી પ્રાંત અધિકારીએ તેમની ટીમ સાથે સ્થળ મુલાકાત કરી, ઘટના મુદ્દે તંત્રની તપાસને વેગ આપ્યો હતો.
વી/ઓ : બીલીમોરના શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભરાયેલા શ્રાવણીયા મેળામાં મોડે મોડે શરૂ થયેલી રાઈડ્સમાં ગત મોડી રાતે ટાવર રાઈડનો કેબલ તૂટતા નીચે પટકાઈ હતી. જેમાં 5 લોકો ઘાયલ થયા હતા. જેમાં રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા સુરત રીફર કરવામાં આવ્યો હતો. જોકે ઘટના બાદ પોલીસે તપાસ આરંભી, તેની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ટેકનિકલ કમિટી બનાવી તપાસ શરૂ કરી છે. જેમાં આજે ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ તેમના અધિકારીઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીએ તૂટેલી રાઇડનું નિરીક્ષણ કરી, ઘટના કેવી રીતે બની એ દિશામાં તપાસ આરંભી હતી. જોકે સમગ્ર મુદ્દે કમિટીની તપાસ સાથે પોલીસ તપાસના રિપોર્ટ બાદ નિર્યણ લેવાશે અને ત્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી થશે.
બાઈટ : મિતેશ પટેલ, પ્રાંત અધિકારી, ચીખલી, નવસારી
13
Report
DPDhaval Parekh
FollowAug 18, 2025 11:46:28Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS JANAVA JOG
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના બીલીમોરાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણીયા મેળામાં ગત મોડી રાતે ટાવર રાઈડ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટનામાં બીલીમોરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે.
વી/ઓ : નવસારીના બીલીમોરા શહેરમાં પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણીયા મેળામાં ગત મોડી રાતે 11 વાગ્યા આસપાસ ટાવર રાઈડ્સનો કેબલ તૂટી જતા રાઇડ્સ 10 ફૂટ ઉંચેથી નીચે પટકાતા રાઈડ્સમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાઓ, બે બાળકો અને રાઈડ ઓપરેટર ઘાયલ થતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી રાઈડ ઓપરેટરની તબિયત ગંભીર જણાતા તેને સુરત રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી બીલીમોરા પોલીસે તમામ રાઈડ્સ બંધ કરાવી હતી. સાથે હોસ્પિટલમાં પહોંચેલા ઘાયલોને મળી, તેમના નિવેદનો નોંધ્યા હતા. પોલીસે પ્રાથમિક તબક્કે રાઈડ્સના સંચાલક શિવમ એન્જિનિયરિંગના કર્તાધર્તા વિરલ પીઠવા વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ આરંભી છે. પોલીસે FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી
11
Report
GDGaurav Dave
FollowAug 18, 2025 11:46:24Rajkot, Gujarat:
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ચાલતા શોર્યના સિંદૂર મેળાનો આજે છેલ્લો દિવસ છે. લોકમેળામાં અત્યાર સુધીમાં 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ગત વર્ષે વરસાદના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો મેળો માણી શક્યા ન હતા. પોલીસ કન્ટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં 68 બાળકો પરિવારથી વીખુટા પડી ગયા હતા જેને પોલીસે માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ આર.એન્ડ બી સહિતનું તંત્ર ખડેપગે છે. અત્યાર સુધીમાં 31 રાઈડને મંજૂરી મળી બે મોતના કૂવા સહિત ચાર રાઈડને મંજૂરી નહીં. પોલીસ સૂત્રોના કહેવા મુજબ, મોતના કૂવામાં સ્ટ્રક્ચર બરોબર ન હોવાના કારણે અને સ્ટંટ થતા હોવાના કારણે મંજૂરી નહીં. લોકમેળામાં સૌથી વધુ આઠમના દિવસે 3.55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તો પ્રથમ દિવસે 2.67 લાખ, ગઈકાલે નોમના દિવસે 3.35 લાખ,અને સાતમના દિવસે 3.15 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
વોક થ્રુ -ગૌરવ દવે
તો બીજી તરફ રાજકોટના લોકમેળામાં રાઈડ્સ સંચાલકોની માંગ કરી હતી કે, દોઢ દિવસ રાઈડ્સ મોડી શરૂ થતાં નુકસાન વેઠવાનો આવ્યો વારો છે.
રાઈડ્સ સંચાલકોએ કહ્યું હતું કે, જિલ્લા કલેકટર દ્વારા લોકમેળોમાં 1 દિવસ વધારી આપવા કરી માંગ કરીએ છીએ. વરસાદને કારણે અને રાઈડ્સને મોડી મંજૂરી આપવાને કારણે રાઈડ્સ શરૂ થઈ શકી નહીં જેને કારણે નાના ધંધાર્થીઓએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી પરંતુ R&B વિભાગના અધિકારીઓએ રાઈડ્સની ચકાસણી દરમિયાન કેટલીક ખામીઓ અને રાઈડ્સમાં ભય દેખતા મંજૂરી આપી નહોતી.
