Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427
ડોનાલ્ડ ટ્રમ્પના 25% ટેરિફથી નવસારીના હીરા ઉદ્યોગમાં ચિંતા વધે છે!
DPDhaval Parekh
Aug 07, 2025 09:06:31
Navsari, Gujarat
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS DIMOND TARIF નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 07 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફ લાદ્યો છે. જેને લઈને અમેરિકામાં 50 ટકાથી વધુ એક્ષપોર્ટ કરતા હીરા ઉદ્યોગ ઉપર મોટી અસર પડશે. ત્યારે પહેલેથી જ મંદીની માર સહન કરી ધેલા નવસારીના હીરા ઉદ્યોગમાં વધુ મંદી આવવાની શક્યતા જોતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. વી/ઓ : એક સમયે ગોળ હીરાનું હબ નવસારી આજે દેશ અને દુનિયામાં 80 ટકા પોલ્કી હીરા બનાવીને હીરા બજારમાં અગ્રેસર છે. જોકે ગત વર્ષોમાં રશિયા યુક્રેન યુદ્ધને કારણે કાચા હીરા મેળવવામાં મુશ્કેલી સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઓછી થતા છેલ્લા ત્રણ વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદી રહી છે. જેને કારણે નાના કારખાનેદારોની હાલત બગડતા કેટલાક બંધ થયા છે. તો રત્નકલાકારોએ પણ હીરા ઉદ્યોગ છોડવા માંડ્યો છે. મંદી એટલી ઘેરી બની કે આત્મહત્યાના કિસ્સા પણ વધ્યા, ત્યારે ગુજરાત સરકારે પણ રત્નકલાકારો માટે સહાય યોજના પણ જાહેર કરવી પડી. હીરા ઉદ્યોગ આ મંદીના મારામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજથી 25 ટકા ટેરિફ લાગુ કરતા નવસારીના હીરા વેપારીઓ, કારખાનેદારો સહિત રત્નકલાકારોની ચિંતા વધી છે. કારણ અમેરિકા તૈયાર હીરાનું સૌથી મોટું બજાર છે. ભારતમાંથી લગભગ 50 ટકા એક્સપોર્ટ થાય છે. જેથી 25 ટકા ટેરિફ અમેરિકન ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટાડશે, જેની સીધી અસર નવસારીના હીરા ઉદ્યોગ ઉપર થશે. ત્યારે દિવાળી સુધીમાં બજાર સુધરવાની આશા સેવતા હીરા વેપારીઓને મંદીની સ્થિતિ સુધારવાને બદલે વધુ બગડે એવી શક્યતા દેખાઈ રહી છે. બાઈટ : જગમલ દેસાઈ, પ્રમુખ, નવસારી ડાયમંડ મરચંટ એસોસિએશન, નવસારી
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Aug 07, 2025 14:17:04
Ahmedabad, Gujarat:
અગામી રક્ષાબંધન ના તહેવારને ધ્યાને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રક્ષાબંધન દિવસ દરમ્યાન મહિનાઓ બીઆરટીએસ માં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે બેહનો પોતાના ભાઇને ઘરે જઇ રાખડી બાંધી રક્ષાબંધની ઉજવણી કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે બાઇટ દેવાંગ દાણી ચેરમેન સ્ટેન્ડીંગ સમિતિ એએમસી
14
Report
GPGaurav Patel
Aug 07, 2025 14:16:57
Ahmedabad, Gujarat:
અમદાવાદના જમાલપુર સ્થિત જયશંકર સુંદરી હોલ હવે એએમસી હસ્તક રાજ્ય સરકાર હસ્તક રહેલો હોલ એએમસી હસ્તક થયો જય શંકર સુંદરી હોલ નું કરવામાં આવશે રીનોવેશન Amc હસ્તક હૉલ આવતા તંત દ્વારા બ્યુટીફીકેશન હાથ ધરાશે હાલ હોલ જર્જરિત હોવાથી બંધ અવસ્થામાં હોલ રિનોવેશન થયા બાદ વિવિધ કાર્યક્રમમાં ઉપયોગ કરી શકાશે બાઈટ..દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
14
Report
GPGaurav Patel
Aug 07, 2025 14:16:51
Ahmedabad, Gujarat:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો મહત્વનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર થી લઈ ને તમામ અધિકારીઓ એ પ્રજાને મળવા માટે ફિક્સ ટાઈમ આપવો પડશે તમામ અધિકારીઓ એ પોતાની ચેમ્બરમાં 11 થી 1 ના સમય માં પ્રજા ના પ્રશ્નો સાંભળવા બેસવું પડશે.. જો અધિકારીઓ પોતાની જગ્યા પર હાજર નહીં રહે તો દંડાત્મક પગલાં લેવાશે અમદાવાદ મહાનગર પાલિકા ની ચૂંટણી પહેલા પદાધિકારીઓ હરકતમાં AMC ma હવે સાહેબ મિટિંગ માં કે બહાર છે તેવું બહાનું નહીં ચાલે બાઈટ : દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
