Back

Vadodara - છોટાઉદેપુરમાં ઈ-રીક્ષાનું લોકાર્પણ, સ્વચ્છતા માટે નવી શરૂઆત
Bopa, Gujarat:
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન–ગ્રામીણ યોજના ફેઝ–૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ૪૦ ગ્રામ પંચાયતોને ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી ઈ-રીક્ષાને પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. ભગત, ટીડીઓ, સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
Report
Vadodara - પાવીજેતપુર વિધાનસભા વિસ્તાર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ૫.૮૧ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું
Pavijetpur, Gujarat:
પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં આવતા ખડકલા થી વડાતલાવ ના રસ્તાનું ૧.૮૧ કરોડના ખર્ચે સ્લેપ ડ્રેન સાથે નવીનીકરણ તેમજ હરખપુર ખડકલા પાસે ૪ કરોડના ખર્ચે નવીન મીની બ્રિજ બનશે જેનું આજ રોજ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે છોટાઉદેપુર સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ વાસદિયા તેમજ તાલુકા પંચાયત સભ્ય, સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1
Report
Vadodara - છોટાઉદેપુરમાં લોન મેળા: વ્યાજખોરીને રોકવા માટે એક અનોખી પહેલ
Kalarani, Gujarat:
છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ અને ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક દ્વારા કલારાણી ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંકના ડિરેક્ટર મહારાઉલ શિવ બાપુ તેમજ કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.પંડ્યા ની અધ્યક્ષતામાં લોન મેળો યોજાયો હતો. આ કાર્યક્રમ માં લોકોને માહિતગાર કર્યા હતા કે, આપણે સાથે મળીને વ્યાજખોરીના દુષણ પર લગાવીએ રોક વ્યાજખોરો પાસેથી વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓને સહકારી મંડળીઓ,બેન્કો પાસેથી લોન લેવી જોઈએ તેમ જણાવ્યું હતું
1
Report
Vadodara - ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતામાં ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું
Panvad, Gujarat:
પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે. આના સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે.
1
Report
Vadodara - છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલ નો વિરોધ કરાયો કરાયો
Kalarani, Gujarat:
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે આજ રોજ મોટી સંખ્યમાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ મૌન રેલી યોજી હતી સેવાસદન ખાતે આવેલ કચેરી એ પહોચી આવેદન પત્ર આપી વકફ બિલ ને મંજુર કરવા માં આવ્યું છે તેને દૂર કરવા આવે અને આવનાર યુ.સી.સી.ના કાયદા નો વિરોધ દર્શાવ્યો હતો.
બોડેલી અલીપુરા ચાર રસ્તા પર બોડેલી તથા આસપાસના અન્ય ગામો ના લોકો ભેગા થયા હતા અને મૌન રેલી યોજી મોટી સંખ્યા મા બોડેલી સેવાસદન ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.
1
Report