બાઈટ - રાજુ ગોસ્વામી, રાઈડ્સ સંચાલક
બાઇટ - રાઈડ્સ સંચાલક
12
Report
AKArpan Kaydawala
FollowAug 18, 2025 11:45:27Ahmedabad, Gujarat:
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી 3 ડેપ્યુટી કમિશ્નરની ભરતી પ્રક્રિયાનો મામલો
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા 3 નવા ડેપ્યુટી કમિશનર
મેયરની અધ્યક્ષતામાં મળી સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક
મેયર સહીત, ડેપ્યુટી મેયર , સાશક પક્ષ નેતા, દંડક , સ્ટે કમિટી ચેરમેન , વિપક્ષી નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર રહ્યા ઉપસ્થિત
સ્ટાફ સિલેક્શન કમિટીમાં કરાયો કુલ 3 ડેપ્યુટી કમિશનરની નિમણુંક અંગેનો નિર્ણય
નવા ડેપ્યુટી કમિશનર તરીકે રમ્ય ભટ્ટ, પરાગ શાહ અને નિલેશ પટેલની થઇ નિમણુંક
રમ્ય ભટ્ટ હાલ amc મધ્ય ઝોન ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર, પરાગ શાહ amc માં મૂળ આસીટન્ટ કમિશનર પણ હાલ cmo માં osd તરીકે ફરજ બજાવે છે
નિલેશ પટેલ હાલ વાસણા-પાલડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે
નવા ત્રણેય અધિકારીને 1 વર્ષના પ્રોબેશન પિરિયડ બાદ કાયમી નિમણુંક અંગે લેવાશે નિર્ણય
જે પૈકી 2 dymc amc ના પોતાના ખાતાકીય પરિપત્ર અને 1 ડેપ્યુટી કમિશનર બહારથી ભરતી પ્રક્રિયા હેઠળ લેવાયા
હાલ amc માં કુલ 10 જેટલા ડેપ્યુટી કમિશનર
જે પૈકી 7 dymc રાજ્ય સરકારમાંથી આવેલા અને 1 dymc amc ના કાયમી અને 2 dymc ઇન્ચાર્જ તરીકે ફરજમાં છે
નવી નિમણુંકના નિર્ણય બાદ amc માં કુલ ડેપ્યુટી કમિશ્નરની સંખ્યા વધીને 11 થશે
જે પૈકી 7 રાજ્ય સરકારના અને 4 amc ના પોતાના ડેપ્યુટી કમિશનર થશે
Amc ને પોતાનાજ વિભાગમાં કામ કરેલા કાયમી ડેપ્યુટી કમિશનર મળતા વહીવટી બાબતો ઉકેલવામાં સરળતા રહેશે
બાઈટ : પ્રતિભા જૈન, મેયર - અમદાવાદ
12
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 11:22:05Surat, Gujarat:
સુરત બ્રેક
ઉધના સાયબરફ્રોડ મામલો
1 લાખ 50 હજાર પાના ની ચાર્જશીટ રજૂ કરાય
ગુજરાતમાં સૌ પ્રથમવાર આટલી મોટી માત્રામાં ચાર્જશીટ હોય શકે
1550 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું
12 આરોપીઓની ધરપકડ કરાય હતી
14
Report
DPDhaval Parekh
FollowAug 18, 2025 11:22:01Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS TRUST KHULASO
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના બીલીમોરા શહેરમાં પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણીયા મેળામાં ટાવર રાઈડ તૂટવાની ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટે જગ્યા ભાડે આપ્યાનો રાગ આલાપી રાઈડ શરૂ કરવા એજન્સીએ મંજૂરી મેળવ્યાનો પત્ર જાહેર કરી જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યા હતા.
વી/ઓ : નવસારીના બીલીમોરામાં સ્થિત પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં દરવર્ષે શ્રાવણિયો મેળો ભરાય છે. જેમાં અનેક નાની મોટી દુકાનો સાથે લોકોના મનોરંજન માટે વિવિધ પ્રકારનની રાઈડ્સ પણ આવતી હોય છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની જગ્યા હોવાથી છેલ્લા થોડા વર્ષોથી ટ્રસ્ટ દ્વારા ટેન્ડર કરીને રાઈડ્સ માટેનો ઇજારો અપાય છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 21 લાખ રૂપિયાનું ટેન્ડર જાહેર કર્યુ હતુ. જેને સુરેન્દ્રનગરની શિવમ એન્જિનિયરિંગના વિરલ પીઠવા દ્વારા ટેન્ડર મેળવાયું હતુ. ટેન્ડર મેળવ્યા બાદ રાઈડ્સ શરૂ કરવા માટે શિવમ એન્જિનિયરિંગને મુશ્કેલી થઈ હતી અને જિલ્લાની ડિસ્ટ્રીક્ટ રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના 8 વિભાગોની મંજૂરી મેળવ્યા બાદ મંજૂરી મળી હતી. જે મંજૂરી પત્ર મંદિર ટ્રસ્ટે પોતાની પાસે રાખી, રાઈડ્સ શરૂ કરાવી હતી. જોકે રાઈડ્સ તૂટવા મુદ્દે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અમે ફક્ત જગ્યા આપી હોવાનું કહીને કોઈ જવાબદારી લેવાથી આડકતરી રીતે હાથ ઉંચા કરી દીધા હતા.