12
Report
GPGaurav Patel
Aug 07, 2025 14:16:44
Ahmedabad, Gujarat:
અમદાવાદ મહાનગર પાલિકા જાહેર ખબર થકી થતી આવક વધારવા માટે શહેરમાં એલઇડી સ્ક્રીન લગાડશે વર્ષ ૨૦૨૪-૨૫ માં અમદાવાદ મનપાને જાહેર ખબર થકી ૩૪ કરોડની આવક થઇ હતી ચાલુ વર્ષે ચાર મહિનામાં ૧૪ કરોડની આવક થઇ છે અમદાવાદ મનપાનું વાર્ષિક ૫૦ કરોડની આવકનું આયોજન છે જેને ધ્યાને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનમાં એલ ઇ ડી સ્ક્રીન મૂકી જાહેરાત કરવામાં આવશે..એલ ઇ ડી પર જાહેરાત કરવાથી મહાનગર પાલિકાને આવક થશે.. ખાનગી જાહેરાત ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઉપયોગી જાહેર કરવામાં આવશે..સરકારની વિવિધ જાહેરાતો અંગે લોકોને માહિતી આપવામાં આવશે..ગાર્ડનમાં આવતા લોકોને રોગચાળા અટકાવવા.કેવા પગલા લેવા...ટ્રાફિક નિયમો વગેરે અંગે પણ જાગૃત કરવામાં આવશે.. શરૂઆતમાં દસથી બાર ગાર્ડનમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર અન્ય ગાર્ડનમાં એનું અમલીકરણ થશે. બાઈટ...દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન..
14
Report
GPGaurav Patel
Aug 07, 2025 14:16:40
Ahmedabad, Gujarat:
અમદાવાદમાં ૧૩ ઓગસ્ટના રોજ યોજાશે તિંરગા યાત્રા કુબેરનગર વોર્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર યાત્રામાં ૨૫ થી ૩૦ હજાર લોકોના જોડાવાનો અંદાજ તિરંગા યાત્રામાં અમદાવાદ શહેરની ઉપલબ્ધિઓ ના ટેબ્લોનો કરાશે સમાવેશ મહાનગર પાલિકા દ્વારા શહેરના ૪૮ વોર્ડમાં ૧૦ તિરંગાનું વિતરણ કરાશે ૧૫ ઓગસ્ટ બાદ રસ્તા પર રહેલા તિરંગા સન્માન પુર્વક પરત લેવાશે બાઇટ દેવાંગ દાણી ચેરમેન , સ્ટેન્ડીંગ સમિતિ અમદાવાદ
11
Report
NDNavneet Dalwadi
Aug 07, 2025 14:16:16
Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર તારીખ : ૦૭/૦૮/૨૦૨૫. સ્ટોરી : એવીબી. એપ્રુવલ : અસાઇમેન્ટ. સ્લગ: ભાવનગરમા 70 વર્ષીય વૃદ્ધની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાં. એન્કર: ભાવનગર શહેરના રુવાગામ પ્રધાનમંત્રી આવાસ નજીક સરા જાહેર વૃદ્ધની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાય, કરચલીયાપરા વિસ્તારના વૃદ્ધ વ્યક્તિ સાયકલ પર મજૂરી કામેં જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી બાઇક પર આવેલા ઈસમે વૃદ્ધને રુવાગામ સરકારી આવાસ નજીક ઊભા રાખી ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, હત્યા નિપજાવી અજાણ્યો યુવાન ફરાર થઈ ગયો, જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વિઓ ૧: ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સતત કથળતી જતી સ્થિતિ વચ્ચે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મજૂરી કામે જઈ રહેલા વૃદ્ધ ની સાથે ઝઘડો કરી એક યુવાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરા જાહેર વૃદ્ધની હત્યા કરી દીધી હતી, ઝનૂની યુવાને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે હત્યા કરી આતંક મચાવતા રહેણાંકી વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. વિઓ ૨: ભાવનગરના શહેરના કરચલિયા પરા વિસ્તારના રૂખડિયા હનુમાન મંદિર નજીક રહેતા 70 વર્ષીય વૃદ્ધ છનાભાઈ ગોહીલ સવારે 9 વાગે સાયકલ લઈને મજૂરી કામે જવા નીકળ્યા હતા, તેને ક્યાં ખબર હતી કે આજે મોત તેનો પીછો કરી રહ્યું છે, છનાભાઈ સાયકલ પર રુવાગામ નજીક પહોંચતા પાછળથી બાઇક પર આવેલા વૃદ્ધને ઊભા રાખ્યા હતા, યુવાન ડેવિડ મકવાણા અને છનાભાઈ વચ્ચે રૂપિયાની લેતીદેતી ને લઈને ઝઘડો ચાલતો હતો, જે બાબતે યુવાનને આજે પણ છનાભાઈને ઊભા રાખી રૂપિયા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી, પરંતુ વૃદ્ધ પાસે હાલ રૂપિયા ના હોય