બાઈટ : વિનોદ દેસાઈ, ટ્રસ્ટી, શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, બીલીમોરા
ઘટના સ્થળેથી વોક થ્રુ કર્યુ છે...
13
Report
DRDarshal Raval
FollowAug 18, 2025 11:15:40Ahmedabad, Gujarat:
એન્કર-
જો તમે વિદેશમાં જઈને મહિને લાખો રૂપિયા કમાવવાનાં સપના જોઈ રહ્યા છો, તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જો તમે ખોટા રસ્તે ચઢી ગયા તો કમાવવાનું તો દૂર, રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે, આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે, જેમાં આઈટી કંપનીમાં નોકરીનાં નામે યુવકોને વિદેશમાં લઈ જઈને ગેરકાયદેસર ગોંધી રાખી ખોટુ કામ કરાવવા દબાણ કરાયું, અંતે યુવકે મુક્ત થવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો.. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...
વિઓ-01
આજકાલ યુવા વર્ગમાં વિદેશમાં જવાની હોડ લાગી છે. ત્યાં જઈને મહિને લાખો રૂપિયા કમાઈને પોતાનાં સ્વપ્ન પુરા કરવાની ઘેલછામાં યુવાનો ગેરમાર્ગે પણ દોરાઈ જતા હોય છે. આ જ પ્રકારનો એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં દુબઈમાં નોકરી શોધી રહેલા યુવકનો સંપર્ક વિઝા કન્સલ્ટન્સી ચલાવનાર કિંજલ શાહ નામનાં યુવક સાથે થયો, જેણે તેઓનો સંપર્ક અભિષેકસિંગ નામનાં યુવક સાથે કરાવતા તેણે બેંગકોકની આઈટી કંપનીમાં પોતે નોકરી કરતો હોય અને મહિને એક લાખ રૂપિયા પગારની લાલચ આપી હતી. જેથી ભોગ બનનાર સહિતનાં બે યુવકોએ દુબઈનાં બદલે થાઈલેન્ડનાં બેંગકોક જવાનું નક્કી કર્યું હતું. જોકે બંને ત્યાં પહોંચ્યા પછી તેમની સાથે જે થયું એ સાંભળી આપ પણ ચોંકી ઉઠશો..
બાઈટ- હાર્દિક માકડિયા, ACP, સાયબર ક્રાઈમ, અમદાવાદ
વિઓ-2
ભોગ બનનારા બેંગકોક પહોંચતા ત્યાથી ગાડીમાં 400 કિલોમીટર દૂર લઈ જવાયા અને બાદમાં બોટમાં બેસાડી ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જવામાં આવ્યા. તેઓનાં પાસપોર્ટ પણ પડાવી લઈને ત્યાં સાયબર ક્રાઈમ કરવા માટેની તાલીમ લેવા માટે દબાણ કર્યું. ફરિયાદી એક નહી તેની જેવા 15 જેટલા યુવકો પાસે આ કામ કરાવવા માટે દબાણ કરાવવામાં આવતુ હતુ. જે બાદ ભોગ બનનારને પણ 20 દિવસની તાલીમ આપવામા આવી અને એક કરાર કરાવવામાં આવ્યો જેમાં તેઓ આ કામ કરવા ન માંગતા હોય તો 3.5 લાખ રૂપિયા આપવાની ખાતરી લેવામાં આવી હતી. ફરિયાદી યુવકને આરોપીઓએ ગોંધી રાખી, માર મારી હેરાન કરતા અંતે તેણે તે રૂપિયા ચુકવ્યા અને મહામુસીબતે ભારત પરત આવ્યો.
બાઈટ- હાર્દિક માકડિયા, ACP, સાયબર ક્રાઈમ, અમદાવાદ
વિઓ-
આ મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમે વડોદરાનાં કિંજલ શાહ નામનાં એક આરોપીની ધરપકડ કરી છે, જેણે આ રીતે 3 યુવકોને બેંગકોક મોકલ્યા હતા, તે પોતે વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ધરાવે છે, જોકે આ ગેંગનો મુખ્ય આરોપી અભિષેકસિંગ છે, તેનાં પકડાયા બાદ તેણે આ રીતે નોકરીની લાલચ આપી કેટલા યુવકોને કોલ સેન્ટરનાં કાળા કારોબારમાં ધકેલ્યા છે, તે અંગે ખુલાસા થશે.
દર્શલ રાવલ.
Z મીડિયા. અમદાવાદ
14
Report