ડેવિડ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો, તેમજ પોતાની કમરમાં છુપાવેલ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો, આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા છનાભાઈ ગોહીલ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા, સારા જાહેર હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી, જાણ થતાં ઘોઘારોડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, તેમજ 108 દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી, ડેવિડ મનસુખભાઈ મકવાણા નામનો યુવાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અગાઉ પણ તેના વિરુદ્ધ અનેક ગુન્હા નોંધાયા હોવાનું બહાર આવ્યું છે, હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ડેવિડ મકવાણાને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે. બાઈટ: આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
14
Report
GPGaurav Patel
Aug 07, 2025 13:33:28
Ahmedabad, Gujarat:
એંકર LIC માં કાયમી નોકરી આપવાના નામે કર્યું કૌભાંડ..400 થી વધુ લોકોને નોકરી આપવાનો વિશ્વાસ આપીને રૂપિયા એક કરોડ લગાવ્યો ચૂનો..આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડી કેસમાં ગુનો નોંધીને આરોપી કરી ધરપકડ..આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડી ના ગુના નોંધાયા છે કોણ છે આ ઠગ જોઈએ આ અહેવાલમાં... વીઓ - 1 આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલ ઠગ ચીકેશ શાહ ની છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે..આ ઠગે LIC મા કાયમી નોકરી આપવાના નામે છેતરપિંડી કરી છે..છેતરપીંડી કેસની વાત કર્યે તો LIC કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ કાયમી થવા માટે કોર્ટ મા અરજી કરી હતી જે બાદ કેસનો કોઈ નિરાકરણ નહી આવતા કર્મચારીઓ અસ્તોષ હતા..આ દરમિયાન મંદિરમાં એક કર્મચારી ને ઠગ ચીકેશ શાહ મળ્યો હતો અને તેણે મુખ્ય મંત્રી તેમજ દિલ્હી માં અધિકારી સાથે સંપર્ક હોવાનું કહી લોકોને વિશ્વાસ માં લીધા હતા..ત્યાર બાદ આરોપી ઠગ ચીકેશ LIC મા કાયમી નોકરી આપવાનું કહી ને રૂપિયા 5 હજાર થી 10 હજાર વ્યક્તિ દીઠ પડાવ્યા હતા..આ પ્રકારે ગુજરાતના 400 થી વધુ કોન્ટ્રાકટ પર રહેલા કર્મચારીઓ પાસેથી રૂપિયા એક કરોડ જેટલી રોકડ મેળવી ને છેતરપિંડી આચરી હતી..જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં અલગ અલગ બે છેતરપીંડી ની ફરિયાદ નોંધાવામાં આવી છે.. વીઓ - 2 આર્થિક ગુના નિવારણ શાખા ની તપાસ માં ચીકેશ શાહ પાલડી નો રહેવાસી છે અને એક મોટો ઠગ હોવાનું સામે આવ્યું..56 વર્ષીય ઠગ ચીકેશ શાહ પર કોઈ શંકા ન કરે માટે લોકોને મિટિંગના બહાને બોલાવી પોતાને સારી ઓળખાણ અને વગ ધરાવતો હોવાનું કહેતો..આ દરમિયાન આરોપીએ નોટરાઈઝ ડેકલેરેશન કરી આપ્યું હતું અને ચેક આપીને 31 જાન્યુઆરી સુધીમાં રૂપિયા પરત કરી આપવાની પણ ખાતરી આપી હતી..એટલું જ નહીં ભોગ બનનાર લોકોને તેણે દિલ્હી પણ બોલાવ્યા હતા અને પોતે દિલ્હી નહીં જઈને અલગ અલગ બહાના બતાવ્યા હતા..આમ કરી ને છેલ્લા એક વર્ષ થી લોકો ને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હતો..પોલીસ તપાસમાં ઠગ ચીકેશ વિરુદ્ધ અગાઉ કાગડાપીઠ મા કાપડ નામે 5.5 લાખનું ચિટિંગ કર્યું છે..એવી જ રીતે વર્ષ 2024 માં 1.88 કરોડ ની છેતરપીંડી નો ગુનો નોંધાયો છે જેમાં જમીન માં રોકાણ કે ગાડીના ધંધા માં એક થી બે ટકા નફો આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી.. બાઈટ - એમ.એન. ચાવડા, એસીપી, EOW વીઓ - 3 ઠગ ચીકેશની માનસિકતા કોઈ પણ લોકોને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરવાની ટેવ ધરાવે છે..હાલ EOW એ ઠગ ચીકેશ ના 7 દિવસના રિમાન્ડ મેળવી ને તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે જે દિશામાં તપાસ શરૂ કરી છે...
14
Report
CPCHETAN PATEL
Aug 07, 2025 13:05:46
Surat, Gujarat:
[8/7, 17:32] chetan13patel87: સુરત બ્રેક. રિંગરોડ રઘુકુળ માર્કેટમાં આગનો બનાવ આગ લાગતા અફરાતફરી નો માહોલ 3 ફાયરગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આગ કંટ્રોલમાં આગને લઈ કોઈ જાનહાની નહિ [8/7, 17:33] Bhavesh mitr chn: *સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦x૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી* ------- *દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી* --------- માહિતી બ્યુરો સુરત-ગુરૂવાર: દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી છે. ગુરૂકુલના ધો. પ થી ૧૧ (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ) ના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦ x ૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી. આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા, અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, શિક્ષકોશ્રી જગદીશભાઈ પીપળીયા, પ્રવિણભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ રક્ષા- રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. માતા કુંતાજીએ પાંડવ-કૌરવોના યુદ્ધ સમયે રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની રક્ષા માટે સતીએ ઈન્દ્રને રક્ષા બાંધી હતી. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માની રક્ષાસૂત્ર બાંધી ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા, ત્યારથી ભાઈ-બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે. શ્રી સ્વામિ.ગુરુકુલ વિદ્યાલયે આકૃતિરૂપ રક્ષા ગુરૂકુલના મહંતસ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા શ્રી ભક્તિતનયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી. -૦૦-
14
Report
CPCHETAN PATEL
Aug 07, 2025 13:05:36
Surat, Gujarat:
સુરત બ્રેક. રિંગરોડ રઘુકુળ માર્કેટમાં આગનો બનાવ આગ લાગતા અફરાતફરી નો માહોલ 3 ફાયરગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આગ કંટ્રોલમાં આગને લઈ કોઈ જાનહાની નહિ
14
Report
PTPremal Trivedi
Aug 07, 2025 13:05:27
Patan, Gujarat:
એન્કર.. પાટણ જિલ્લા માંથી ઉત્તરાખંડ મા ચારધામની યાત્રાએ ગયેલ ચાણસ્મા અને હારીજ પંથકના યાત્રાળુઓ નો કોઈ સંપર્ક પરિવાર દ્વારા ન થતા તેઓ ચિંતાતુર બનવા પામ્યા છે તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ ઉત્તરાખંડ કંટ્રોલ રૂમના સંપર્કમાં રહી તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે પાટણ જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકામાંથી કુલ 15 જેટલા યાત્રાળુઓ ઉત્તરાખંડ રાજ્યમાં યાત્રાએ ગયા છે તેના ઉત્તર કાશીના કંટ્રોલરૂમ સાથે અમે સંપર્કમાં છીએ તેના ટુર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે હાથ જ તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમના પરિવારજનો સહી સલામત છે તેવું જણાવ્યું છે તેનું વેધર હાલ સારું ન હોય કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી ડેમેજ છે માટે તે લોકોનો સંપર્ક થઈ શકતો નથી વાતાવરણ સુધરશે ત્યારે હેલિકોપ્ટર મારફતે તેમનું રેસ્ક્યુ કરી વારાફરથી અપડેટ લિસ્ટ કરવામાં આવશે પાટણ જિલ્લા મા હારીજ તાલુકા ના 6 ચાણસ્મા તાલુકા ના 9 યાત્રાળુઓ યાત્રાએ ગયા છે તેમ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ અને હારીજ ગામ ના યાત્રાળુ ઓ ના પરિવારોજનો દ્વારા તેમના સભ્યો નો કોઈ સંપર્ક ન થતા ચિંતાતુર જોવા મળી રહ્યા છે બાઈટ.1 વી. સી. બોડાણા. નિવાસી અધિક કલેક્ટર પાટણ બાઈટ.2 હિન્દી...વી. સી. બોડાણા. નિવાસી અધિક કલેક્ટર પાટણ..
14
Report
PTPremal Trivedi
Aug 07, 2025 13:05:19
Patan, Gujarat:
એન્કર:- ચારધામની યાત્રાએ ગયેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના 9 યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યુ છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે. વિઓ:- ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી 1લી ઓગસ્ટના રોજ ઠાકોર પાટીદાર અને રાવળ સમાજના મળી કુલ 9 યાત્રિકો ચારધામની યાત્રાએ ગયા હતા. ઉતરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થયો નથી તમામ યાત્રિકોને ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં પરિવારજનો સહિત ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વડાવલી ગામમાં યાત્રિકોના પરિવારના સભ્યોએ રજણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમાં તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ગાડીઓ લઈને અમે ગણગોત્રી જવા નીકળ્યા છે રાત્રે અમારો રાત્રે સંપર્ક કરજો પરંતુ ત્યારથી અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી હાલમાં તમામ લોકોના ફોન બંધ આવે છે જેથી અમો ચિંતામાં મુકાયા છીએ. ગામના સરપંચે જણાવ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓને ગામમાંથી ચારધામની યાત્રાએ ગયેલા તમામ યાત્રીકોની ટેલીફોન નંબર સાથેની માહિતી આપવામાં આવી છે. પરિવારના એક સભ્ય સાથે ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત થતા પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પણ હજી સુધી એક પણ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી જેથી સમગ્ર ગામ લોકોમાં યાત્રિકોને લઈ ચિંતા જોવા મળી રહી છે. 1 જસીબેન પથુજી ઠાકોર 2 આત્મારામ ચંદુજી ઠાકોર 3 કેશરબેન આત્મારામ ઠાકોર 4 રઈબેન મફતજી ઠાકોર 5 કનુભાઈ સોમાભાઈ રાવળ 6 મંજુલાબેન કનુભાઈ રાવળ 7 વિજયાબેન દલુભા રાવળ 8 પેલાદભાઈ મફતલાલ પટેલ 9 મધુબેન પેલાદભાઈ પટેલ બાઈટ. 1.પથુજી ઠાકોર. પરિવાર જન.. વડાવલી ગામ બાઈટ. 2.મહેશ ભાઈ ઠાકોર. પરિવારજન. વડાવલી બાઈટ. 3. હરગોવન ભાઈ પટેલ સરપંચ. વડાવલી
14
Report
PTPremal Trivedi
Aug 07, 2025 13:04:35
Patan, Gujarat:
એન્કર.. પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે. વીઓ.. હારીજથી 1 ઑગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સબંધીઓનું 12 સભ્યનું ગ્રૂપ ટ્રેનમાં રવાના થયું હતું. ઉતરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થઈ રહ્યો ન હોઈ તમામ લોકોના ફોન સ્વિચ્ડ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે. સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળ ના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ટુર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેને જણાવ્યું હતું કે ગાડી નીચે ઉભી છે અને યાત્રીકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે જેથી પરિવારજનોએ થોડો હાથકારો અનુભવે છે પરંતુ હજી સુધી પરિવારના કોઈ પણ સભ્યનો ટેલીફોનિક સંપર્ક ન થતા હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે. વિઝન બાઈટ 1 પ્રવીણભાઈ રાવળ પરિવારના સભ્ય બાઈટ 2 જયંતીભાઈ રાવળ પરિવારના સભ્ય બાઈટ. 3. પ્રવીણ ભાઈ રાવળ. હિન્દી..
14
Report
PTPremal Trivedi
Aug 07, 2025 13:04:02
Patan, Gujarat:
એન્કર.. પાટણ શહેરમાં ચોરી, લૂંટ, ખંડણી, મારામારી સહિતના ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપી ઝહીરખાન બેલીમ ઉર્ફે ખોખર છેલ્લા એક વર્ષ થી ફરાર હોઈ પાટણ પેરોલ ફરલોં ની ટીમ દ્વારા રાત્રી દરમ્યાન પાટણ માંથી ઝડપી પડ્યો હતો અને પાટણ શહેર એ ડિવિઝન ના વિવિધ ગુનામા વોન્ટેડ હોઈ તેને સોંપવામાં આવતા આરોપી ઝહીર ખાન નું બુકડી વિસ્તાર મા જાહેર મા સરગસ કાઢી ગુનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું . બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ જાહેરમાં મારામારીના ગુનામાં ઝહીરખાન વોન્ટેડ હોય તે ગુના અંતર્ગત કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી Wkt. પ્રેમલ ત્રિવેદી. પાટણ
13
Report
ARAlkesh Rao
Aug 07, 2025 12:18:38
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે. સ્લગ - ખેડૂત આક્રોશ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે જિલ્લામાં મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે.જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે... કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદ થી અમદવાદ વચ્ચે ભારત માલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારત માલા એક્સપ્રેસ હાઇવે ને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે. જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર રૂપિયા 20 થી 22 ના ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની એનએ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરએ 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે.જેને લઇ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તાના ખેડૂતો આજે પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા.મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે ચડોતરથી પાલનપુર જિલ્લા કલેકટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે અને ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે.જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાના ખેડૂતને સાથે રાખી ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારી છે.જો કે ખેડૂતની નીકળેલી આ રેલમાં વિપક્ષ પણ સાથે રહ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીના કોંગી આગેવાનો પણ ખેડૂતની સાથે પહોંચી જિલ્લા કલેકટરને રજુઆત કરી ખેડૂતોને પૂરતા ભાવ આપવા રજુઆત કરી હતી.. બાઈટ-1-લાલજી દેસાઈ-કોંગ્રેસ નેતા (સરકાર ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ભાવે લઈ રહી છે..) બાઈટ- 2-દોલાભાઈ ખાગડા-ખેડૂત આગેવાન ( સરકાર ખેડૂતને ફોસલાવા બેઠી છે. સરકાની આ નીતનો અમે ખેડૂતો વિરોધ કરી રહ્યા છીએ...) બાઈટ- 3-વાસુદેભાઈ -પીડિત ખેડૂત ( અમારી બાજુમાં જ જમીનો રાતો રાત એન એ થઈ ગઈ છે અને એમણે ડબલ ભાવો મળી ગયા અમારી જમીનની કઈ કિંમત જ નહીં...) બાઈટ- 4-સરદાભાઈ -પીડિત ખેડૂત (અમારી મહામૂલી જમન સરકાની આ નીતને કારણે જઈ રહી છે અમને પૂરતા ભાવ મળતા નથી અમે મરી જઈશું... ) બાઈટ -5-અમરાભાઈ પટેલ -ખેડૂત આગેવાન ( ખેડૂતોની મહામૂલી જમીન સરકાર પાણી અને છાસ ના ભાવે લઈ રહી છે...) અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
14
Report
MDMustak Dal
Aug 07, 2025 12:18:05
Jamnagar, Gujarat:
જામનગર....મુસ્તાક દલ જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમયે કોંગ્રેસનો વિરોધ જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ નહિ સેટિંગ કમિટી: કોંગ્રેસ આ 40 ટકાવાળી સ્ટેન્ડિંગ કમિટી હોવાના લગાવ્યા નારા રંગમતી નદી ઊંડી કરવાના કામમા ભ્રષ્ટાચારનો આક્ષેપ કચરાના કામમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા સહિતના સભ્યો વિરોધમાં જોડાયા બાઈટ : દિગુભા જાડેજા ( શહેર કોંગ્રેસ પ્રમુખ - જામનગર )
14
Report
Advertisement
Back to top